________________
સામાઇય-વયજુનો સૂત્ર-વિવેચન
૨૭૫ છે.” તે વ્યાખ્યા મુજબ આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવામાં તે અંતરાયભૂત છે. પણ વ્યવહારમાં પાપ આસવને અશુભ કર્મ કહે છે. આવા કર્મો સામાયિકની સાધના દરમિયાન નષ્ટ થાય છે અર્થાત્ નિર્જરા પામે છે. જેમના સર્વ કર્મ નિર્જરા પામે તે સામાયિકના પ્રભાવે મોક્ષ પ્રાપ્ત કરે છે. અથવા દેશથી (થોડા-થોડા) કર્મોની નિર્જરા પણ સામાયિક થકી થાય છે. તે દર્શાવવા “છિન્નડું મધુરં ગં' પદ મૂક્યું છે. પણ ક્યારે? પૂર્વ પદ મૂક્યું - જ્યાં સુધી તેનું મન (સામાયિકના) નિયમથી યુક્ત હોય અને હવે પછીનું પદ મુક્યું – “સામાફિય નત્તિયાવારી'
• સામાઇલ જરિયા વારા – જેટલી વાર સામાયિક (કરે તેટલી વાર). ૦ સામાફિય - શબ્દ પૂર્વે સૂત્ર-૯ કરેમિભંતેમાં કહેવાઈ ગયો છે. ૦ નરિયા - જેટલી
૦ વારા - વાર, વખત -૦- પદ સંબંધ :- આ ગાથા બે ભાગમાં વહેંચાયેલ છે –
૧. જ્યાં સુધી મનમાં નિયમવાળો હોય ત્યાં સુધી સામાયિક વ્રતથી યુક્ત કહેવાય છે અને -૨- જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોને છેદે છે. પણ સંકલિત અર્થ વધુ યોગ્ય છે તે આ પ્રમાણે – સામાયિક વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે ત્યાં સુધી અને તેટલી વાર અશુભ કર્મોનો નાશ કરે છે.
• સામાઈઅંમિ ઉ કએ – અવળી) સામાયિક જ કરતાં
૦ સામäિમિ – સામાયિકમાં. આ પદનો સંબંધ વU સાથે છે. તેથી સામફિન એવો સપ્તમીનો પ્રયોગ કર્યો છે. સમગ્ર પદનો અર્થ કરતી વખતે માત્ર સામાયિક એવો જ ઉલ્લેખ થશે. “સામાયિકમાં' એમ અર્થ નહીં થાય.
૦ ૩ - વળી, જ. વ્યવહારમાં હાલ ૩ શબ્દ ‘વળી’ એવા અર્થમાં નોંધતા પ્રતિક્રમણ સૂત્રાર્થમાં “વળી સામાયિક કરતી વખતે એમ કરીને ૩ નો વળી' અર્થ કરે છે. પરંતુ સાવર સૂત્ર નિ%િ-૮૦૧ની હરિભદ્રસૂરિજી કૃત્ વૃત્તિમાં ૩ નો અર્થ જીવ એમ જ'કારનો નિર્દેશ કરે છે. તેમજ મલયગીરીજી કૃત્ વૃત્તિમાં તો સ્પષ્ટ જ કહ્યું છે કે, ૩ શબ્દ પવાર અર્થમાં જ વપરાયેલો છે. તેથી ૩ નો અર્થ “જ" વડે જ દર્શાવવો જોઈએ. એટલે કે સામાયિક જ (કરતી વખતે) એમ સમજવું
૦ - કર્યો છd, કરતી વખતે, કરવાથી.
અહીં ! શબ્દની વ્યાખ્યા કરતી વખતે હરિભદ્રસૂરિજી અને મલયગીરીજી બંને વૃત્તિ-કારે તે સતિ અર્થાત્ “કર્યો છતે' એવો અર્થ કરેલ છે. જો કે વિશેષાવશ્યક ભાષ્ય-ભાષાંતરમાં ‘કરતી વખતે' એમ અર્થ કર્યો છે. તેથી સમગ્ર પદનો અર્થ ‘સામાયિક જ કરતી વખતે એમ કરેલ છે.
• સમણો ઇવ સાવઓ હોઈ જષ્ઠા – જે કારણથી શ્રાવક સાધુ જેવો થાય
૦ સમો - શ્રમણ, સમણ, સાધુ (સમ શબ્દનું વિવેચન સૂત્ર-૩ ‘વદન સૂત્રમાં થઈ ગયેલ છે.)
૦ રૂ - જેવો. સરીખો. આ પદ સાદય કે ઉપમા દર્શાવનારું અવ્યયપદ છે.