________________
૨ ૧૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ જેમકે સમનિ3 વ વગેરે. સામાન્યથી આ વે નો અર્થ ‘અને થાય છે જેમકે ઋષભ અને અજિત. પણ એક સ્થાને વે નો અર્થ ‘અથવા' થાય છે. વિરં પુર્વત માં રહેલો ૨ “અથવા અર્થમાં છે સુવિધિ અથવા પુષ્પદંત, કેમકે આ બંને નામો નવમાં તીર્થકરના છે. તેથી ત્યાં “અને અર્થ ન થાય. જો અહીં વે નો “અને અર્થ લઈએ તો તીર્થકર સંખ્યા ૨૫ થઈ જાય. પણ આ અગિયાર વખત ' ગોઠવવા પાછળનો કોઈ ગૂઢ આશય સૂત્રમાં જો હોય તો તેનું રહસ્ય શું છે તે એકપણ સંદર્ભ ગ્રંથમાં અમને જોવા મળેલ નથી.
-૦- વિM - જિનને આ શબ્દપ્રયોગ કુલ પાંચ વખત થયો છે. જેમાં પહેલી ગાથામાં આવેલ નિન શબ્દથી તેનો અર્થ કહેવાઈ ગયો છે. બીજી, ત્રીજી, ચોથી ગાથામાં પણ એક-એક વખત વિન શબ્દ આવે છે અને છઠી ગાથામાં નિન શબ્દ નિવર રૂપે મૂકાયેલ છે. ચોવીસ તીર્થકરોના નામોમાં પ્રત્યેક સાત-સાત જિનના અંતરે બિન શબ્દ છે. જેમકે સાતમાં - સુપાલં નિui પછી ચૌદમાં સત નિri 9 - પછી એકવીસમાં નમિતિ વ આ ગોઠવણમાં પણ કંઈક રહસ્ય કે હેતુ હોવો જોઈએ તેવું અનુમાન છે.
-૦- વત્ ક્રિયાપદ જે વેઢે અથવા વંમિ શબ્દથી રજૂ થયેલ છે. અર્થ તો સામાન્ય છે - હું વંદુ છું કે વંદન કરું છું. ગાથા ૨, ૩, ૪માં ત્રણ વખત વેવે અને બે વખત વંમ એમ પાંચ વખત વત્ ક્રિયાપદ વપરાયેલ છે. તે માટે ચૈત્યવંદના મહાભાષ્યમાં કહ્યું છે કે, વંદનાર્થક ક્રિયાપદનો વારંવાર પ્રયોગ આદર દર્શાવવા માટે છે, તેથી તેમાં પુનરૂક્તિ દોષ ન માનવો.
-૦- તદ- તથા. અંતિમ તીર્થંકરના નામ પૂર્વે પ્રયોજાયેલ છે. • ચોવીસ તીર્થંકરના નામોનો અર્થ :– અહીં પ્રથમ એક-એક તીર્થકરનો ક્રમ અને તેનું નામ જણાવેલ છે.
- નામની સાથે પ્રથમ તે નામનો સામાન્ય અર્થ જણાવેલ છે. આ સામાન્ય અર્થ એવો છે, જે (ચોવીસ) પ્રત્યેક તીર્થકરમાં ઘટાવી શકાય છે. એટલે કે તે અર્થ કોઈપણ અરિહંત પરમાત્માને લાગુ પડી શકે છે.
– સામાન્ય અર્થ પછી વિશેષ અર્થ જણાવેલ છે. આ વિશેષ અર્થ તે-તે ઋષભ આદિ અરિહંતમાં જ લાગુ પડે છે. કેમકે વિશિષ્ટ કારણથી આ અર્થ રજૂ થયો હોવાથી અન્ય તીર્થકરોમાં ઘટાવાયેલ નથી.
– જે વિશેષ અર્થ રજૂ થયો છે તેનું આધાર સ્થાન વિશ્વ નિજિ ૧૦૮૦ થી ૧૦૯૧ અને તેની વૃત્તિમાં છે, જેનો ઉલ્લેખ પડાવશ્યક બાલાવબોધ પણ છે.
– પ્રત્યેક નામના સામાન્ય અને વિશેષ એમ બંને અર્થોનો સંદર્ભ યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ, લલિતવિસ્તરા ટીકા, અભિધાન ચિંતામણી નામમાલા, ચૈત્યવંદન મહાભાષ્ય ઇત્યાદિ ઘણાં ગ્રંથોમાં છે.
- ક્રમ નામ, સામાન્ય અર્થ અને વિશેષાર્થ પછી અહીં એક વધારાની વાત સામેલ કરી છે – ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં અપાયેલ મંગલાચરણરૂપ સકલાર્વત્