SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કરેમિ ભંતે સૂત્ર-વિવેચન ૨૫૭ અર્થાત્ “ત્રિવિધ-ત્રિવિધે’ શબ્દો બોલે છે.) ૦ વિટું - બે પ્રકારે. આ શબ્દનો સંબંધ પૂર્વેના “સાવજ્જં જોગ' સાથે અને પછીના “ન કરેમિ ન કારવેમિ' સાથે જોડવાનો છે. – પચ્ચક્ખામિ શબ્દથી પહેલો પુરુષ એકવચન કર્તા દર્શાવ્યો અને વહેં શબ્દથી બે યોગને દ્વિતીયા વિભક્તિ-કર્મ રૂપે દેખાડેલ છે. - અર્થસંકલના એ રીતે થાય છે કે સાવદ્યયોગનું સેવન હું કરું નહીં અને કરાવું નહીં અર્થાત્ સાવદ્યયોગ સ્વયં સેવીશ નહીં અને બીજા પાસે સેવરાવીશ નહીં. - સાધુ-સર્વવિરતિધર અને ગૃહસ્થ-દેશવિરતિધર એ બંનેના સામાયિક મળે અહીં મહત્ત્વનો તફાવત છે. ગૃહસ્થ મિતે દ્વારા કરેલ પ્રતિજ્ઞામાં “દુવિરું બોલે છે કેમકે તેને કરું નહીં, કરાવું નહીં બે યોગ જ હોય છે. જ્યારે સાધુ અહીં તિવિહં શબ્દ બદલે છે કેમકે તેને કરું નહીં, કરાવું નહીં કરનારની અનુમોદના કરું નહીં એમ ત્રણ યોગ હોય છે. ગૃહસ્થને અનુમોદન રૂપ પાપ વ્યાપારનો ત્યાગ અશક્ય છે. તે પોતે પાપપ્રવૃત્તિ ન કરે, પણ તેના પુત્ર આદિ સ્વજન, નોકર આદિ પરિજન તો પાપકર્મ કરે જ છે, તેની અનુમોદનાનો ત્યાગ ગૃહસ્થને થતો નથી. તેથી વિટું કહ્યું ૦ તિવિM - ત્રણ પ્રકારે. આ પદનો સંબંધ ત્રણ સ્થાને જોડાય છે (૧) સાવજૂ૪ જોગ સાથે, (૨) ઠાણેણં વાયાએ કાએણે સાથે (૩) દુવિહં સાથે તે આ રીતે - પાપ્રવૃત્તિ હું મનથી, વચનથી, કાયાથી કરું નહીં અને કરાવું નહીં. - મન, વચન અને કાયા એ ત્રણ કરણ (સાધન) છે. આ ત્રણ કે તેમાંના કોઈ એક કે બે કરણ દ્વારા જીવ પાપપ્રવૃત્તિ કરતો હોય છે. એ ત્રણ કરણ હોવાથી તિવિડ એ પદ તૃતીયા વિભક્તિ એકવચનમાં મૂકાયેલ છે. ૦ પચ્ચક્ખાણની કોટિ (ભેદ) – – વિહં - બે યોગ અને તિવિહેણ ત્રણ કરણ છે. બે કે ત્રણ વડે ગુણવાથી છ કોટિ પચ્ચક્ખાણ થયું – અહીં પણ ગૃહસ્થ અને સાધના પચ્ચક્ખાણની કોટિ (ભેદ) સંખ્યા જુદી છે. કેમકે સાધુને તિવિદ તિવિહેni' એ પ્રમાણે પચ્ચખાણ હોવાથી સાધુનું પચ્ચક્ખાણ, ત્રણને ત્રણ વડે ગુણતા નવોટિ પચ્ચક્ખાણ થશે. ૦ સૂત્રમાં ક્રમ ભેદનું કારણ શું? પ્રશ્ન :- સૂત્રમાં સુવિર્દ શબ્દથી પાપના બે પ્રકારો કહીને તિવિ શબ્દથી ત્રણ કરણોનો નિર્દેશ કર્યો છે. હવે પછીના શબ્દો સૂત્રમાં “મણેણં વાયાએ કાએણે મૂક્યા છે અને પછી “ન કરેમિ ન કારવેમિ' મૂક્યું છે. ખરેખર વ્યાખ્યા કરવા માટે ન્યાય એમ કહે છે કે, વિર્દ શબ્દ પછી તેની વ્યાખ્યાના પદો જ આવે અને તિવિહેળ શબ્દ પછી તેની વ્યાખ્યાના જ પદો આવે એટલે કે સુવિહં પછી “ન કરેમિ ન કારવેમિ' આવે અને તિવિહેvi પછી મણે વાયાએ કાણ' આવે તેને બદલે સૂત્રમાં ક્રમ નિર્દેશ કેમ બદલ્યો છે ? સમાધાન :- સાધનોની પ્રધાનતા બતાવવા માટે અને પાપ વ્યાપારની ગૌણતા 1 [17]
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy