________________
સામાઇય-વયજુત્તો સૂત્ર-વિવેચન
૨૭૩
– આ બંને અર્થમાં સામાયિક એક વ્રત છે તેવું પ્રતીત થાય છે. કેમકે મિ સામાફિયં શબ્દથી નિયમ સૂચવે છે અને સંવિä ની પદધ્વનિ' શબ્દથી અવદ્ય હેતુનો ત્યાગ સૂચવે છે. માટે સામાયિક વ્રત છે. વળી શ્રાવકોના બાર વ્રતોમાં નવમું વ્રત ગણેલ જ છે. ચાર શિક્ષાવ્રતોમાં પણ તેને પહેલું શિક્ષાવ્રત કહ્યું જ છે. માટે “સામાયિક વ્રત’ શબ્દ વપરાયો છે.
૦ નુત્તો - યુક્ત સામાયિકવ્રતથી યુક્ત-સહિત.
– સામાયિકવ્રતને વિધિ અનુસાર ગ્રહણ કરીને તેનું યથાયોગ્ય રીતે આરાધન કરનાર સામાયિકવ્રતથી યુક્ત કહેવાય છે.
• જાવ મણે હોઇ નિયમ-સંજુરો – જ્યાં સુધી મનમાં નિયમથી યુક્ત હોય.
૦ નવિ - જ્યાં સુધી આ શબ્દ સામાયિકના ફળની પ્રાપ્તિ કે જે છિન્નડું જુદું બ્બે શબ્દોથી વ્યક્ત કરી છે, તેની કાળ મર્યાદા બતાવવા માટે છે અર્થાત્ સામાયિક વ્રતથી યુક્ત જીવ અશુભ કર્મોનું છેદન કરે છે તેમ કહ્યું. પણ ક્યાં સુધી (કેટલા કાળ સુધી) છેદન કરે ? “મનમાં નિયમથી જોડાયેલો હોય ત્યાં સુધી.” ૦ - મનમાં
૦ હો - હોય છે. ૦ નિયમ-સંકુત્તો :- નિયમથી યુક્ત, નિયમથી જોડાયેલો, નિયમધારી સામાયિક એ વ્રત છે, વળી તેમાં પ્રત્યાખ્યાનનો સમાવેશ પણ છે. અણુવ્રતોની પુષ્ટિને માટે તે યોજાયેલ છે. પણ પૂર્વે જોયા મુજબ વ્રતનો એક અર્થ ‘નિયમ' પણ કરેલો જ છે. વળી નવનિયમ શબ્દથી સામાયિક ગ્રહણ સૂત્ર હરેમિ ભંતે માં પણ તેના નિયમપણાનો ઉલ્લેખ છે, કેમકે સાવદ્યયોગને અમુક કાળ પર્યન્ત છોડવાની પ્રતિજ્ઞા એ એક જાતનો નિયમ જ કહેવાય. તેથી “સામાયિકનો સ્વીકાર' અને “સાવદ્ય યોગનો ત્યાગ” બંને પ્રકારના નિયમોથી યુક્ત હોવાથી તેને નિયમ-સંકુત’ કહ્યું.
૦ ‘નવ મળે દોડુ નિયમ-સંગુત્તો “આખા પદનો રહસ્યાર્થ જોઈએ
– સામાયિક પ્રતિજ્ઞા સૂત્રમાં “મણેણં - વાયાએ – કાણું મૂક્યું હતું. આ સૂત્રમાં “મિચ્છામિદુક્કડં' આપતી વખતે પણ “મન, વચન, કાયાએ કરી’ એવા શબ્દો મૂક્યા. ત્યારે નાવ મને એમ કહી નિયમ યુક્તતા માટે ફક્ત ‘મન’નો જ ઉલ્લેખ કેમ હશે ? તેવો પ્રશ્ન થઈ શકે–
સામાયિક, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ, ધ્યાન, વંદન આદિ ક્રિયા કરતો વ્યક્તિ મહદ્અંશે કાયા દ્વારા આ ક્રિયા બરાબર કરતો જોવા મળે જ છે. વચન દ્વારા પણ. તે સૂત્રોનું ઉચ્ચારણ કે જપ આદિ કરે ત્યારે પ્રશસ્ત વચનયોગ હોય જ છે અથવા તે મૌનપણે ક્રિયા કરતો હોય છે. પણ મનનું જોડાણ આ વચન અને કાર્ય યોગ સાથે રહેવું અતિ મહત્ત્વનું છે. કેમકે મનનું ક્ષેત્ર અતિ વિશાળ અને અપરિમિત છે. અધ્યવસાયોમાં આવતા પરિવર્તનોની ઝડપ વાયુ કરતા પણ વેગવંતી બની જતી હોય છે. જે વિષયમાં ‘પ્રસન્નચંદ્ર' રાજર્ષિનું દૃષ્ટાંત તો પ્રસિદ્ધ છે જ.
૦ લઘુ દૃષ્ટાંત :- કોઈ કોંકણક વણિકે દીક્ષા લીધી. તે વૃદ્ધ હતો. ઘેર પુત્રો, પત્ની આદિને છોડીને દીક્ષા ગ્રહણ કરેલી. કોઈ વખતે તે ‘ઇરિયાવહી' (ક્રિયા) કરતા