________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૨૭
કારણ સંબંધ દર્શાવતા કહે છે કે તીર્થકર ભગવંતો ‘વિધૂતરજોમલ' છે માટે જ પ્રક્ષીણ જર-મરણા' છે. ઉંમરનો હાસ અને મરણ અર્થાત્ પ્રાણોનો નાશ એ બંને આપત્તિ કર્મબદ્ધ અવસ્થાની છે, પણ જ્યારે કર્મો જ નથી રહ્યા તો જરામરણ દશા કઈ રીતે આવશે ? આત્મા નિર્મળ અને સર્વથા શુદ્ધ થયો તેથી અજરામર બન્યો.
– આ બંને વિશેષણોથી ભગવંત નિર્મળ અને અક્ષય કહેવાય છે. • ચઉવીસ પિ જિણવરા – ચોવીશ અને અન્ય જિનવરો. - ચઉવીસ પિ – આ શબ્દોનો અર્થ પ્રથમ ગાથામાં આવી ગયો. – જિનવરા - જિનોમાં શ્રેષ્ઠ એવા. નિન શબ્દ પણ કહેવાઈ ગયો છે.
– વિશેષ એ કે – પહેલી ગાથામાં વડવાસ પિ શબ્દ દ્વિતીયા બહુવચનમાં હતો જે અહીં પ્રથમા બહુવચનમાં છે. આ શબ્દથી ચોવીસે જિનવર તેમજ અન્ય પણ સર્વે જિનવરો કૃપા કરનારા થાઓ તે પ્રકારે પ્રાર્થના કરાઈ હોવાથી તેઓને કર્તારૂપે પ્રથમ વિભક્તિ સહ પ્રયોજાયેલ છે.
- નિનવરા શબ્દથી વૃત્તિકાર મહર્ષિ – “શ્રતાદિ જિનોથી પ્રધાન એટલે સામાન્ય કેવલિ અર્થાત્ કેવલજ્ઞાનીઓ એવો અર્થ કરે છે. કોઈક પ્રધાન શબ્દને સ્થાને પ્રકૃષ્ટ શબ્દ વાપરે છે. એ રીતે શાસ્ત્રકારો અને ગ્રંથકારો પોતાના વિવેચનમાં વિનવરી શબ્દથી કેવલજ્ઞાનીઓ અર્થ જ કરે છે. પરંતુ પછી તુરંત જ મૂકાયેલ તિસ્થયરી શબ્દ સાથે જોડી દેવામાં આવે તો કેવલજ્ઞાની તિર્થંકર એવો અર્થ થઈ શકે છે. જે પ્રમાણે પહેલી ગાથામાં પણ બિન આદિ શબ્દથી અર્થ કરેલ છે.
• તિત્થયરા મે પસીયંતુ :- તીર્થકરો મારા પર કૃપાવંત થાઓ. ૦ તિસ્થર :- તીર્થકર. આ શબ્દ પહેલી ગાથામાં કહેવાઈ ગયો છે.
– વિશેષ એ કે પહેલી ગાથામાં આ પદ દ્વિતીયા બહુવચનમાં હતું, અહીં આ પદ પ્રથમાં બહુવચનમાં છે. વળી તિસ્થયરી વિશેષ્ય પદ છે અને નવરા વિશેષણ પદ છે.
૦ મે - મારા ઉપર, મારા પરત્વે. ૦ પરીયંત - પ્રસાદવાળા થાઓ, કૃપા કરનારા થાઓ.
- પ્રસાદ એટલે મહેરબાની, પ્રસન્નતા, કૃપા, આશિષ, ઇત્યાદિ જેઓ પ્રસાદ કરવામાં તત્પર હોય તે પ્રસવાર કહેવાય. તેવા ગુણોથી યુક્ત તે પ્રભાવપરા અર્થાત્ પ્રસન્ન થાઓ. કૃપા કરો, આશિષ આપો.
– આવશ્યકવૃત્તિ તેમજ ગ્રંથકારો આ વાકયનો અર્થ “પ્રસાદ કરવામાં તત્પર થાઓ.” એ પ્રમાણે જ કરે છે. માત્ર ચૈત્યવંદન મહાભાષ્યમાં” સદા તોષવાળા થાઓ” એ પ્રમાણે કરે છે.
- અહીં એક પ્રશ્ન કરાય છે કે, જેમના રાગદ્વેષ આદિ સર્વ દોષો ક્ષીણ થઈ ગયા છે તે શ્રી વીતરાગ ભગવંતો પ્રસાદ (કૃપા) કેવી રીતે કરે ?
આ પ્રશ્નનો ઉત્તર વૃત્તિકાર અને ગ્રંથકારો કંઈક આ રીતે આપે છે– – ભગવંતો કલેશોનો ક્ષય થવાથી જ પૂજ્ય છે. જેઓ સ્તુતિ કરવાથી પ્રસન્ન