________________
કરેમિ ભંતે સૂત્ર-વિવેચન
૨૪૧
૦- ભજેત :- મન ક્રિયાપદ સેવાના અર્થમાં છે. તેનો અર્થ છે – મોક્ષ પામેલાઓને અથવા મોક્ષ માર્ગને જે સેવે છે તેથી ભર્જત કહેવાય છે અથવા મોક્ષ માર્ગના અર્થીઓએ જે સેવવા યોગ્ય છે તે (ગુરુ) ભજંત કહેવાય છે.
૦- બ્રાંત :- “પ્રમ્ ધાતુ અનવસ્થાન અર્થમાં છે તેનો પ્રતિ શબ્દ બને છે. ભ્રાંત એટલે મિથ્યાત્વ આદિ બંધ હેતુથી રહિત છે તે.
૦- ભાજંત :- બ્રાન્ ધાતુ દીપ્તિ અર્થમાં છે. જે જ્ઞાન અને તપગુણ વડે પ્રકાશે છે તે (આચાર્ય) બ્રાન્ત કહેવાય છે.
- ભાંત :- માં ધાતુ - બ્રાન્ ધાતુ પ્રમાણે જ જાણવું.
૦- ભગવંત :- ઐશ્વર્યાદિ છ પ્રકારનો ભાગ જેને છે તે ભગવાન્ (કે ગુરુ) કહેવાય છે. જેની વ્યાખ્યા સૂત્ર-૫ 'ઇરિયાવહી'માં જોવી.
૦- ભવાંત :- જે નારક આદિ ચાર ગતિ ભ્રમણરૂપ ભવનો અંત કરનાર છે, તેથી તેને ભવાંત કહે છે.
૦- ભદંત :- મદ્ ધાતુ કલ્યાણ અને સુખના અર્થમાં છે. તેના પરથી મહંત શબ્દ બન્યો છે. તેનો અર્થ કલ્યાણવાનું કે સુખવાનું થાય છે. કલ્યાણમાં કલ્ય શબ્દ આરોગ્યની પ્રાપ્તિ સૂચવે છે.
– ઉક્ત અર્થોમાં “ભંતે' શબ્દનો અર્થ કર્યો છે. પ્રાકૃતના વિવિધ નિયમો મુજબ તેના દ, ગ, જ, વ આદિનો લોપ થઈને “મંત' શબ્દ બને છે.
– અહીં ભય, ભજુ, ભવ ઇત્યાદિ શબ્દોને અંત લાગીને ભયાંત, ભજંત, ભવાંત, ભદંત આદિ શબ્દો બન્યા છે.
– આ બધાં ઉપરાંત હે પૂજ્ય ! એવો અર્થ પણ થાય છે. તેની વિશેષ વિગતો માટે સૂત્ર-૫ “ઇરિયાવહી' સૂત્ર જોવું
- મંતે શબ્દ પૂજ્યભાવનો બોધક છે. આ પદ પૂર્વે જણાવ્યું તેમ ગુરુને માટેનું આમંત્રણવાચી પદ છે અથવા આત્મ આમંત્રણ છે.
૦- ગુરુ આમંત્રણ કઈ રીતે ? ગુરૂકુળવાસમાં વસતા જેમ ગુણ ગ્રહણ કરવાને ગુણાર્થી શિષ્ય નિત્ય ગુરૂકુળવાસી થાય છે, તે જ્ઞાનનો ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં અતિશય સ્થિર થાય છે. તેઓએ આવશ્યક ક્રિયા ગુરુ સમીપે, ગુરુને પૂછીને કરવાના હોય છે તેથી મંતે શબ્દ દ્વારા ગુરુ આમંત્રણ એવો અર્થ સિદ્ધ થાય છે.
૦- આત્મ આમંત્રણ કઈ રીતે ?
ભગવતીજી સૂત્ર શતક ૧. ઉદ્દેશ-૯ કાલસ્ટવેષી અણગારે વીરપ્રભુના સ્થવીરોને પૂછયું - આપનું સામાયિક શું છે ? આપના સામાયિકનો અર્થ શો છે ? ત્યારે Wવીરોએ કહ્યું, આત્મા અમારું સામાયિક છે અને આત્મા એ જ સામાયિકનો અર્થ છે.
– આવશ્યક નિર્યુક્તિ ૭૯૦માં પણ “આત્મા જ સામાયિક છે.' તેમ કહ્યું.
બાકીની ક્રિયાનો ત્યાગ કરીને, એક સામાયિક ક્રિયાના નિયામકભૂત તે પદ સામાયિકના ઉપયોગથી આત્માને આમંત્રણરૂપ છે તેથી જેમ બાહ્ય ક્રિયાના નિષેધથી આવ્યંતર ક્રિયાનો ઉપયોગ કહેલો છે તેમ પડિલેહણાદિ સર્વ ક્રિયાઓની અનાબાધતા [1 [16]