________________
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ ૧૩. અવૃષ્ટિ - અરિહંત વિચરે ત્યાં વરસાદનો અભાવ થતો નથી. ૧૪. દુર્ભિક્ષ - અરિહંત વિચરે ત્યાં દુષ્કાળ થતો નથી. ૧૫. સ્વ પર ચક્રભય - સ્વ કે પર રાષ્ટ્રનો કોઈ ભય રહેતો નથી. • દેવતાફત્ ૧૯ અતિશયો :૧૬. આકાશમાં ધર્મચક્રનું ચાલવું. ૧૭. આકાશમાં અહોનિશ શ્વેત ચામરોનું વિંઝાવું. ૧૮. પાદપીઠ સહિત આકાશમાં સ્ફટિકમય નિર્મળ સિંહાસનનું ચાલવું. ૧૯. અરિહંતના મસ્તક ઉપર ત્રણ છત્રોનું હોવું. ૨૦. રત્નમય ૧૦૦૦ યોજન ઊંચા ધ્વજનું આગળ-આગળ ચાલવું.
૨૧. ભગવંતને પગ મૂકવા માટે નવ સંખ્યામાં મૃદુ એવા સુવર્ણ કમળોની દેવો દ્વારા રચના કરાવી.
૨૨. સમવસરણમાં રજત, સુવર્ણ, રત્નમય મનોજ્ઞ ત્રણ ગઢોની રચના.
૨૩. ચતુર્મુખતા-ભગવંત દેશના આપવા બેસે ત્યારે ભગવંતના સમાન પ્રતિબિંબવાળા શરીરયુક્ત મુખોની બાકીની ત્રણે દિશામાં રચના થવી.
૨૪. અરિહંતો હોય ત્યાં ચૈત્યવૃક્ષ - અશોકવૃક્ષની રચના હોવી. ૨૫. અરિહંતો ચાલે ત્યાં-માર્ગમાં કાંટા પણ અધોમુખ થઈ જાય. ૨૬. (તથા) વૃક્ષોની ડાળીએ બંને તરફ ઝુકીને નમન કરે. ૨૭. એક કોડિ દેવ ભુવન વ્યાપી એવો દેવદુંદુભી નાદ કરે. ૨૮. સુખદ અને અનુકૂળ પવનનું વહેવું. ૨૯. અરિહંતને પક્ષીઓ પણ પ્રદક્ષિણા આપીને જાય છે. ૩૦. યોજન પ્રમાણ સુગંધી જળની વૃષ્ટિ દેવતાઓ કરે છે. ૩૧. દેવો અરિહંતને જાનુપ્રમાણ પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરે છે. ૩૨. દાઢી, મૂછ, રોમ, હાથ-પગના નખોની વૃદ્ધિ થતી નથી.
૩૩. જઘન્યથી પણ ભવનપતિ આદિ ચારે નિકાયના દેવો થઈને કુલ એક કરોડ દેવો અરિહંતની સેવામાં ઉપસ્થિત રહે છે.
૩૪. વસંત આદિ છે એ ઋતુની પુષ્પાદિ સામગ્રી વડે સર્વદા ઇન્દ્રિયોને અનુકૂળ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દોનો મનોજ્ઞ અને અનુકૂળ ભાવ રહે.
-૦- અરિહંત પરમાત્માની વાણીના પાત્રીશ ગુણો :• સાત ગુણો/અતિશય શબ્દની અપેક્ષાએ જાણવા :૧. સંસ્કારવન્ધ-વ્યાકરણ, શબ્દ સિદ્ધિ યુક્ત માગધી ભાષામાં વાણી હોવી. ૨. ઔદાત્ય - હૃદય આદિમાં ઉચ્ચ ભાવો પ્રવર્તે તેવી વાણી. 3. ઉપચારપરીતતા - કઠોર શબ્દો રહિત વાણી હોવી | અગ્રાચતા. ૪. મેઘગંભીર - મેઘના નાદ જેવી ગંભીર વાણી હોવી. ૫. પ્રતિવાદવિધાયિતા - પડઘા પડતા હોય તેવી - ગાજતી વાણી. ૬. દક્ષિણત્વ - સરલ વાણી, સુરાગ શબ્દો સહિત વાણી