________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
છે. જિન કદી રાગાદિ કારણે ફરી જન્મ ન લે. તે નિÈ પદથી અન્ય મતાવલંબીની માન્યતાના ઈશ્વરનો વ્યવચ્છેદ કરવા માટે આ પદ જરૂરી છે.
-
- જો એમ જ હોય તો નિળે પદ જ પુરતું છે, પછી લોગસ્સ ઉજ્જોઅગરે અને ધમ્મતિત્શયરે વિશેષણની કોઈ જરૂર નથી. કેમકે જિન તો નિયમા લોકઉદ્યોતકર અને ધર્મતિર્થંકર છે જ. ના, એવો નિયમ નથી. કેમકે આગમ સૂત્રોમાં વિશિષ્ટ શ્રુતધર, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, છદ્મસ્થ વીતરાગને પણ જિન કહેલા છે. જ્યારે અહીં સૂત્રમાં તો તેરમે ગુણઠાણે વર્તતા સર્વજ્ઞ અરિહંત જિન ભગવાનનું જ કીર્તન કરવાનું છે. તે માટે પૂર્વોક્ત વિશેષણો જરૂરી જ છે.
તો પછી અરિહંત પદ મૂકવાની શું જરૂર છે ? અહીં અરિહંત પદ તો વિશેષ્ય-વાચક છે. વિશેષણો કહ્યા પછી એવા વિશેષણવાળા કોણ છે ? તે માટે વિશેષ્ય પદની જરૂર ઉભી રહે છે. તેથી અરિહંત પદ આવશ્યક છે.
તો પછી અરિહંતે એક જ પદ પર્યાપ્ત છે. પૂર્વોક્ત પદની શી જરૂર છે - ના, આ વાત પણ અયોગ્ય છે. અરિહંત અનેક પ્રકારે કહ્યા છે. જેમકે - નામ અરિહંત, સ્થાપના અરિહંત, દ્રવ્ય અરિહંત-ગૃહસ્થપણે કે છદ્મસ્થ સાધુપણે રહેલા અને ભાવ અરિહંત–અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજિત સર્વજ્ઞ વીતરાગ. અહીં નામાદિ ત્રણે પ્રકારના અરિહંતને ન ગ્રહણ કરવા અને કેવળ ભાવ અરિહંતને જ સ્વીકારવા માટે પૂર્વોક્ત ત્રણે વિશેષણો જરૂરી છે.
—
--
—
1
-
તો પછી વેવરી પદની શી જરૂર છે ? કેમકે લોકઉદ્યોતકર, ધર્મતીર્થંકર, જિન એવા અરિહંત અવશ્ય કેવલી હોવાના જ. પછી ‘કેવલી’ એવું વિશેષણ મૂકવાનો શો અર્થ છે ? અહીં ખરેખર તો ‘ન્યાય' સમજવો પડે. ભાવ અરિહંતો કેવળજ્ઞાની હોય જ, કેવળજ્ઞાન વિના કોઈ ભાવ અરિહંત ન બને. અહીં કેવલી શબ્દ મૂક્યો તે અરિહંતનું સ્વરૂપ વિશેષ સૂચવવા માટે છે. અર્થાત્ અહીં સ્વરૂપ પ્રજ્ઞાપન અર્થે વિશેષણ પ્રયોગ થયો છે. માટે કશું જ ખોટું નથી.
છે ?
તો પછી માત્ર વતી કહેવું તે પર્યાપ્ત છે. અન્ય વિશેષણોની જરૂર જ ક્યાં ફક્ત કેવલી કહેવાથી શ્રુતકેવલી અને સામાન્ય કેવલી પણ ગ્રહણ થઈ જશે. આ સૂત્રમાં તો અરિહંત એવા કેવલી જ ગ્રહણ કરવાના છે. માટે અન્ય કેવલી ગ્રહણ ન થઈ જાય તે માટે પૂર્વોક્ત વિશેષણો જરૂરી છે.
ઉક્ત લોકઉદ્યોતકર, ધર્મતીર્થંકર, જિન, કેવલી એવા અરિહંતોમાં જે ચોવીશ અરિહંતોની નામોચ્ચારણ પૂર્વક સ્તવના કરવાની પ્રતિજ્ઞા કરી છે, તે ચોવીશ અરિહંતો કોણ ? એ વાત હવે પછીની ત્રણ ગાથામાં રજૂ કરી છે.
—
- લોગસ્સ સૂત્ર-ગાથા-૨, ૩, ૪માં અરિહંત પરમાત્માના નામો સિવાય હૈં, નિળ, વંટે/વામિ અને તર્ફે એ ચાર પદો (શબ્દો) આવે છે. પ્રથમ આ ચાર શબ્દોનો વિશેષાર્થ જોઈએ, પછી ચોવીશે તીર્થંકરના નામોનો વિશેષાર્થ સળંગ રીતે રજૂ કરેલ છે.
-૦- વ્ ગાથા ૨, ૩, ૪માં 7 શબ્દનો પ્રયોગ અગિયાર વખત થયો છે.
1 14
૨૦૯