________________
૨૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
વિવિધ વ્યાખ્યાઓ નોંધે છે. આવશ્યક નિયુક્તિમાં ભદ્રબાહુ સ્વામીએ પણ અનંત શબ્દની નિર્યુક્તિ રચી છે, જેના પર વૃત્તિ અને ચૂર્ણિ પણ છે તે મુજબ દંત પદના વિવિધ અર્થો આ પ્રમાણે છે
(આવશ્યક નિયુક્તિ-૯૨૧) જેઓ વંદન-નમસ્કારને યોગ્ય હોય છે, જેઓ પૂજા-સત્કારને યોગ્ય હોય છે તથા જેઓ સિદ્ધિ ગમનને યોગ્ય હોય છે તે અરહંત કહેવાય છે અહીં વંદન શબ્દથી મસ્તક નમાવવરૂપ અને નમસ્કાર શબ્દ વાણી દ્વારા નમન અર્થમાં વપરાયો છે. પૂજા શબ્દનો અર્થ વસ્ત્ર-માળાદિ દ્વારા પૂજન અને સત્કાર શબ્દથી અભ્યુત્થાન આદિને ગ્રહણ કરવું.
(આવશ્યક નિયુક્તિ-૯૨૨-પૂર્વાર્ધ) દેવ-અસુર અને મનુષ્યોની પૂજાને યોગ્ય હોવાથી અથવા તેઓની પૂજાને પોતાની યોગ્યતાને કારણે પ્રાપ્ત કરતા હોવાથી તેઓ અરહંત કહેવાય છે.
-
(હાનિશીથ સૂત્ર-૪૯૪) મનુષ્યો, દેવો અને અસુરોવાળા આ સર્વ જગતને વિશે આઠ મહા પ્રાતિહાર્યો આદિની પૂજાતિશયથી ઓળખાતા, અસાધારણ, અચિંત્ય પ્રભાવવાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ-ઉત્તમતાને વરેલા હોવાથી અરહંત કહેવાય છે. (ચઉસરણ પયન્ના શ્લોક-૧૪ થી ૧૭) રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને, દુષ્કર તપ અને ચારિત્રને સેવીને કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીને યોગ્ય તે અરહંત, સ્તુતિ અને વંદનને યોગ્ય, ઇંદ્ર અને ચક્રવર્તીની પૂજાને યોગ્ય, શાશ્વત સુખ પામવાને યોગ્ય તે અરહંત; બીજાના મનના ભાવોને જાણનારા, યોગીશ્વરો અને મહેન્દ્રોને ધ્યાન કરવા યોગ્ય અને ધર્મકથી તે અરહંત; સર્વ જીવોની કરુણાને યોગ્ય, સત્ય વચનને યોગ્ય અને બ્રહ્મચર્ય પાલનને યોગ્ય તે અરહંત (એવા વિવિધ અર્થો અરહંતના છે.)
અરુ ંત :- અરિહંતાણં શબ્દના પાઠાંતર રૂપે શાસ્ત્રકાર મહર્ષિઓ ત્રીજો પાઠ-ભેદ ‘‘અરુહંતાણં'' નોંધે છે. જેનું સંસ્કૃત રૂપ અરોમ્યઃ થાય છે.
(શ્રી ભગવતી સૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિજી જણાવે છે કે-) ‘“અરોહત્મ્યઃ'' અર્થાત્ ફરી ન ઉગવું કે ફરી ઉત્પન્ન ન થવું. કેમકે જેઓનું કર્મબીજ ક્ષીણ થઈ ગયું હોવાથી જેમને ફરીથી ઉત્પન્ન થવાપણું અર્થાત્ જન્મ લેવાનું થતું નથી, તેથી તેઓ ‘અરુહંત'' કહેવાય છે - જેમ બીજ જો અત્યંત બળી ગયું હોય તો તેમાંથી અંકુર ઉત્પન્ન થતા નથી, તેમ કર્મરૂપ બીજ જેઓનું સમૂળગુ નાશ પામેલ હોય તો તેમાંથી ભવરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી.
આ રીતે અરિહંત અરહંત અરુ ંત એ ત્રણ શબ્દોથી અરિહંતને વ્યાખ્યાયિત કર્યા. તેમાં અરિહંત અને અરુ ંત એ બંને શબ્દોનો અર્થ તો સિદ્ધ કે સામાન્ય કેવલી માટે પણ લાગુ પડી શકે છે. પરંતુ અત્યંત શબ્દનો અર્થ તો માત્ર તીર્થંકર કે જિનેશ્વર એવા અરિહંતોને જ લાગુ પડે છે. આ વાત અરિહંતોની અન્ય વિશેષતાઓથી પણ જોઈ શકાય છે
• અરિહંતપણાની અન્ય વિશેષતાઓ :
કર્મની ૧૫૮ પ્રકૃત્તિઓમાં એક છે તીર્થંકર નામ કર્મ, શુભ કર્મ પ્રકૃતિમાં