________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨૦૧
– આ લોક પદ્વવ્યાત્મક કે પંચાસ્તિકાયાત્મક ચૌદરાજ પ્રમાણ છે.
-- એકાર્થિક એવા ચાર શબ્દોથી લોકના આઠ ભેદ કહ્યા છે – આલોક, પ્રલોક, લોક, સંતોક અર્થમાં પૂર્વોક્ત નામ, સ્થાપના, દ્રવ્ય આદિ આઠ ભેદ છે.
- જેનું લોકન (ત્નીયતે રૂતિ), અવલોકન, સંલોકન, પ્રલોકન આદિ પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાનથી થાય છે તેને લોક કહેવાય છે. નિરાવરણ પ્રત્યક્ષ જ્ઞાનથી પાંચે અસ્તિકાય સ્વરૂપ નિખિલ વિશ્વ જોઈ શકાય છે માટે લોક શબ્દથી પંચાસ્તિકાયાત્મક લોક લેવો.
- જ્ઞાનરૂપ પ્રમાણ વડે જેનું અવલોકન થાય તે લોક.
ઉજ્જો અગરે :- ઉદ્યોત કરનારાને, પ્રકાશ કરનારાને.
બીજી વિભક્તિ બહુવચનમાં આવેલા આ પદમાં મૂલ શબ્દ પર છે. તેનો અર્થ છે - ઉદ્યોતકર. ઉદ્યો એટલે તેજ, પ્રભા, પ્રકાશ આદિ. અહીં ડર્ ઉપસર્ગપૂર્વક ઘુત્ ક્રિયાપદ છે. દુત નો વિશેષ અર્થ દર્શાવવું કે સ્પષ્ટ કરવું એવો પણ થાય છે. તેથી કોઈપણ વસ્તુનું સ્વરૂપ પ્રકાશવું તેને પણ ઉદ્યોતુ કહેવાય છે. તેથી ઉદ્યોતકર એટલે પ્રકાશ કરનાર, પ્રગટ કરનાર, યથાર્થ રીતે સમજાવનાર એવા અર્થો થાય છે.
ઉદૂદ્યોત-પ્રકાશ બે પ્રકારનો છે – (૧) પુદ્ગલ પરિણામી અને (૨) આત્મ પરિણામી, જે પુદ્ગલ પરિણામી પ્રકાશ છે તે પુદ્ગલના પર્યાયો કે રૂપાંતર વડે ઉત્પન્ન થાય છે. જેમકે સૂર્યનો તડકો, ચંદ્રનો ઉજાસ, અગ્નિ, ઉદ્યોત, વીજળીની રોશની, રત્નમણિની પ્રભા ઇત્યાદિ. શબ્દ, અંધકાર, પ્રકાશ, કાંતિ, છાયા, આતપ, વર્ણાદિ એ બધાં પુગલના લક્ષણો છે. પણ પુદ્ગલ પ્રકાશ જ છે અને તે જડ અંધકારનો જ નાશ કરે છે.
જ્યારે આત્મપરિણામી પ્રકાશ આત્માના ગુણ પ્રગટ થવાથી ઉત્પન્ન થાય છે. જે સામાન્ય રીતે 'જ્ઞાન' સંજ્ઞાથી ઓળખાવાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અથવા ભય વડે જ્ઞાનનો પ્રકાશ થાય છે. જ્યારે છાઘસ્થિક કર્મો પૂર્ણતયા નાશ પામે ત્યારે આત્માના દર્શન અને જ્ઞાનરૂપી ગુણો પૂર્ણતયા પ્રગટ થાય છે. આવા ગુણ અરિહંતોને પ્રગટ થવાથી તેઓ સર્વ વસ્તુના સર્વ ભાવોને યથાર્થ રીતે સમજાવી શકે છે. તેને ઉદ્યોત કર્યો તેમ કહેવાય છે. જે ઉદ્યોતકર અરિહંતો છે.
– આ જ વાત વૃત્તિકાર જુદા શબ્દોમાં કહે છે. જેના વડે પ્રકાશ કરાય તે ઉદ્યોત. આ ઉદ્યોત બે પ્રકારે છે – (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. દ્રવ્યોદ્યોત – તે પુગલ પરિણામી છે. જે મૂર્ત એવા ઘટ-પટ આદિને દેખાડે છે. જ્યારે જ્ઞાન એ ભાવઉદ્યોત્ છે. “જેના વડે યથાવસ્થિત રીતે વસ્તુ જણાય તે જ્ઞાન છે. તે જ્ઞાન એ જ ભાવોદ્યોત છે. તેને માટે કહ્યું છે કે, “કેવળજ્ઞાનથી ઉત્પન્ન થનારો ઉદ્યોત તે ભાવઉદ્યોત છે. જિનેશ્વરો દ્રવ્યોદ્યોતથી લોકનો ઉદ્યોત કરનારા નથી હોતા, પરંતુ તીર્થકર નામકર્મના ઉદયથી અતુલ્ય પરોપકાર કરવા દ્વારા ભાવઉદ્યોત કરનારા હોય છે.
– ઉદ્યોતકર પણ બે પ્રકારના હોય છે. સ્વઉદ્યોતકર, પરઉદ્યોતકર. તીર્થકર પરમાત્મા બંને પ્રકારે ઉદ્યોતકર છે. સ્વ આત્માને ઉદ્યોતિત કરવા દ્વારા તેઓ સ્વઉદ્યોતકર છે અને લોકમાં પ્રકાશ ફેલાવનાર વચનરૂપી દીપકની અપેક્ષાએ બાકીના ભવ્ય જીવ