SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ કરેમિ ભંતે સૂત્ર-વિવેચન ૨૫૩ અનંતવીર્યરૂપી ગુણ એ યોગ નથી, પણ જ્યારે તે વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે તે યોગ' કહેવાય છે. આ પ્રયોજન મન, વચન અને કાયા એ ત્રણ વડે જ થાય છે, એટલે ઉપચારથી તે ત્રણેને અથવા ત્રણેની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. આ વાત તત્ત્વાર્થાધિગમ સૂત્રકારે પણ અધ્યયન-૬ના સૂત્ર-૧માં જાયવાડુમન: કર્મ યોm: “કાયા, વચન, મનની ક્રિયા તે યોગ છે" એમ કહીને રજૂ કરી જ છે. યોગના દ્રવ્યથી અને ભાવથી એમ બે વિભાગ કરાય છે. તેમાં દ્રવ્ય યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ અને ભાવ યોગ તે વીર્યની વિશેષ પ્રકારે ફુરણા છે. ભાવયોગના પણ પ્રશસ્ત ભાવયોગ અને અપ્રશસ્ત ભાવયોગ એવા બે ભેદ છે. જો સખ્યત્વ આદિ ઇષ્ટ ગુણોની પ્રાપ્તિ અર્થે થયેલ વીર્ય સ્કૂરણ થાય તો તે પ્રશસ્ત ભાવયોગ કહેવાય જો તે મિથ્યાત્વ આદિ અનિષ્ટ ભાવોની પ્રાપ્તિ માટે થાય તો તે વીર્ય ફૂરણને અપ્રશસ્ત ભાવયોગ કહેવાય છે. આ પ્રશસ્ત યોગને સાવદ્ય યોગ કહે છે. - ઉક્ત વાતને સામાન્ય ભાષામાં સમજવા માટે તત્ત્વાર્થાધિગમના અધ્યયન૬ના આરંભિક ચાર સૂત્રો વિચારવા યોગ્ય છે. ત્યાં યોગનો સીધો-સાદો અર્થ કરતા લખ્યું કે કાયા, વાણી અને મનની પ્રવૃત્તિ તે યોગ. આ યોગ એ જ આસ્રવ (કર્મોને આવવાનું કાર) છે. તેમાં કર્મનો જે આસ્રવ પુણ્યના બંધ માટે થાય તેને શુભ આસ્રવ કહ્યો અને કર્મનો જે આસ્રવ પાપના બંધ માટે થાય તે અશુભ આસ્રવ કહ્યો. કરેમિ ભંતે. સૂત્રમાં સવિä નો - શબ્દથી આ અશુભ પ્રવૃત્તિ જ સમજવાની છે કેમકે સાવદ્ય શબ્દ પાપામ્રવનું સૂચન કરે છે. તથા યોગનો સામાન્ય અર્થ પ્રવૃત્તિ કરેલો છે. ૦ વિશ્વામિ - પ્રત્યાખ્યાન કરું છું, છોડી દઉં છું, ત્યાગ કરું છું. – પ્રતિ અને મા ઉપસર્ગપૂર્વક વ્યા ક્રિયાપદ એ “નિષેધ કરવો’, ‘પ્રતિષેધ કરવો’ અર્થમાં પહેલો પુરુષ એકવચનમાં પ્રત્યાધ્યામિ બનેલું છે. – અહીં પ્રતિ શબ્દ પ્રતિષેધ અર્થમાં, મા (ડુ) અભિમુખતા કે સન્મુખતા અર્થમાં અને રડ્યા કહેવું - કથન કરવું અર્થમાં પ્રયોજાયેલ છે. તેથી ગુરુ સન્મુખ (સાવદ્યકાર્યના) નિષેધપૂર્વકની જાહેરાત કરું છું તેવો અર્થ સમજવો. – સામાન્ય અર્થમાં (સાવદ્યયોગ) છોડવાની પ્રતિજ્ઞા કરું છું અર્થ થશે. - પ્રતિ + H + ક્ષ એ રીતે વ્યાખ્યા કરતા તેનો અર્થ કર્યો – પ્રતિષેધ પ્રવૃત્તિનું આદરપૂર્વક કથન કરવું તે પ્રત્યાવશે. નિવૃત્ત થવું અર્થમાં છે. (આ પ્રત્યાખ્યાનના પણ દ્રવ્ય, અત્સિા , પ્રતિષેધ, ભાવ ઇત્યાદિ ભેદ છે. ભાવ પ્રત્યાખ્યાનના પણ શ્રત અને નોકૃત - ભાવ પ્રત્યાખ્યાન એવા બે ભેદો છે. તે સર્વેનું વિવરણ આવ.નિ. ૧૦૪૦, ૧૦૪૧માં થયેલ છે.). • નવ નિવાં ઝુવાનિ - જ્યાં સુધી હું લીધેલ પ્રતિજ્ઞાને સેવું. ૦ - “કરેમિ ભંતે સામાઇયં કહ્યું તે સામાયિક માટે “સાવજુજે જોગ પચ્ચક્ખામિ" કહ્યું. પણ આ સામાયિક કરવાનું ક્યાં સુધી ? - તેનો ઉત્તર આ વાક્યમાં છે “જાવ નિયમ પજુવાસામિ" જ્યાં સુધી હું આ નિયમને - પ્રતિજ્ઞાને સેવું - પર્યાપાસના કરું – આરાધુ. (ત્યાં સુધી).
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy