SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ જગચિંતામણિ સૂત્ર-શબ્દજ્ઞાન ૨૮૭ સત્તાણવઈસહસ્સા - ૯૭૦૦૦ લકુખાછપ્પન્ન - ૫૬ લાખ અઠકોડિઓ - આઠ કરોડ બત્તીસય - બત્રીશ સો, ૩૨૦૦ બાસિઆઈ - ન્હાશી, ૮૨ તિઅલોએ - ત્રણ લોકમાં (રહેલ) ચેઈએ - ચૈત્યોને, જિનાલયોને વંદે - હું વંદન કરું છું પન્નરસ-કોડિ-સયાઈ - પંદરસો ક્રોડ અર્થાત્ પંદર અબજ કોડિબાયાલ - ૪૨ ક્રોડ છત્તીસ સહસ - ૩૬,૦૦૦ અસિઇ - એંશી, (૮૦) સાસય - શાશ્વત, શાશ્વતી બિંબાઈ - પ્રતિમાઓને પણમામિ - હું પ્રણામ કરું છું 1 વિવેચન :- પાંચ ગાથાઓથી પ્રસિદ્ધ એવા આ જગચિંતામણી નામથી ઓળખાતા ચૈત્યવંદન સૂત્રનું વિવેચન કે અર્થવિસ્તાર તેના પાઠભેદોના સ્પષ્ટીકરણ સાથે હવે કરી રહ્યા છીએ ૦ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! હે ભગવન્! (હે પૂજ્ય !) આપ સ્વ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો. (એક મત એવો છે કે અહીં મવન નહીં પણ પ્રાકૃતમાં ભવં હોવું જોઈએ. – આ સમગ્ર વાક્યના વિવેચન માટે સૂત્ર-૫ ‘ઇરિયાવહી જોવું • ચૈત્યવંદન કરું ? ઇચ્છે હું ચૈત્યવંદન કરું ?' આ પ્રમાણે ગુરુજી પાસે ચૈિત્યવંદન કરવા માટે આજ્ઞા માંગવામાં આવે છે. (આ જ પ્રકારે આજ્ઞા માંગવાનો ઉલ્લેખ સૂત્ર-૫ ‘ઇરિયાવહી'માં પણ હતો) આ જૈનશાસનની ગુરુ-શિષ્યની વિનય પ્રણાલિ છે. જે મુજબ વિનયપૂર્વક અને નમ્રતાથી શિષ્ય આજ્ઞા માંગે છે ત્યારે ગુરુ ભગવંત (સ્વ ઇચ્છાએ) આજ્ઞા આપતા “દ (તેમ કરો) કહે છે. ત્યારે શિષ્ય તે આજ્ઞાનો “રૂછું' કહીને સ્વીકાર કરે છે. (ઇત્યાદિ કથન સૂત્ર-૫ “ઇરિયાવહી' મુજબ જાણવું). વિશેષ એ કે, “ચૈત્યવંદન કરું ?" એ શબ્દોમાં ચૈત્યવંદન એ સંસ્કૃત શબ્દ છે અને ગુજરાતીમાં પણ ચૈત્યવંદન જ બોલાય છે. પણ જો સમગ્ર સૂત્ર “આર્ષપ્રાકૃત’ ભાષામાં છે તેવું જોતા “ફયવં' એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે તો યોગ્ય કહેવાય તેમ લાગે છે. એ જ રીતે ક’ શબ્દ ગુજરાતી છે. ખરેખર અહીં વકરમ થાય જે પ્રાકૃતમાં પણ “રેમિ ભંતે સૂત્ર મુજબ માન્ય પ્રયોગ છે. પણ કેટલીક જૂની પ્રતોમાં કરવું કે ૐ એવો પાઠ હાલ જોવા મળે છે. (ચૈત્યવંદન' શબ્દનું વિવેચન વિશેષકથન'માં જોવું.) ૦ જગ ચિંતામણિ – જગતમાં ચિંતામણિ રત્ન સમાન. આ સૂત્રની પહેલી ગાથામાં (ચોવીસે) જિનવરને માટે નવ વિશેષણો મૂકેલા છે તેમાં પહેલું વિશેષણ છે – “ ચિંતા' આ પદ સંબોધન વિભક્તિના બહુવચનમાં મૂકાયેલ છે. તેમાં બે શબ્દો છે. ના અને ચિંતામણિ. ૦ ના શબ્દનો પ્રયોગ આ આખી ગાથામાં કુલ સાત વખત થયો છે. ન એટલે જગત્ જેના દુનિયા, વિશ્વ, લોક, સંસાર, પ્રાણીસમૂહ એવા વિવિધ અર્થો થાય
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy