________________
૨૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
અપેક્ષાએ પરઉદ્યોતકર છે.
– દ્રવ્યોદ્યોતનો ઉદ્યોત પુદ્ગલ સ્વરૂપ હોવાથી તેમજ તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી પરિમિત ક્ષેત્રમાં પ્રકાશ કરે છે, જ્યારે ભાવોદ્યોત લોક અને અલોકને પ્રકાશિત કરે છે, માટે ભાવોદ્યોતનું સ્થાન મહત્ત્વનું છે.
– કેવલજ્ઞાનના પ્રકાશરૂપી દીપકથી તીર્થકર ભગવંતો સર્વલોકમાં પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે માટે તે ઉદ્યોતકર છે.
– કેવળજ્ઞાનના પ્રકાશથી અથવા તે પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી જિનેશ્વર ભગવંતો ઉદ્યોત કરવાના સ્વભાવવાળા છે.
– તીર્થંકર ભગવંતો પરમજ્ઞાનનો ઉપદેશ, સંશયોનું છેદન અને સર્વ પદાર્થોનું પ્રકટ કરવાપણું કરનાર હોવાથી ‘ઉદ્યોતકર' છે.
૦ લોગસ્સ ઉજ્જઅગરે - લોકના પ્રકાશ કરનારા લોક અને ઉદ્યોતકર બંને શબ્દોનો સંયુક્ત અર્થ આ પ્રમાણે થઈ શકે
– પંચાસ્તિકાયરૂપી લોકનો કેવળજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવોદ્યોત વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળા – એ અર્થમાં સિદ્ધ થાય છે.
– પદ્વવ્યાત્મક ચૌદરાજ પ્રમાણ લોકનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનારા છે.
- ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલાં છ દ્રવ્યો કે પંચ અસ્તિકાયોના અતીત, અનાગત, વર્તમાનકાલીન સર્વે ગુણો અને સર્વે પર્યાયોને પ્રત્યક્ષ જોઈને તથા જાણીને સમજાવનારા-પ્રકાશનારા અર્થમાં સિદ્ધ થાય છે.
• ધમ્મતિન્શયરે :- ધર્મ તીર્થકરોને, ધર્મરૂપી તીર્થન કરનારાઓને
– અરિહંત-પરમાત્માના વિશેષણોમાં પહેલું વિશેષ મૂક્યું–‘લોગસ્સ ઉજ્જો અગરે પછી બીજું વિશેષણ મૂક્યું “ધમ્મતિÖયરે. અહીં ધમ્મ, તિર્થી અને તિર્થીયર એ ત્રણ શબ્દોની વિચારણા કરવાની છે.
– થર્મો :- ધર્મ. આ શબ્દના શાસ્ત્રકારે અનેક અર્થો પ્રયોજ્યા, પ્રરૂપ્યા છે.
– દુર્ગતિમાં પડતા જીવોને જેના વડે ધારી (રોકી) રાખવામાં આવે છે, રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે છે, તેથી તે ધર્મ કહેવાય છે. ધર્મ બે પ્રકારનો છે (૧) દ્રવ્યધર્મ અને (૨) ભાવધર્મ તેમાંથી અહીં ધર્મ શબ્દથી ભાવધર્મ લેવાનો છે. આ ભાવધર્મ શ્રત અને ચારિત્ર રૂપ છે.
– ઘH નો સામાન્ય અર્થ – નીતિ, સદાચાર, શ્રદ્ધા, શાસ્ત્રોક્ત વિધિનિષેધ, આચાર, પુષ્ય, દાન, એક પ્રકારનો પુરુષાર્થ, ગુ, લક્ષણ, સ્વભાવ ઇત્યાદિ અર્થમાં પ્રસિદ્ધ છે.
જૈનદર્શન ઘર્મ શબ્દથી ધર્મ, ધર્મદ્રવ્ય, ધર્માસ્તિકાય, કુશલાનુષ્ઠાન, સંસારોદ્ધાર, આત્મવિકાસ, ચારિત્ર્યપાલન, સમ્યગ્દર્શનરૂપી આત્મપરિણામ, પુણ્ય, સુકૃત, મહાવ્રત, અણુવ્રત, દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવનાર, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ગુણ સમૂહ, અહિંસા, સંયમ, તપ, દાન, શીલ, તપ, ભાવ ઇત્યાદિ અર્થોમાં ધર્મ શબ્દ પ્રયોજાયેલ જોવા મળે છે.