________________
૨૨૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ – આદરપૂર્વક ખવાયેલા કે નામ આદિથી કીર્તન કરાયેલા.
૦ આ ગાથાનો સંબંધ પૂર્વગાથા તથા ઉત્તરાર્ધ સાથે સમજવાનો છે. કેમકે “એ પ્રમાણે' શબ્દથી આરંભાતી આ ગાથા પૂર્વોક્ત ચોવીશે તીર્થકરનો ઉલ્લેખ કરે છે. એ ચોવીશે તીર્થકરોને મેં નામ લઈને સ્તવના કરી. હવે ગાથાના ઉત્તરાર્ધમાં જેમની સ્તવના કરી તે સર્વે અરિહંતો કેવા છે? તેની ગુણસ્તુતિ કરવામાં આવી છે–
૦ વિયરયમની - દૂર કર્યા છે. રજ અને મલ જેણે..
શાસ્ત્ર અને ગ્રંથોમાં રન શબ્દનો અર્થ “બંધાતુ કર્મ' એવો કર્યો છે અને “મ' શબ્દનો અર્થ “પૂર્વે બંધાયેલ કર્મ” એવો કર્યો છે. અથવા તો બંધાયેલ કર્મને “રજ' અને નિકાચિત કરેલા કર્મને “મલ' કહેલ છે.
કોઈએ ઇર્યાપથિક કર્મને “રજ' અને સાંપરાયિક કર્મને “મલ' કહ્યા.
૦ આ રીતે વિવિધ વ્યાખ્યાનું તારણ કાઢતા એવું કહી શકાય કે, જેમણે વિશિષ્ટ પરાક્રમ વડે સર્વ પ્રકારના કર્મોને દૂર કરી દીધાં છે તે
૦ વિય - પ્રકંપિત, ખંખેરાયેલ, દૂર કરાયેલ.
૦ સંપૂર્ણ પદનો સામાન્ય અર્થ કર્યો – “કર્મરૂપી કચરાથી મુક્ત”. કેમકે રજ અને મલ શબ્દ વ્યાખ્યાભદથી ભલે ભિન્ન હોય, પણ અંતે તો કર્મ જ છે. તે કર્મો પૂર્વના બાંધેલા હોય કે વર્તમાનમાં બંધાતા હોય અંતે ધ્યેય તો સર્વ કર્મોની નિર્જરા કરવી તે જ રહેવાનું. કર્મગ્રંથના મતે પછી પૃષ્ટ, બદ્ધ, નિધત્ત કે નિકાચિત ગમે તે કર્મ હોય તે સ્પષ્ટ-અડકીને રહ્યું હોય, બદ્ધ-જોડાયેલ કર્મ હોય, નિધત્ત-ગાઢ રીતે જોડાયેલ હોય કે નિકાચિત અર્થાત્ તાદાભ્ય પામેલું હોય, પણ મુમુક્ષુ દૃષ્ટિએ તો એક કચરો જ છે કે જે સાફ કરવાનો જ છે. તેથી અહીં ગુણસ્તુતિ રૂપે શબ્દ વાપર્યો “વિયરયમલા' – સામાન્ય કે વિશેષ પ્રકારે બંધાયેલા કર્મો જેણે દૂર કર્યા છે તે નિર્મળ શુદ્ધાત્મા એવા જિનવર-તીર્થકર.
પહણજરમરણા :- જરા અને મરણથી મુક્ત થયેલા.
જેમની સ્તવના કરી તે સર્વે અરિહંતની ગુણસ્તુતિ રૂપે પ્રણિધાન કરતા બીજું વિશેષણ મૂક્યું પહણજરમરણા.
૦ પીન - પ્રકૃષ્ટતયા હીન થયેલા, વિશેષ પ્રકારે ક્ષીણ થયેલા. ૦ નરી - વૃદ્ધત્વ, શરીરની હાની કે ક્ષીણતા, વયની હાનિ આદિ. ૦ મરણ - મૃત્યુ અવસાન આદિ.
– જેઓને હવે વૃદ્ધાવસ્થા આવવાની નથી કે મરણનો અનુભવ કરવાનો નથી તેઓ. (તેવા જિનવર-તીર્થકર).
– જરા અને મરણ તેમને જ હોય છે કે જે શરીરને ધારણ કરે છે કે અવતાર લે છે - જન્મે છે. આવો પુનર્જન્મ કે અવતાર કર્મો ભોગવવાના બાકી રહ્યા હોય, તો જ લેવો પડે છે. પણ તીર્થકરોને કોઈ કર્મ ભોગવવાનું બાકી હોતું નથી. તેથી તેઓ પુનર્જન્મ લેતા નથી, તેથી તેઓ જરા-મરણથી મુક્ત થયેલાં ગણાય છે.
– આવશ્યક વૃત્તિકાર અન્ય ગ્રંથકારો વગેરે પૂર્વોક્ત બંને વિશેષણનો કાર્ય