________________
૨૫૫
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન કહ્યું કે, વ્રતનો અવસ્થાન કાળ જઘન્યથી મુહુર્ત પ્રમાણ જાણવો.
શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર - શ્રી રત્નશેખરસૂરિ તૂ ટીકામાં વિશેષ રૂપે સ્પષ્ટ કરતા કહ્યું છે કે, સામાયિક દંડકમાં (મિ ભંતે) માં નાવનિયમં પાઠથી બે ઘડીનો નિયમ નક્કી થતો નથી. પણ સામાન્ય પ્રકારે નિયમ છે. છતાં પણ વિવલાથી અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણ હોવાથી જઘન્યથી પણ સામાયિક બે ઘડી પ્રમાણ કહ્યું અને તે પ્રમાણે પ્રતિક્રમણ સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે, નાવનિયમ... સમાહS વિક્ર જાવ નિયમ એ પ્રમાણે વચન છે તે જો કે સામાન્ય વચન હોવા છતાં યે જઘન્યથી અંતર્મુહુર્ત (બે ઘડી) સુધી નિયમમાં રહેવું અને સમાધિ હોય તો તેથી આગળ પણ સામાયિકમાં રહેવું
- ૪૮ મિનિટ વિશે એક તર્ક :- "ચિત્ત શુદ્ધિ” ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધારણ કરવાથી થાય છે, શુભ ધ્યાન કોઈ એક વિષય પરત્વે બે ઘડીથી વધુ ટકી શકે નહીં. માટે સામાયિકનો સમય ૪૮ મિનિટનો કહ્યો. ૪૮ મિનિટથી એક ક્ષણ વધારે થાય એટલે ધ્યાનની ધારા પલટાઈ જવાની. તેમાં કોઈ ફેરફાર નથી. સિવાય કે ઉત્કૃષ્ટ ભાવોલ્લાસથી બે ઘડીના પુરુષાર્થમાં કેવળજ્ઞાન પામે.
૦ હવે નાવ પછીના બીજા શબ્દોની વિચારણા કરીએ
નાવ સાહૂ (ઝુવાસ) જ્યાં સુધી સાધુની (પર્યાપાસના કરું) ત્યાં સુધી. યોગશાસ્ત્ર તથા ધર્મસંગ્રહમાં આ શબ્દનો પ્રયોગ થયો છે.
– અહીં સાધુની પર્યપાસના કરું ત્યાં સુધી, એમ કહેવાથી સામાયિકમાં સાધુની આજ્ઞા-પાલનરૂપ ઉપાસના કરવી એ એક મુખ્યતા કહેલી છે. બીજી કાળની મર્યાદા બતાવેલી છે. આ કાળમર્યાદા માટે હાલ નવ નિયમં બોલાય છે. નવ શબ્દને આશ્રીને અહીં ત્રણ અર્થ કહ્યા છે. (૧) પરિમાણ, (૨) મર્યાદા અને (૩) અવધારણા-નિશ્ચય
(૧) પરિમાણ અર્થ – પર્યપાસના કરું ત્યાં સુધી પાપપ્રવૃત્તિનો ત્યાગ
(૨) મર્યાદા અર્થ – સાધુની પર્યાપાસના શરૂ કરું તે પહેલા અર્થાત્ સામાયિક શરૂ કરું તે પહેલાંથી પાપ વ્યાપારનો ત્યાગ કરું છું.
(૩) અવધારણા અર્થ – સાધુની પર્યાપાસના કરું ત્યાં સુધીને માટે જ હું પાપવ્યાપારનો ત્યજુ છું, તે પછી નહીં એમ સમજવું.
૦ અહીં સામાયિક કરનાર શ્રાવક બે પ્રકારના કહ્યા છે – (૧) ઋદ્ધિવાળો - મહર્તિક કે ધનાઢ્ય (૨) દ્ધિ વગરનો કે સ્વલ્પ ધનવાળો.
જે દ્વિરહિત છે તે ચાર સ્થાનમાં સામાયિક કરે. (૧) જિનમંદિરમાં મંદિર બહાર સભામંડપમાં (આ વિધિ હાલ પ્રચલિત છે), (૨) સાધુ સમીપમાં, (જ્યાં સાધુ ઉતર્યા હોય તે વસતિમાં, (૩) પૌષધશાળામાં (ધર્મક્રિયા કરવાના સ્થાનમાં), (૪) પોતાના ઘેર અથવા જ્યાં વિસામો લેતો હોય કે વ્યાપાર વગરનો હોય ત્યાં.
જો સાધુ સમીપે જઈને સામાયિક કરે તો – તેમ કરનારને કોઈ વૈરી, શત્રુ આદિનો ભય, કોઈ સાથે વિવાદ-તકરાર, કે દેવાનો ભય વગેરે ન હોવું જોઈએ. કેમકે તેવી સ્થિતિવાળા શ્રાવકને સાધુ પાસે જતાં માર્ગમાં તે લેણદાર વગેરેથી ઉપદ્રવ, ફ્લેશ વગેરે થવાનો સંભવ રહે છે. તેથી જેને ઉપરોક્ત ઉપદ્રવાદિ થવાનાં કારણો ન