SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ છિન્નઇ – છેદે છે, નાશ કરે છે જત્તિયાવારા - જેટલી વાર ઉ - જ, (વળી) સમણો ઈવ - સાધુ જેવો જમ્હા - જેથી, જે કારણથી બહુસો - વારંવાર, બહુવાર સવિદુ કુજ્જા - કરવું જોઈએ સર્વ પ્રકારે મિચ્છા મિ દુક્કડં - મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ નિષ્ફળ થાઓ. ॥ વિવેચન :- આ સામાયિક પારણ સૂત્ર કે સામાયિક પારવાનું સૂત્ર વ્યવહારમાં તેના આદ્ય શબ્દો ‘સામાઇય વયજુત્તો' નામે પ્રસિદ્ધ છે. અહીં જે સૂત્રપાઠ આપ્યો છે તે વર્તમાન કાળે વ્યવહારમાં પરંપરાથી પ્રસિદ્ધ પાઠ છે, તેનું જ વિવેચન કરવાનું છે. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકામાં જો કે સામાયિક પારણસૂત્રના અનુસંધાને કરાયેલ નોંધોમાં ‘વિધિપ્રપા’, ‘ષડાવશ્યક બાલાવબોધ-૧', ‘આચાર દિનકર', ષડાવશ્યક વિવરણ, ષડાવશ્યક બાલાવબોધ-૨, પ્રતિક્રમણ સૂત્ર-હસ્તપ્રત (સંવત-૧૬૭૮), પ્રતિક્રમણ વિધિ આદિ પ્રતોમાંથી ઘણી-ઘણી નોંધો લીધેલી છે. જેમાં આ ‘સામાયિક પારણ' સૂત્ર જે જુદી જુદી રીતે અને વિવિધ ગાથાઓમાં રજૂ થયેલ છે તેની સંપૂર્ણ નોંધ કરેલી છે. જિજ્ઞાસુઓ માટે ઘણી સારી માહિતી પૂરી પાડતી સંદર્ભ નોંધ છે. પણ અહીં અમે તો પ્રચલિત પાઠને જ સ્વીકારીને વિવેચન કરી રહ્યા છીએ. ૦ પાઠભેદ :- પહેલી ગાથામાં જ્યાં છિન્નરૂ' શબ્દ છે. ત્યાં જેનો આધાર સ્થાનરૂપે પ્રબોધટીકા કર્તા નિર્દેશ કરે છે તે ‘આચાર દિનકર' અને ષડાવશ્યક વિવરણમાં ત્યાં ‘છિંવર્' શબ્દ છે. બીજી ગાથામાં ‘સામામિ' એવો નિર્દેશ છે. જે ગાથા આવશ્યક નિર્યુક્તિ૮૦૧ રૂપે જોવા મળે છે અને વિશેષાવશ્યક ભાષ્યમાં પણ તે ૨૬૯૦માં ભાષ્યરૂપે મૂકાયેલ છે, ત્યાં ‘સામામિ' જોવા મળે છે. ૨૭૨ નિયમ સંજુત્તો - નિયમથી યુક્ત અસુરૂં કર્માં - અશુભ કર્મોને સામાઇઅંમિ - સામાયિકમાં કએ - કરતી વખતે, કરતાં સાવઓ હોઈ - શ્રાવક થાય છે એએણં કારણેણં - એ કારણથી .. ગુજરાતી પાઠ જૂની ગુજરાતીરૂપે આચાર દિનકર અને ષડાવશ્યક બાલાવબોધમાં હોવાનો ઉલ્લેખ કરે છે, તેનો પાઠભેદ નિર્દેશ કરતા નથી કેમકે તે વર્તમાનકાળે બોલાતી ગુજરાતી મુજબ પરિવર્તન પામેલ છે. • સામાઇયવય-જુત્તો – સામાયિક વ્રતથી યુક્ત - ૦ સામાફ્ક - શબ્દનું વિસ્તૃત વિવેચન સૂત્ર-૯ ‘કરેમિભંતે’માં જોવું. ૦ વય - વ્રત વિરમવું તે વ્રત. સામાન્યથી વ્રત શબ્દનો અર્થ વિરમવું-અટકવું, ત્યાગ, પ્રત્યાખ્યાન કે નિવૃત્તિ થાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રના અધ્યાય-૭ સૂત્ર-૧માં વિરતિવ્રતમ્ એમ કરીને વ્રતની વ્યાખ્યા આપી છે. તેથી વિરત થવું કે વિરામ પામવો તેને વ્રત કહેલું છે. – ઉત્તરાધ્યયન સૂત્રમાં વ્રત નો અર્થ ‘અવદ્યહેતુનો ત્યાગ' એમ કર્યો છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં વ્રત નો અર્થ ‘નિયમ’ કર્યો છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy