SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૭ લોગસ્સ સૂત્ર-વિશેષ કથન (૫) લોગસ્સમાંની પ્રાર્થના અન્ય સૂત્રોમાં પણ : જેમકે -- આરોગ્ય, બોધિલાભ, સમાધિ આદિની પ્રાર્થના લોગસ્સ સૂત્રમાં જોઈ તેવી જ પ્રાર્થના અન્યત્ર પણ જોવા મળે છે. જેમકે, “જયવીયરાય સૂત્રમાં સમાદિકર વે વોહિનામો ૩. એ જ રીતે વંદિત્ત સૂત્રમાં વિંતુ સમદિં ર વોટિ , અજિત શાંતિ સ્તવમાં મમ સંતિસમાવિર સિહ ઇત્યાદિ પ્રાર્થના-યાચના જોવા મળે જ છે. (૬) લોગસ્સ સૂત્ર-છંદ વગેરે : – સાત ગાથામાં પહેલી ગાથા ‘સિલોગ” છંદમાં છે. બાકીની છ ગાથા નહિ છંદમાં છે (પ્રબોધ ટીકામાં પ્રથમ ગાથા માટે “અનુરુપ” શબ્દ વાપરેલ છે.) લોગસ્સ કલ્પમાં પ્રત્યેક ગાથા સાથે આગળ-પાછળ મંત્રાક્ષર જોડી પ્રત્યેક ગાથાના મંત્રો આપેલા છે. જે વિવિધ કાર્યો માટે અલગ-અલગ રીતે ઉપયોગી થાય છે, તેમ ત્યાં વિધિ સહિત જણાવેલ છે. (૭) લોગસ્સ સૂત્ર સાહિત્ય : ૪૫ આગમોમાં ચાર આગમો મૂલ સૂત્રો રૂપે પ્રસિદ્ધ છે. જેમાંનું એક સૂત્ર છે કાવય - આવશ્યક (મૂલ સૂત્ર). આ સૂત્રમાં બીજું અધ્યયન-તે લોગસ્સ સૂત્ર. આ સૂત્ર પર ભદ્રબાહુ સ્વામીજી રચિત નિર્યુક્તિ છે. પૂર્વાચાર્યની ભાષ્ય ગાથાઓ પણ મળે છે. જિનદાસગણિ મહત્તર રચિત ચૂર્ણિ છે, શ્રી હરિભદ્રસૂરિજી તથા શ્રી મલયગિરિસૂરિ રચિત વૃત્તિઓ પણ મળે છે. ઉક્ત શાસ્ત્રો સિવાય ગ્રંથોમાં હેમચંદ્રાચાર્યજી રચિત યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, શાંતિસૂરિ રચિત ચૈત્યવંદન મહાભાષ્ય, દેવેન્દ્રસૂરિ રચિત વૃંદારવૃત્તિ, હરિભદ્રસૂરિજી રચિત લલિતવિસ્તરા, ટીકા, માનવિજયજી રચિત ધર્મસંગ્રહ, વર્તમાનસૂરિજી રચિત આચાર દિનકર આદિ ગ્રંથોમાં લોગસ્સ સૂત્રનો અર્થ અને વિવરણો મળે છે. તદુપરાંત મહાનિશીથ-છેદ સૂત્ર, ઉત્તરઝયણ-મૂલ સૂત્ર, ઉસરણ પયજ્ઞાસૂત્ર, નંદી-ચૂલિકા સૂત્ર, અનુયોગ દ્વાર-ચૂલિકા સૂત્ર આદિ આગમોમાં તેમજ ચૈત્યવંદન ભાષ્ય ગ્રંથમાં પણ ઉલ્લેખો મળે છે. (૮) લોગસ્સ સૂત્ર ઉપસંહાર : આ સૂત્રથી પ્રથમ ગાથામાં ચોવીસ તથા અન્ય જિનવરની સ્તવના-કીર્તન કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેમજ અરિહંત પદ ચાર વિશેષણપૂર્વક મૂકેલ છે. પછી બીજી, ત્રીજી, ચોથી ગાથામાં પહેલી ગાથાની પ્રતિજ્ઞાનુસાર ઝાષભાદિ તીર્થંકરની નામોચ્ચારણપૂર્વક સ્તવના કરવામાં આવી છે. પાંચમી ગાથામાં પ્રતિજ્ઞા પૂર્ણ થયાની વાત જણાવી તીર્થંકરનું સ્વરૂપ દર્શાવવાપૂર્વક “કૃપા કરવામાં માટે પ્રાર્થના કરવામાં આવી છે. છઠી ગાથામાં વિવિધ યાચના છે. સાતમી ગાથી સિદ્ધ સ્તુતિ સ્વરૂપે મૂકી અને મોક્ષ માટેની માંગણી કરી છે. v સૂત્ર-નોંધ :– આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. - આ સૂત્રનું આધાર સ્થાન આવશ્યકસૂત્ર-અધ્યયન-૨ છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy