________________
૨૧૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ સાધુ અને પ્રથમ તીર્થંકર હોય છે. તેથી એવા પરમપદ-મોક્ષ પ્રત્યે ગમન કરનારા સર્વે અરિહંતની અમે સ્તુતિ કરીએ છીએ.
(૨) અજિત :- ભરત ક્ષેત્રની આ ચોવીસીના બીજા તીર્થકર. ૦ સામાન્ય અર્થ :- પરીષહો અને ઉપસર્ગોથી ન જિતાયેલા તે અજિત.
- ઇન્દ્રિયો, વિષય, કષાય આદિ ભયાનક એવા અંતરંગ શત્રુઓ વડે જેઓ હેજ પણ જીતાયા નથી. તેથી ‘અજિત' કહેવાય છે. સર્વે અરિહંતોનું આ જ સ્વરૂપ છે.
૦ વિશેષ અર્થ - ભગવંત અજિતના પિતા જિતશત્ર અને માતા વિજયા પાસાથી જૂગટુ રમતા હતા. પહેલા હંમેશાં જિતશત્રુ રાજા જ જીતતા હતા પણ ભગવંત ગર્ભમાં આવ્યા પછી રાજા જીતતા ન હતા, પણ રાણી જીતતા હતા. અર્થાત્ પછી રાજા વડે રાણી કદાપી ન જીતાયા માટે તેમનું “અજીત’ નામ પડયું
– સકલાર્વત્ સ્તોત્ર-ગાથા-૪.
૦ વાચ્યાર્થ - જગના પ્રાણીઓરૂપી કમલોના સમૂહને વિકસાવવામાં સૂર્ય સમાન અને જેમના કેવળજ્ઞાનરૂપી દર્પણમાં આખું જગતું પ્રતિબિંબિત થયું છે એવા અરિહંત અજિતનાથની હું સ્તુતિ કરું છું.
૦ રહસ્યાર્થ - વિશ્વના પ્રાણીઓરૂપી કમલવનને ખીલવવા માટે સૂર્ય સમાન કહીને કેવળજ્ઞાન પછી ઉપદેશતાપણાનો ગુણ તેમજ કેવલજ્ઞાનરૂપી અરીસામાં આખા જગતનું પ્રતિબિંબ પડે છે કહીને તેમની દર્શન જ્ઞાન વિષયક પૂર્ણતાને સૂચવીને પરીષહ અને ઉપસર્ગોથી ન જીતાતા એવા સર્વે અ-જિત અરિહંતોની સ્તુતી કરી છે.
(૩) સંભવ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના ત્રીજા તીર્થકર – ૦ સામાન્ય અર્થ :- જેમનામાં ચોત્રીસ અતિશયરૂપ ગુણો વિશેષે સંભવે છે તે
- શં એટલે સુખ ભગવંતને જોતાં જ સર્વ જીવોને સુખ પ્રાપ્ત થાય છે તેથી શિવ. પણ પ્રાકૃતમાં શ નો તે થાય છે, તેથી સંભવ સર્વ કોઈ અરિહંત આ સ્વરૂપના જ હોય છે.
૦ વિશેષ અર્થ :- જે ભગવંત ગર્ભમાં આવ્યા બાદ દેશમાં અધિકાધિક સર્ચ - ધાન્યની નિષ્પત્તિ થઈ - અધિક ધાન્યનો સંભવ થયો માટે સંભવ
શ્રાવતી નગરીમાં ક્યારેક કાળના દોષથી... વારંવાર દુષ્કાળ પડ્યો ત્યારે સમસ્ત નગરજન-લોક અત્યંત દુઃખી થઈ ગયા હતા. તે વખતે જિતારી રાજાની (પત્ની) સેનારાણીની કુક્ષીમાં આ ભગવંતનું અવતરણ થયું. ઇન્દ્ર સ્વયમેવ આવીને
ત્યારે એના માતાની પૂજા કરી. સમસ્ત જગતને વિશે એક માત્ર સૂર્ય સમાન તેજસ્વી પુત્રના લાભની વધામણી આપી. તે જ દિવસે અચાનક ચારે બાજુથી સાર્થો આવ્યા. આ સાર્થો ધાન્યોથી પૂર્ણ હતા. તેથી ત્યાં સુકાળ થયો અને સુખની પ્રાપ્તિ થઈ. જેથી કરીને તેમના જન્મ સમયે સમગ્ર ધાન્યો એકઠા થયા તેથી તેમના માતા-પિતાએ તેમનું સંભવ એવું નામ રાખ્યું.
– સકલાત્ સ્તોત્ર - ગાથા-૫ – ૦ વાચ્યાર્થ :- ધર્મોપદેશ આપતા જેમની વાણી વિશ્વના ભવ્યજનોરૂપી બાગને