________________
૨૩૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ બનાવાયેલ છે. જેમાં બોધિલાભની પ્રાપ્તિ અપેક્ષિત હોય તે ભાવ આરોગ્ય માટે જ સંભવે છે, દ્રવ્ય આરોગ્ય માટે નહીં.
– આ આરોગ્ય-બોધિલાભ નિદાનરહિત હોય તો મોક્ષ માટે જ થાય છે.
૦ લલિતવિસ્તરા ટીકામાં જણાવે છે કે, આરોગ્ય એટલે રોગરહિતપણું અર્થાત્ ભવરોગનો નાશ, કર્મરોગનો નાશ, સિદ્ધ, બુદ્ધ, મુક્તપણે રાગદ્વેષાદિ કુપથ્યના સેવનથી લાગેલા કર્મયોગે જીવને જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, પરાધીનતા વગેરેની વેદનાઓ ભોગવવી પડે છે. આ વેદના આપનાર કર્મ તથા કર્મસંયોગરૂપી સંસાર તે મહારોગ કહેવાય તેનો નાશ એટલે મોક્ષ, એ જ સાચું આરોગ્ય આ આરોગ્ય માટે બોધિલાભની માંગણી અહીં કરવામાં આવી છે. “હે સિદ્ધો ! મને તે આપો.”
• સમાવિનં-ઉત્તમ-રિંતુ :- સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ આપો. ૦ સમાહિ-વર :- ઉત્તમ એવી સમાધિ, પ્રધાન સમાધિ, ભાવસમાધિ.
– સમાધિ એટલે શું? સમાધાન એટલે સમાધિ અર્થાત્ શાંતિ, તૃપ્તિ કે સંતોષ આદિ. આવી સમાધિ બે પ્રકારે પ્રાપ્ત થાય. દ્રવ્યથી અને ભાવથી. જેના વડે સ્વાથ્ય સારું થાય તે દ્રવ્ય સમાધિ અધ્યવસાય વિશુદ્ધિ થવી તે ભાવસમાધિ. ભાવ સમાધિ શ્રેષ્ઠ હોવાથી તેને “વર સમાધિ' કહે છે.
– આવશ્યક વૃત્તિકાર પણ જણાવે છે કે, “દ્રવ્ય સમાધિ' તે છે કે જેના ઉપયોગથી સ્વસ્થપણું થાય અથવા જે વસ્તુઓનો પરસ્પર વિરોધ ન હોય. જ્યારે ‘ભાવસમાધિ' તો જ્ઞાન આદિના સમાધાનને અર્થાત્ જ્ઞાનાદિ ગુણોની આત્મામાં સારી રીતે સત્તા હોવી તેને જ કહેવાય છે કારણ કે તેની સત્તા હોય તો જ પરમ સ્વાથ્યનો યોગ થાય છે.
– અહીં સૂત્રમાં સમાધિ સાથે “વર' શબ્દ જોડેલ છે. કેમકે અહીં દ્રવ્ય સમાધિનો વ્યવચ્છેદ કરવો છે. “વર' એટલે પ્રધાન, પ્રધાન સમાધિનો અર્થ ‘ભાવસમાધિ કરેલ છે.
– આ “સમાધવર' શબ્દનો સંબંધ પૂર્વોક્ત ‘બાવિહિનામ પદ સાથે છે. કેમકે ભાવ આરોગ્ય માટે બોધિ લાભ જરૂરી છે. તે બોધિલાભ નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે. તેથી કરીને તેને માટે ભાવસમાધિની આવશ્યકતા છે. તેથી અહીં ‘ભાવસમાધિ' (આપ) એવો અર્થ કરવામાં આવેલ છે.
– ચૈત્યવંદન મહાભાષ્યમાં “મનની નિવૃત્તિ” તે સમાધિ એવો અર્થ કર્યો છે. તેના દ્વારા શ્રેષ્ઠ એવો બોધિલાભ થાય છે. એ રીતે અહીં શ્રેષ્ઠ ભાવસમાધિ અર્થ કરવાને બદલે “સમાધિ વડે શ્રેષ્ઠ એવો બોધિલાભ' એ પ્રમાણે અર્થ કરીને સમરિવર નો સંબંધ વોહિનામ સાથે જોડે છે.
૦ ઉત્તમ - ઉત્તમ, સર્વોત્કૃષ્ટ, ભાવસમાધિ પણ તરતમતા ભેદથી અનેક પ્રકારની હોવાને કારણે ઉત્તમ એવું વિશેષણ વાપરેલ છે. તેના દ્વારા અહીં ‘સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ' જ ગ્રહણ કરવાનું સૂચન છે. જ્યારે ચૈત્યવંદન-મહાભાષ્ય એમ કહે છે કે, વોહિલ્લામ નું સર્વ પ્રધાનપણું સૂચવવા માટે અહીં ઉત્તમ પદ મૂકેલ છે.
૦ હિંદુ - આપો. આ ક્રિયાપદ ઉક્ત ગાથાને આશ્રીને મૂકાયું છે - જેમના