SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર-વિવેચન ૨૦૩ – ધર્મ શબ્દ પૃ- ધારણ કરવું, એ ક્રિયાપદ પરથી બનેલો છે. તેનો અર્થ દુર્ગતિ અર્થાત્ નરક કે તિર્યંચગતિ. તે તરફ જઈ રહેલા જીવોને ધારણ કરીને અર્થાત્, અટકાવી રાખીને, તેમનો ઉદ્ધાર કરીને શુભ સ્થાનમાં એટલે કે મનુષ્યગતિ અને દેવગતિમાં સ્થાપી અને મોક્ષગતિના અધિકારી બનાવે છે. કેમકે દુર્ગતિના કારણરૂપ ક્રોધાદિ કષાયો અને હિંસાદિ દુષ્કૃત્યો છે. તેના બદલે તેના પ્રતિરોધી ક્ષમા આદિ તથા અહિંસા આદિ ધર્મોના સેવનથી દુર્ગતિના કારણો બંધ થશે અને સદ્ગતિનું શુભ સ્થાન પ્રાપ્ત થશે. – ધર્મ શબ્દથી - શ્રત અને ચારિત્રરૂપ ધર્મ આગાર અને અણગારધર્મ, અહિંસા, સંયમ, તપરૂપ ધર્મ, દાન, શીલ, તપ, ભાવરૂપ ધર્મ, ક્ષમા, માર્દવ, આર્જવ આદિ રૂપ દશવિધ ધર્મ, જિનાજ્ઞા રૂપ કે ચારિત્ર લક્ષણ ધર્મ, જિનપ્રણીત ભાવ શ્રદ્ધાનું આદિ લક્ષણરૂપ ધર્મ ઇત્યાદિ અર્થો જાણવા. ૦ તિર્થી :- તીર્થ, જેના વડે તારાય તે તીર્થ. – તીર્થના નામતીર્થ સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ અને ભાવતીર્થ એ ચાર ભેદ છે. તે એક-એક તીર્થના પણ અનેકવિધ ભેદો જાણવા. - સામાન્ય અર્થમાં તો પવિત્ર સ્થાન, પવિત્ર ક્ષેત્ર કે ભૂમિને આપણે તીર્થરૂપે જાણીએ છીએ જેમકે સિદ્ધક્ષેત્ર સમેત શિખર, ગીરનાર આદિ અને તીર્થ શબ્દનો સાહિત્યમાં અર્થ - નદીનો ઘાટ કે સમુદ્રમાં ઉતરાણ માટેની જગ્યા એવો થાય છે. જળાશયોમાં તરવાની ક્રિયાને પણ તરવું કહેવાય અને સંસારરૂપી સમુદ્રમાંથી તરી જવું તેને પણ તરવું કહે છે. પણ પહેલી ક્રિયા જે સ્થાનમાં, જેનાથી અથવા જેના વડે થાય છે, તેને દ્રવ્યતીર્થ કહે છે જ્યારે બીજી ક્રિયા જેના આશ્રયથી, જેના વડે કે જે સાધનોથી થાય છે તેને ભાવતીર્થ કહેવાય છે. -૦- દ્રવ્યતીર્થ :- વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે - દ્રવ્યતીર્થથી માગધ, વરદામ આદિનું ગ્રહણ કરાય છે. કેમકે તેનાથી બાહ્ય દાહનો ઉપશમ થાય છે. તૃષાપિપાસાનું છેદન થાય છે. તે જળસમૂડમાંથી બહાર કાઢે છે શરીરના બાહ્ય મલને તે ધોઈ નાંખે છે. (પણ આ ત્રણે ક્રિયા ફરી પણ કરવી પડે છે.) – ઇત્તર દર્શન તથા નદી આદિ તરવા માટેનાં સ્થાનો એ બધાં દ્રવ્યતીર્થ છે. કેમકે ત્યાં લોકો ડૂબી પણ શકે છે. તેમજ એક વખત તર્યા પછી ફરી પણ કરવાનું બાકી રહે છે. -૦- ભાવતીર્થ - ક્રોધ આદિના નિઝામાં સમર્થ એવા પ્રવચનને જ ગ્રહણ કરે છે. ઠેષરૂપી પવન વડે ઉત્પન્ન દાહનું તે ઉપશમન કરે છે. લોભના નિગ્રહ વડે તૃષ્ણારૂપી તૃષાનું છેદન કરે છે. ઘણાં ભવોની સંચિત એવી આઠ પ્રકારની કર્મરજનું તપ અને સંયમ વડે શોધન કરે છે અર્થાત્ નિવારણ કરે છે. વળી મોક્ષના સાધનરૂપ હોવાથી પ્રવચન જ ભાવથી તીર્થરૂપ છે. – પ્રવચન (સંઘ) આદિ ભાવતીર્થ છે કારણ કે તેનો આશ્રય કરનારા ભવ્યો ભવસાગરને નિયમો તરી જાય છે. પછી ભવસાગર તરવો પડતો નથી. -૦- તીર્થ શબ્દ તુ ક્રિયાપદથી બનેલો છે. તૃ એટલે તરવું તરવાનું ભવસાગરથી
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy