________________
૨૫૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ૦ નાવ - સુધી, જ્યાં સુધી. આ શબ્દ પરિણામ કે મર્યાદાને સૂચવે છે. તેનો સંબંધ નિયમ (વગેરે) શબ્દો સાથે છે. આવશ્યક વૃત્તિકાર આ શબ્દનો “અવધારણા અર્થ કરે છે. વિશેષાવશ્યક ભાષ્યમાં તેની સ્પષ્ટતા કરતા ભાષ્ય ૩૫૧૬ થી ૩પર૧ની. રચના થઈ છે. તે મુજબ નાવ શબ્દના પરિમાણ, મર્યાદા અને અવધારણ એવા ત્રણ અર્થો કરાયા છે. તે પ્રમાણે
– પરિમાણ :- જ્યાં સુધી નિયમનું પરિમાણ છે ત્યાં સુધી. – મર્યાદા :- જ્યાં સુધી નિયમની મર્યાદા છે તે મર્યાદા પર્યન્ત. - અવધારણ :- જ્યાં સુધી નિયમ વર્તતો હોય ત્યાં સુધી, પછી નહીં.
ત્રણે શબ્દો સમાનાર્થી કે પર્યાયવાચી લાગતા હોવા છતાં તે ત્રણેમાં વિપક્ષા ભેદ છે. પણ આટલો કાળ સાવદ્યયોગના સેવનનો ત્યાગ અને સામાયિકની આરાધના કરવાની છે તે નાવ શબ્દથી સૂચવે છે.
૦ નિયમ - નિયમને, લીધેલી પ્રતિજ્ઞાને
નિયમ' એટલે પ્રતિજ્ઞા, વ્રત, નિશ્ચય આદિ. આ સૂત્રના આરંભે સામાયિક કરવી, સાવદ્ય યોગનો ત્યાગ કરવો એ બંને પ્રતિજ્ઞારૂપે મૂકાયેલ વાક્યો છે. આ પ્રતિજ્ઞાનું પાલન ક્યાં સુધી કરવાનું, તે દર્શાવવા માટે નવા નિયમ શબ્દ મૂકેલ છે.
નાવ શબ્દ પછી નિયમ શબ્દનો વાસ્તવિક અર્થ સમજતા પહેલા કેટલીક સ્પષ્ટતા કરવી આવશ્યક છે - જેની વિશેષ ચર્ચા પછીથી કરી છે.
(૧) નાવ પછી નિયમ શબ્દ પ્રસ્તુત સૂત્રમાં જોવા મળે છે. (૨) નાવ પછી સાદૂ શબ્દ વપરાતો હોવાનું કથન યોગશાસ્ત્રાદિમાં છે. (૩) નાવ પછી પોસદ શબ્દનો પાઠ પૌષધ કરે ત્યારે બોલાય છે. (૪) નાવવા, સૂત્ર પાઠ સર્વ વિરતિ સામાયિકમાં બોલાય છે.
આ ચારે કથનનું વિવરણ કરતા પહેલાં નાનયમ પ્રથમ કથન વિશે વિચારીએ, કેમકે તે મિતે ના પ્રસ્તુત પાઠમાં આવે છે.
નવ નિયH શબ્દ કહ્યો, પણ આ નિયમ - પ્રતિજ્ઞા ક્યાં સુધીની ?
સમગ્ર “કરેમિભંતે' સૂત્રમાં ક્યાંય સમય કે કાળ મર્યાદા જણાવી નથી. પણ ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પાWદેવની વૃત્તિ આદિમાં આ વિશે ખુલાસો મળે છે – ધર્મસંગ્રહમાં સમાવો મુહૂર્ત તત્ કહ્યું, યોગશાસ્ત્રમાં મુહૂર્ત સમતા થા તાં કહ્યું. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં વિરુક્ત મુહૂર્તઃ શબ્દો મૂક્યા. એ રીતે ગ્રંથાધારે એક મુહૂર્ત અર્થાત્ બે ઘડી એટલે કે ૪૮ મિનિટનો કાળ જણાવેલ છે.
નવ નિયમ શબ્દ થકી સમભાવની સાધના અને અશુભ પ્રવૃત્તિના ત્યાગ માટે ૪૮ મિનિટની કાળ મર્યાદા જાણવી.
યોગશાસ્ત્ર વિવરણમાં પણ જણાવે છે કે પરંપરાથી નવ પછી જે નિયમ શબ્દ મૂકાયો છે, વૃદ્ધ પરંપરાથી આ કાળ મુહૂર્ત પ્રમાણ અર્થાત્ ૪૮ મિનિટનો સમજાય છે. ઓછામાં ઓછા આટલા કાળ સુધી સાવદ્ય પ્રવૃત્તિનો હું ત્યાગ કરું છું. આ જ વાત શ્રી પાર્શ્વદેવે શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં થોડા જુદા શબ્દોમાં જણાવતા