________________
૨૪૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એવા પાંચ લક્ષણોથી ઓળખાય છે.
સખ્યત્વે બે પ્રકારે છે – તત્ત્વની શ્રદ્ધા તે સમ્યકત્વ - જે નિસર્ગથી અને અધિગમથી અથવા સમ્યકત્વ ત્રણ પ્રકારે છે - કારક, રોચક અને દીપક અથવા સમ્યક્ત્વ ત્રણ પ્રકારે છે - ઔપશમિક, માયોપથમિક અને સાયિક તેના ઔપશામક, સાસ્વાદન, લાયોપથમિક, વેદક અને સાયિક એમ પાંચ ભેદ છે.
૨. શ્રત સામાયિક :- તે દ્વાદશાંગીરૂપ છે. શ્રુત-સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ એમ ત્રણે પ્રકારે છે. અથવા અક્ષર શ્રત, અક્ષર શ્રત આદિ ઘણાં ભેદે છે અથવા શ્રુતજ્ઞાનમાં કહેલા ભેદો અનુસાર શ્રત સામાયિક જાણવી.
૩. દેશવિરતિ-ગૃહિક સામાયિક :- જેને અણુવ્રતમય ધર્મ કહે છે, તેમાં બાર વ્રતોનું આરાધન કરાય છે. તે વિવિધ ત્રિવિધાદિ ભેદોથી અનેક ભેદે હોય છે. પૃથકુ પૃથકુ એ સમ્યકત્વાદિ પર્યાયથી અનંત ભેટવાળા છે.
૪. સર્વવિરતિ-અનગારિક સામાયિક:- તે મહાવ્રતમય ધર્મ છે. જેમાં સર્વસાવદ્યના વર્જન સહિત પાંચ મહાવ્રતોની આરાધના છે – જે ક્ષાયિક, લાયોપથમિક, ઔપશમિક એમ ત્રણ પ્રકારે છે અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર એમ પાંચ પ્રકારે સર્વવિરતિ સામાયિક છે.
(આ ચારે સામાયિક કોને હોય ? ક્ષેત્ર, દિશા, કાળ, ગતિ ઇત્યાદિ અનેકવિધ ભેટે ચારે સામાયિકની વિસ્તૃત ચર્ચા આવશ્યક નિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં કરવામાં આવેલી છે. જેની અહીં નોંધ કરેલી નથી.)
• સામાયિકના આઠ ભેદો :- ગ્રંથકારો તેને સામાયિકના આઠ ભેદો તરીકે ઓળખાવે છે. આવશ્યક નિર્યુક્તિ-૮૬૪માં આ જ આઠ ભેદને સર્વવિરતિ સામાયિકના આઠ પર્યાયો તરીકે ઓળખાવેલ છે. તે આ પ્રમાણે છે–
(૧) સામાયિક (૨) સમયિક (૩) સમવાદ (૪) સમાસ (૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિજ્ઞા (૮) પ્રત્યાખ્યાન,
(૧) સામાયિક :- રાગ-દ્વેષના અંતરાલ મધ્યે જે સમ અર્થાત્ મધ્યસ્થ કહેવાય છે. મય નો અર્થ ‘ગમન' થાય છે. સમ અને લય માંથી સમય બન્યું તેને પ્રત્યય લાગવાથી સામયિ શબ્દ બન્યો. સામાયિક એટલે એકાંતે ઉપશાંતિગમન એવો અર્થ થાય છે. સામાન્ય અર્થમાં માધ્યસ્થ ભાવ અથવા રાગદ્વેષના અભાવની સ્થિતિ કહે છે.
સામાયિકના અર્થને સ્પષ્ટ કરવા દમદંત અણગારનું દૃષ્ટાંત છે.
હર્ષપુર નગરમાં દમદંત નામે એક પરાક્રમી રાજા હતો. તે જ્યારે જરાસંધને યુદ્ધમાં સહાય કરવા ગયો ત્યારે પાંડવ અને કૌરવોએ ઘેરો ઘાલીને હસ્તિનાપુર જીતી લીધું. પરંતુ દમદંત રાજાએ લડાઈ કરી પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું.
T કોઈ વખત દમદત રાજા પોતાના મહેલની અગાસીમાં બેઠો હતો. તે આકાશમાં જોતો હતો. વાદળાઓ ઘેરાય છે અને વિખરાય છે. મનમાં ચિંતનધારા પ્રગટી, આવા રમણીય વાદળ વિખેરાતા શી વાર લાગશે ? એ રીતે અનિત્ય ભાવના ભાવતા વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારને અસાર જાણી પુત્રને રાજ્ય સોંપી સંસાર ત્યાગ કર્યો