SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર-વિવેચન ૨ ૨૫ યુક્ત એવા ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. ૦ રહસ્યાર્થ :- આ સ્તુતિમાં અરિહંતની બે વિશેષતા પર પ્રકાશ પાડેલ છે. (૧) પરમાનંદપણું અને (૨) અભુત લક્ષ્મી. કોઈ પણ અરિહંતે મોડનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરેલો હોય છે, તેનાથી આત્માનો મૂળ ગુણ પ્રાપ્ત થાય છે. આવો ઘાતી કર્મ રહિત આત્મારૂપી હંસ પરમાનંદરૂપી સરોવરમાં ક્રીડા કરે છે. તેથી અરિહંતો માટે મરીનન્દ-સો-રાન-મરીન કહ્યા છે. (૨) અરિહંતોની અદ્ભુત લક્ષ્મી એટલે અનંત, જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય રૂપી લક્ષ્મી. અરિહંતોના આવા અદ્ભુત ગુણોને કારણે તેમને નમસ્કાર થાઓ. ૦ અંતે :- લોગસ્સ સૂત્રની ગાથા-૨, ૩, ૪માં રજૂ કરાયેલ ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોવીસ તીર્થકરોના નામોનો અર્થ અને સ્તુતિ બંને જોયા. નોંધપાત્ર વાત એ હતી કે, પ્રત્યેક તીર્થંકરનું નામ બે અર્થો ધરાવે છે. એક તો તેઓનું આ નામ કેમ પડ્યું બીજું તે પ્રત્યેકના નામોનો એવો અર્થ કે જે અર્થ સર્વ સામાન્ય બધાં તીર્થકરોને લાગુ પડતો હોય. – કેટલાંક પુસ્તકોમાં આ તીર્થકરના માતા, પિતા, નગરી આદિનો પરીચય અપાયેલ છે. અમે તેનો અત્રે ઉલ્લેખ કરેલ નથીઘણાં જ ગ્રંથો, પુસ્તકો તેમજ આવશ્યક નિર્યુક્તિ અને સમવાયાંગ સૂત્રમાં આ ઉલ્લેખો છે. છતાં વિશેષ રસવાળાઓએ અમારું “આગમ કથાનુયોગ ભાગ-૧” જોવું. તેમાં ચોવીસે અરિહંતોના એસી-એસી બોલ રજૂ કર્યા છે. હવે પછીની ત્રણ ગાથામાં પ્રણિધાન-પ્રાર્થના વિષયક અધિકાર આવે છે. પ્રથમ ગાથામાં પ્રતિજ્ઞા-સંકલ્પ રજૂ કર્યો. બીજીથી ચોથી ગાથામાં નામોચ્ચારણપૂર્વક અરિહંતોને ભાવવંદના કરી. હવેની ત્રણ ગાથામાં અરિહંતોના ગુણોના કિર્તન સહ ઉત્તમોત્તમ વસ્તુની પ્રાપ્તિ માટેની પ્રણિધાન-પ્રાર્થના કરવામાં આવી છે. જેમકે પ્રભુકૃપા, આરોગ્ય, બોધિલાભ, સમાધિ આદિ. • એવું મએ અભિથુઆ :- એ પ્રકારે મારા વડે સવાયા. ૦ - એ પ્રકારે. અનંતરોક્ત કે પૂર્વોક્ત પ્રકારે કે પ્રકાર વડે. અનંતરઉદિત વિધિ વડે. કહેલી વિધિ વડે ઇત્યાદિ અર્થો વં શબ્દના જોવા મળેલ છે. જેમાં મુખ્યતા બે શબ્દોની છે, કેટલાંક વં શબ્દનો અર્થ “કહેલી વિધિ મુજબ' કરે છે અને કેટલાંક ‘કહેલા પ્રકારો મુજબ' કરે છે. – અવં એક પ્રકારનો અવ્યય છે. જે કોઈપણ કથન, ક્રિયા કે વિધિના ઉપસંહાર આદિમાં આવે છે, જેનો સંબંધ પૂર્વોક્ત કથન કે વિધિ સાથે છે. ૦ મU - મેં મારા વડે. (સ્તુતિ કરનાર પોતાના માટે કહે છે.) ૦ ઉમથુઆ - સ્તવાયેલા, કીર્તન કરાયેલા. - અભિસ્તુતા એટલે અભિમુખપણા વડે સન્મુખ લાવીને સ્તવાયેલા, તેઓના પોત-પોતાના નામપૂર્વક કીર્તન કરાયેલા – અભિમુખ ભાવથી અથવા અપ્રમત્ત બનીને આવાયેલા તે અભિમુહા [1115
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy