________________
૨૫૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
જણાવવા માટે ક્રમ ઉલટાવ્યો છે. કેમકે મન, વચન કે કાયારૂપ સાધનો હોય તો પાપપ્રવૃત્તિ થવાની છે અને જો સાધનો ન હોય તો પાપપ્રવૃત્તિ થઈ શકવાની નથી. અહીં પણ મન, વચન, કાયા દ્વારા ન વોરણ ન કરમ સમજવાનું છે. પાપ પ્રવૃત્તિનો આધાર આ ત્રણ સાધનો છે. આ સાધનોના યોગે જ પાપ પ્રવૃત્તિ થવાની છે માટે ક્રમ ઉલટાવ્યો છે.
૦ કરણથી પાપવ્યાપારનું લઘુદૃષ્ટાંત :
અભિચીકુમાર ઉદાયન રાજા અને પ્રભાવની દેવીનો પુત્ર હતો. જ્યારે ઉદાયન રાજાએ દીક્ષા લીધી, ત્યારે તેણે વિચારેલ કે જો હું મારા પુત્ર અભિચીને રાજ્ય સોંપીશ, તો તે રાજ્યમાં મૂર્ષિત થઈને ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરશે, તેથી રાજ્ય તેણે તેના ભાણેજ કેશીકુમારને સોંપ્યું અભિચીકુમારને મનમાં થયું કે હું રાજપુત્ર હતો, માતાપિતાને ઇષ્ટ હતો છતાં પણ રાજ્ય મને સોંપવાને બદલે મારા પિતાએ તેમના ભાણેજને સોંપ્યું અભિચી આવા પ્રકારના મહાનું અપ્રીતિરૂપ મનોમાનસિક દુઃખથી અભિભૂત થયો. તે રાજ્યમાંથી નીકળી બીજે ચાલ્યો ગયો.
ત્યારપછી અભિચી શ્રમણોપાસક થયો. જીવ-અજીવ આદિ તત્ત્વો જ્ઞાતા બની ગયો. પણ ઉદાયન રાજા પ્રતિ તેના મનમાં વૈરનો અનુબંધ ચાલુ જ રહ્યો. તેણે ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસકપર્યાય પાળ્યો. છેલ્લે અર્ધમાસિક સંલેખના પણ કરી, ત્રીશ. ભક્તનું છેદન કરીને અનશન પણ કર્યું. પણ મન વડે જે અશુભ પ્રવૃત્તિરૂપ ઉદાયન રાજા પ્રત્યેનો દ્વેષ હતો તેની આલોચના ન કરી, તો અસુરકુમારપણે દેવ થયો.
આ રીતે મનરૂપ કરણ વડે અશુભ પ્રવૃત્તિનો ત્યાગ --- તે શ્રાવક સાવદ્યયોગથી નિવૃત્ત ન થઈ શક્યો, શ્રાવકે સામાયિક દરમિયાન આવા મન, વચન, કાયાના કરણ વડે પાપ પ્રવૃત્તિ કરવી કે કરાવવી જોઈએ નહીં
૦ મણેણં વાયાએ કાએણે :- મન વડે, વચન વડે, કાયા વડે.
આ ત્રણે પદનો સંબંધ પૂર્વે જણાવ્યા મુજબ તિવિ શબ્દ સાથે છે. કેમકે – સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કર્યું. પણ સાવદ્ય યોગનું સેવન થાય કઈ રીતે ? તો કહ્યું ત્રણ કરણ વડે. કયા ત્રણ કરણ વડે થાય ? મન, વચન, કાયા વડે. એમ કહીને તિવિM પદનો અર્થ વિસ્તાર કર્યો
૦ મો - મન વડે. આ કરણ છે મને. તેનું તૃતીયા એકવચન થયું મUM. મન એટલે શું? આત્માથી ભિન્ન, દેહવ્યાપી અને પુદ્ગલનિર્મિત જે વસ્તુ વડે આત્મા મનન અથવા વિચાર કરી શકે છે તેને મન કહેવાય છે.
– મનન કરવું તે મન અથવા જેના વડે મનન થાય તે મન. આ મનના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ છે. દ્રવ્યમન એટલે તદ્યોગ્ય પુદ્ગલમય મન અને ભાવન તે મન્તા એટલે જીવ છે.
- મન એ આત્માથી ભિન્ન છે. તે માટે ભગવતીજી સૂત્રના ૧૩માં શતકના ઉદ્દેશક-૭માં પણ કહ્યું છે કે, હે ગૌતમ ! આત્મા એ મન નથી, મન અન્ય છે વળી મન એ દેહવ્યાપી છે, વિશેષાવશ્યક ભાષ્યકાર પણ તેની સાક્ષી આપતા કહે છે કે મન એ દેહવ્યાપી હોવાથી દેહની બહાર નથી.