SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર-વિવેચન ૨૩૧ મોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય એ ત્રણ પ્રકારના તમમ્ (અંધકાર)થી ઉન્મુક્ત થયેલા હોવાથી તે ઉત્તમ કહેવાય છે. - શ્રી હરિભદ્રસૂરિજી - ઉત્તમ નો એક અર્થ પ્રધાન એ પ્રમાણે કરે છે કેમકે - મિથ્યાત્વ આદિ કર્મકાળને તેઓએ પ્રબળ પુરુષાર્થથી દૂર કરી દીધો છે. જ્યારે બીજા જીવો હજી એ કલંકથી કલંકિત છે. તેથી કર્મકાળ રૂપ કલંકનો અભાવ હોવાથી તેઓ પ્રધાન-ઉત્તમ છે તેમ કહ્યું છે. ઉત્તમ શબ્દનો બીજો અર્થ ‘તમ થી ઉપર ચાલ્યા ગયા છે' એ પ્રમાણે કરેલ છે. કેમકે સંસ્કૃતમાં -તમસ પરથી ઉત્તમ શબ્દ સિદ્ધ થયેલ છે. ઉર્ એટલે ઉપર અને તેમનું એટલે અંધકાર. પ્રભુ અજ્ઞાનરૂપી અંધકાર સ્વરૂપ નીચેની ધરતી છોડીને શુદ્ધ જ્ઞાન પ્રકાશના ગગનમાં વિહરે છે. – ઉત્તHT - જેમનું તમન્ ઉચ્છન્ન થયું છે - નાશ પામ્યું છે માટે ઉત્તમ. – ઉત્તમ એટલે પ્રકૃષ્ટ. એવો અર્થ પણ થાય છે. ૦ સિદ્ધ - સિદ્ધ થયેલા. કૃતકૃત્ય થયેલા. – સિદ્ધા એટલે કૃતકૃત્ય થયેલા અથવા જેમણે શિવ, મોક્ષ કે કલ્યાણને પ્રાપ્ત કરેલ છે તે અથવા જેમના પ્રયોજનો સંપૂર્ણ થયા છે તે. – ‘સિદ્ધ' શબ્દનો અર્થ સૂત્ર-૧ ‘નમસ્કાર મંત્રમાં જોવો. • આરુગ્ગ-બોહ-લાભ :- આરોગ્ય તથા બોધિ લાભને. ૦ મા - રોગ ન હોય તેવી સ્થિતિ કે અરોગપણું તે આરોગ્ય તેને નીરોગીપણું પણ કહે છે. વૃત્તિકાર આરોગ્ય શબ્દનો અર્થ સિદ્ધપણું કરે છે. આરોગ્ય શબ્દથી શારીરિક-માનસિક બંને સ્વાથ્યનો નિર્દેશ થાય છે. ૦ વોહિનામ :- બોધિનો લાભ પણ બોધિ એટલે શું? બોધ થવો તે બોધિ. પરમાર્થનો બોધ થવો તે રૂપ બોધ અહીં સમજવાનો છે. સામાન્યથી વ્યવહારમાં બોધિનો અર્થ સમ્યકત્વ કરે છે, પણ સ્થાનાંગ સૂત્ર ત્રીજા સ્થાનમાં બોધિ ત્રણ પ્રકારે કહી છે – જ્ઞાન બોધિ, દર્શન બોધિ અને ચારિત્ર બોધિ. તેનો લાભ થવો તે. – બોધિ શબ્દનો અર્થ પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ કર્યો છે. તેના લાભને બોધિલાભ કહેવાય છે અથવા બોધિલાભ એટલે ભવાંતરમાં જિનધર્મરૂપ સંપત્તિની પ્રાપ્તિ અથવા અત્ પ્રણિત ધર્મની પ્રાપ્તિ ૦ લાવોહિત્નામું :- આ સામાસિક પદ દ્વિતીયા એકવચનમાં છે. આરોગ્ય અને બોધિલાભ તે આરોગ્ય-બોધિલાભ, આરોગ્યનો અર્થ સિદ્ધપણું સ્વીકારતા આ સિદ્ધપણા માટે બોધિલાભ અર્થાત્ અર્હત્ પ્રણિત ધર્મની પ્રાપ્તિ આવશ્યક છે. જો આરોગ્ય શબ્દ “રોગના અભાવ' રૂપે સ્વીકારીએ તો અહીં દ્રવ્ય આરોગ્ય કરતાં ભાવ આરોગ્ય અર્થની સ્વીકૃતિ વધુ યોગ્ય છે. કેમકે આરોગ્ય શબ્દનો સંબંધ બોધિલાભ સાથે છે. જો દ્રવ્ય આરોગ્ય એટલે કે શારીરિક સ્વાચ્ય ગ્રાહ્ય હોત તો આરોગ્ય માટે (બોધિ) જિનપ્રણિત ધર્મની પ્રાપ્તિ એમ ન કહેવાયું હોત. પણ આરોગ્ય શબ્દ અલગ જ રખાયો હોત. પણ સૂત્રમાં અલગ-અલગ શબ્દો ન રાખતા સમાસ કરી એક પદ
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy