________________
કરેમિ ભંતે-સૂત્ર
૨ ૩૯
-સૂત્ર-૯) કરેમિ ભંતે-સૂત્ર
સામાયિક સૂત્ર
- સૂત્ર-વિષય :- આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહાપ્રતિજ્ઞા છે. સાવદ્ય યોગનું મન, વચન, કાયા પૂર્વકનું ન કરવા - ન કરાવવાનું પચ્ચક્ખાણ છે. તેમજ તે સંબંધી પ્રતિક્રમણ, નિંદા, ગર્દાપૂર્વક આત્માના વોસિરાવવા સંબંધી કથન છે.
v સૂત્ર-મૂળ :
કરેમિ ભંતે ! સામાઇયે, સાવજૂ૪ જોગ પચ્ચકખામિ. જાવ નિયમ પવાસામિ, વિહં તિવિહેણં, મણેણં વાયાએ કાએણે, ન કરેમિ, ન કારવેમિ.
તસ્ય ભંતે ! પરિક્રમામિ, નિંદામિ, ગરિફામિ અધ્ધાણં વોસિરામિ. v સૂત્ર-અર્થ :
હે ભગવન્! (- હે પૂજ્ય !) હું સામાયિક (-સમભાવની સાધના) કરું છું. (તે માટે) હું સાવદ્યયોગ - પાપયુક્ત પ્રવૃત્તિઓનો ત્યાગ કરું છું. જ્યાં સુધી હું આ નિયમને એવું છું ત્યાં સુધી બે પ્રકારના કરણ અને ત્રણ પ્રકારના યોગ વડે (એટલે કે) મન વડે, વચન વડે અને કાયા વડે કરું નહીં કરાવું નહીં (આ છ ભેદે પાપ પ્રવૃત્તિનો ત્યાગ)
હે ભગવન્! (ભૂતકાળમાં થયેલી મારી) તે પાપ પ્રવૃત્તિથી હું નિવૃત્ત થાઉં છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, ગુરુની પાસે તેની ગર્તા-વિશેષ નિંદા કરું છું, પાપ સ્વરૂપ મારા બહિરાત્માને વોસિરાવું છું.
| શબ્દજ્ઞાન :કરેમિ - કરું છું, સ્વીકાર કરું છું ભંતે ! - હે ભગવન્!, હે પૂજ્ય ! સામાઇયં - સામાયિકને
સાવજે - સાવદ્ય, પાપયુક્ત જોગં - વ્યાપારને, પ્રવૃત્તિને
પચ્ચકખામિ - હું ત્યાગ કરું છું જાવ - યાવતું, જ્યાં સુધી
નિયમ - નિયમને લીધેલ પ્રતિજ્ઞાને પજુવાસામિ - પર્યપાસના કરું છું દુવિહં – બે પ્રકારે (કરણ, કરાવણ) તિવિહેણ - ત્રણ પ્રકારે (મન વગેરે). મણેણં - મન વડે વાયાએ - વચન વડે
કાએણે - કાયા વડે ન કરેમિ - ન કરું, કરું નહીં
ન કારવેમિ - ન કરાવું કરાવું નહીં તસ્સ - તેને, તે પાપયોગને
પડિક્કમામિ - નિવૃત્ત થાઉં છું નિંદામિ - આત્મસાક્ષીએ નિંદુ છું ગરિફામિ - ગુરુ સાક્ષીએ ગડું છું