________________
૨ ૩૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ – આ સૂત્રમાં ૨૮ પદ, ૨૮ સંપદા, ર૭ ગુરુવર્ણ, ૨૨૯ લઘુવર્ણ અને કુલ ૨પ૬ વર્ણોનો સમાવેશ થયેલો છે.
- ઉચ્ચારણ દૃષ્ટિએ આ સૂત્ર ખૂબ જ ધ્યાન આપવા લાયક છે. કેમકે જોડાક્ષરો અને અનુસ્વારોનું પ્રમાણ ઘણું જ છે, તેમાં બોલનાર ભૂલો કરતા પણ બહુ જ જોવામાં આવે છે. જેમકે, ‘લોગસ્સ' શબ્દ કેટલાંક સ્સનો સ બોલે છે. તો કોઈ વધુ શુદ્ધિના ભ્રમમાં ‘ગ્ગ' પણ બોલે છે. જોડીયા ‘ત્ત' ની ભૂલ તો સર્વ સૂત્રોમાં સમાન જોવા મળે જ છે. અનુસ્વારની દૃષ્ટિએ જ્યાં જ્યાં તીર્થકર ભગવંતના નામમાં તે એકલા અનુસ્વાર રૂપે છે ત્યાં ત્યાં અનુસ્વાર બહુ જ ઓછો બોલાતો જોવા મળેલ છે. જેમકે – સુમઇ, સંતિ, નેમિં ઇત્યાદિ – આ બધા સ્થાને શક્યતઃ ધ્યાન આપવું.
– આ સૂત્ર ભક્તિસભર, અત્યંત મનનીય, દર્શનવિશુદ્ધિના એક અમોઘ સાધનરૂપ અને મંત્રાક્ષરોથી ભરપુર છે.
—X
—
—
—