________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
અરિહંત પરમાત્માના બે વિશેષણો - લોગસ્સ ઉજ્જોઅગરે અને ધમ્મતિત્શયરે પછી ત્રીજું વિશેષણ સૂત્રમાં મૂક્યું છે નિñ. આ પદ બીજી વિભક્તિ બહુવચનમાં વપરાયેલ છે. તેમાં મૂલ શબ્દ નિન છે. જે ખ઼િ ક્રિયાપદ પરથી બનેલો છે. નિ એટલે જિતવું. તેથી બિન નો સામાન્ય અર્થ ‘જિતનાર' થાય છે.
નિન - એટલે જેણે ક્રોધ, માન, માયા અને લોભ જીત્યા છે તે.
– નિન - એટલે રાગ, દ્વેષ, કષાયો, ઇન્દ્રિયો, પરીષહો, ઉપસર્ગો અને આઠ પ્રકારના કર્મોને જિતનારા.
---
૨૦૫
- બિન - રાગ આદિને જીતનાર તે જિન કહેવાય છે.
બિન - જેમણે રાગ, દ્વેષ અને મોહને જીત્યા છે તેઓ જિન કહેવાય છે. – નિન - રાગ, દ્વેષ મોહ આદિ અંતરંગ શત્રુઓને જિતનાર.
જો કે ઉક્ત વ્યાખ્યાઓ અરિહંતરૂપ જિન માટે જ વપરાયેલ છે અને લોગસ્સ સૂત્રમાં પણ અરિહંતના વિશેષણ રૂપે જ છે. પણ આગમસૂત્રમાં અવધિજ્ઞાની, કેવલજ્ઞાનવાળા, જિનકલ્પી, ચૌદપૂર્વી આદિને પણ જિન કહ્યા છે. આવા જ કોઈ કારણથી અરિહંત એવા જિનને જિનવર, જિનેશ્વર, જિનેન્દ્ર આદિ શબ્દોથી ઓળખાવાયા છે. લોગસ્સ સૂત્રમાં પણ ગાથા પાંચમાં નિળવરા શબ્દ મૂક્યો જ છે.
આ નિન શબ્દનો પ્રયોગ લોગસ્સ સૂત્રમાં પાંચ વખત અને પહેલી પાંચે ગાથામાં એક-એક વખત થયેલો છે.
―
• અરિહંત :- અર્હતોને,
આ શબ્દની અતિ વિસ્તૃત વ્યાખ્યા માટે જુઓ સૂત્ર-૧ ‘નવકારમંત્ર’ અહીં ફક્ત તેના સામાન્ય નિર્દેશ માટે મહાનિશીથ સૂત્રનો એક પાઠ આપેલ છે.
‘મનુષ્ય, દેવતા અને દાનવોવાળા આ સમગ્ર જગતમાં આઠ મહાપ્રાતિહાર્ય વગેરેના પૂજાતિશયથી ઉપલક્ષિત, અનન્યસશ, અચિંત્ય માહાત્મ્યવાળી, કેવલાધિષ્ઠિત, પ્રવર ઉત્તમતાને જેઓ યોગ્ય છે તે અનંત છે. સમગ્ર કર્મોનો ક્ષય થવાથી, સંસારના અંકુરા બળી જવાથી ફરીવાર અહીં આવતા નથી, જન્મ લેતા નથી, ઉત્પન્ન થતા નથી, તે કારણે તેઓ સ ંત કહેવાય છે. વળી તેમણે દુર્જય સમગ્ર આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને મથી નાખ્યા છે, હણી નાખ્યા છે, દળી નાખ્યા છે, પીલી નાખ્યા છે, નસાડી મૂક્યા છે અથવા પરાજિત કર્યા છે, તેથી તે અરિહંત કહેવાય છે. આ રીતે તેઓ અનેક પ્રકારે કહેવાય છે, નિરૂપણ કરાય છે, ઉપદેશાય છે, સ્થાપન કરાય છે, દર્શાવાય છે.
વિશેષ વ્યાખ્યા ‘નવકારમંત્ર'માં ખાસ જોવી.
♦ કિત્તઇસ્સું :- કીર્તન કરીશ, નામોચ્ચારણપૂર્વક સ્તવીશ.
ŕિ ક્રિયાપદનું ભવિષ્યકાળનું એકવચનનું રૂપ છે. સામાન્યથી આ પદનો અર્થ ‘“હું કીર્તન કરીશ’' એવો થાય છે. આ ક્રિયાપદ પ્રશંસા અર્થ પણ દર્શાવે છે. તેથી અહીં પ્રશંસા, ગુણાનુવાદ કે સ્તવના અર્થ પણ થઈ શકે.
વૃત્તિકારે તો સ્પષ્ટ કહ્યું છે કે - (તેમના-તેમના) પોતાના નામ-(ઉચ્ચારણ