________________
૨ ૩૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સિદ્ધિ - મોક્ષ, પરમપદની પ્રાપ્તિ, સિદ્ધિ. મમ વિસંત - મને આપો. (એ પ્રમાણે સૂત્રને અંતે કહે છે.)
– વે નિમર્તાિ સમગ્ર ગાથામાં ચંદ્રો અને સૂર્યો એવું બહુવચન મૂકવાનું કારણ એ છે કે, માત્ર જંબૂઢીપમાં બે સૂર્યો-બે ચંદ્રો છે. જ્યારે સમગ્ર વિશ્વમાં અસંખ્યાત ચંદ્રો અને અસંખ્યાત સૂર્યો છે.
– સર્વ સાધારણતયા વૃત્તિકાર કે ગ્રંથકાર મહર્ષિ અહીં સિદ્ધ શબ્દથી “સિદ્ધ ભગવંતો' એવો જ અર્થ કરે છે. ક્વચિત્ જ કોઈએ તેનો અર્થ જિનેશ્વર ભગવંતો એમ કર્યો છે. તેથી આ ગાથાને સિદ્ધ સ્તુતિ પણ કહે છે અને સિદ્ધિ પદની યાચના સિદ્ધો પાસે કરાઈ છે તેવું કથન પણ થયેલ છે.
વિશેષ કથન :- નામસ્તવ કે ચતુર્વિશતિસ્તવ રૂપ આ સૂત્ર કે જે છ આવશ્યકમાંનું બીજું આવશ્યક છે, તેના વિશેષ કથનરૂપે અનેક વિગતોનો વિચાર થઈ શકે તેમ છે. જેમકે–
(૧) લોગસ્સ સૂત્રના વિવિધ નામો :
પ્રાકૃતમાં – ચઉવીસન્થય, ચકવીસથય દંડ, ચકવીસ©વ, ચકવીસજિણસ્થય, ઉજ્જોએ, ઉજ્જો અગર, નામથય, નામજિણસ્થય આદિ.
સંસ્કૃતમાં - ચતુર્વિશતિસ્તવ, ચતુર્વિશતિ જિનસ્તવ, નામસ્તવ,
(૨) લોગસ્સ સૂત્ર ઉપયોગ :- સૌ પ્રથમ તો ઇર્યાપથ પ્રતિક્રમણનો સંબંધ અહીં ચાલી રહ્યો છે તેમાં લોગસ્સ સૂત્રનું પ્રયોજન છે જ. તદુપરાંત પ્રતિક્રમણમાં બીજા આવશ્યક રૂપે, દેવવંદન ક્રિયામાં સર્વ ચૈત્યોની વંદના પૂર્વે કાયોત્સર્ગમાં, કાયોત્સર્ગ અંતે કોઈ કોઈ સ્થાને, વિશિષ્ટ આરાધના નિમિત્તે કરાતા કાયોત્સર્ગ પૂર્ણ થયા બાદ એમ અનેક સ્થાને જોવા મળે છે.
(૩) લોગસ્સ સૂત્રનું સ્થાન :
૧. ચૈત્યવંદન ભાષ્યમાં દેવવંદનના “નમોજૂર્ણ આદિ બાર અધિકારો કહ્યા છે. તેમાં “લોગસ્સ' સૂત્ર તે ચોથો અધિકાર છે તેમ જણાવીને તેમાં નામ જિનને વંદના છે તેમ કહ્યું છે.
૨. શક્રસ્તવ, ચૈત્ય સ્તવ આદિ પાંચ દંડક સૂત્રોમાં તે નામસ્તવ નામે ત્રીજો દંડક કહેવાયેલ છે.
૩. પડાવશ્યકમાં તે બીજું આવશ્યક છે.
૪. વિવિધ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગની ગણના પ્રતિક્રમણ આદિ ક્રિયામાં હાલ લોગસ્સ સૂત્ર વડે જ કરાય છે.
(૪) લોગસ્સ - ચતુર્વિશતિ જિનરૂવરૂપે મહત્ત્વ :- ઉત્તરાધ્યયન સૂત્ર - “હે ભગવન્! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ કયા લાભને પ્રાપ્ત કરે છે ? હે ગૌતમ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી જીવ જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ લાભને પ્રાપ્ત કરે છે. બોધિ લાભથી તે જીવ કલ્પ વિમાનોમાં ઉત્પન્ન થવા પૂર્વક મોક્ષમાં જાય છે.