________________
૨ ૩૪
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
– આવશ્યક નિર્યુક્તિ અને તેની વૃત્તિમાં આ પ્રશ્નની ચર્ચા થયેલી છે. અહીં વિમવિ અર્થાત્ વિષય વિભાગથી વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી. તે આ રીતે - જો આ નિદાન હોય, તો તે કરાય નહીં. કેમકે સૂત્રમાં તેનો પ્રતિષેધ કરાયો છે. જો નિદાન ન હોય તો રિંતુ પદ જ વ્યર્થ છે.
તેનું સમાધાન આપતા કહ્યું છે કે, આ માંગણી તે નિદાન નથી. કારણ કે તે કર્મબંધમાં હેતુ નથી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુ છે. જ્યારે મુક્તિની પ્રાર્થનામાં આ એકનો પણ સંભવ નથી. વળી આરોગ્યાદિ આપો તેવું ઉચ્ચારણ પણ વ્યર્થ નથી કારણ કે તેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.
બીજું આ યાચનાઓ નિદાન ન હોય તો પણ દુષ્ટ જ છે. કેમકે તીર્થકરો કંઈ આપનારા છે તેમ માનો તો તેઓ રાગ આદિ યુક્ત ગણાશે. જો તેઓ કંઈ આપી શકતા નથી તેમ માનો તો આ પ્રાર્થના મૃષાવાદ છે.
– તેનું સમાધાન આપતા કહ્યું કે, આમાં કોઈ મૃષાવાદ નથી કેમકે આ અસત્યામૃષા ભાષા છે. અસત્યામૃષાભાષાના - આમંત્રણી, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા, અનભિગૃહીતા, અભિગ્રવિષયક, સંશયકરણી, વ્યાકૃતા તથા અવ્યાકૃતા એવા ભેદો છે. તે પૈકી અહીં “યાચની' અસત્યામૃષા ભાષાનો અધિકાર છે. કેમકે આરોગ્ય, બોધિલાભ અને ભાવસમાધિને આપો તે પદ યાચનાના અર્થમાં છે.
– આ જ વાત “હિંદુ' પદને આશ્રીને લલિત વિસ્તરામાં કરાઈ છે, ત્યાં ઉપરોક્ત કથન તો કર્યું જ છે, વધારામાં એવું કહ્યું છે કે, અહીં નિયાણાના લક્ષણો ઘટતા નથી કેમકે નિયાણું ઠેષ વશ, અત્યંત રાગવશ કે મોહ-અજ્ઞાનના કારણે થાય છે. ધર્મને માટે હીનકુલ વગેરેની પ્રાર્થના કરવી કે દ્ધિ વૈભવની અભિલાષા કરવી તે મોડ-અજ્ઞાન છે. તીર્થંકરપણાની ઇચ્છામાં પણ દોષ છે કેમકે તીર્થંકરપણું મળે તેવી ઇચ્છા કરવાનો નિષેધ છે. આ બધું શુભ પરિણામને બાધા કરનાર છે. નિદાનની ઇચ્છા જ ધર્મમાં વિદનભૂત છે કેમકે તેમાં ઋદ્ધિ આદિની પ્રધાનતાની અને ધર્મમાં ગૌણપણાની બુદ્ધિ આવે છે. પૌગલિક આશંસાત્મક નિદાન તત્ત્વદર્શનના અભાવવાળું છે અને મહાઅપાયનું કારણ છે. '
તો ‘તિ પદ સાર્થક છે કે નિરર્થક ? અહીં માત્ર એટલો જ ઉત્તર મહત્ત્વનો છે કે, ભક્તિપૂર્વક બોલાયેલી આ “અસત્યામૃષા' ભાષા છે તેનું ફળ પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય છે. તીર્થકરોનું પ્રણિધાન કરવાથી જ તેના પ્રણિધાન ગુણથી ફળની પ્રાપ્તિ થાય છે.
આ રીતે અહીં વપરાયેલ ‘હિંતુ પદ ભક્તિના યોગે તેમજ આરોગ્ય આદિ આપવામાં તેમની સ્તવના નિમિત્ત હોવાથી તે સ્વયં આપનારા જ ગણાય છે, એ અપેક્ષાએ “આપો" અર્થમાં સિદ્ધ થાય છે. (આ સમગ્ર વાત અત્યંત વિસ્તારથી અને સુંદરતમ રીતે લલિતવિસ્તરા ટીકામાં અપાઈ છે. તે ખાસ જોવી)
• ચંદેસુ નિમ્મલયરા :- ચંદ્રોથી વધુ નિર્મળ – વંસુ - ચંદ્રોથી, ચંદ્ર કરતા પણ, નિર્મનંતરા - વધુ સ્વચ્છ. જેમાંથી મન