________________
૨૦૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
વિભાગથી તે ચૌદ રાજલોક પ્રમાણ છે.
ચૌદ રાજલોકનો આકાર કેડે બંને હાથ રાખીને, બે પગ પહોળા કરી વ્હાર ઉભેલા પુરુષ જેવો છે. તેમાં પગથી કેડ સુધીનો ભાગ ‘અધોલોક' કહેવાય છે. નાભિપ્રદેશ તે ‘તિર્યગલોક' કહેવાય છે અને ઉપરનો ભાગને ઉર્ધ્વલોક કહેવાય છે. તે સમગ્ર લોકની ઊંચાઈના ચૌદ સરખા ભાગ કલ્પવા તેને ચૌદ રાજ કે ચૌદ રજૂ કહેવાય છે. તેવો ચૌદ રાજ પ્રમાણ જે લોકને ચૌદ રાજલોક કહેવાય છે
એક રાજનું પ્રમાણ ઘણું જ મોટું હોવાથી તેને યોજનોની સંખ્યા વડે દર્શાવવું અશક્ય છે. તેથી તેને ઉપમા વડે દર્શાવાય છે. જેમ કે પલકારા માત્રમાં લાખ યોજના જનારો દેવ છ માસમાં જેટલું અંતર વટાવે તે રજૂ અથવા એક રાજપ્રમાણ કહેવાય. અથવા ૩,૮૧,૨૭,૯૭૦ મણનો એક ભાર એવા ૧૦૦૦ ભારવાળા તપેલા ગોળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતો કરતો છ માસમાં જેટલું અંતર કાપે તેને રજ્જ' કહેવાય છે. જો કે આ તો ઉપમા માત્ર છે એક રજુ તો અસંખ્યાતા યોજનોનો થાય છે.
જૈન શાસ્ત્રાનુસાર વર્ણનાનુસાર સાત રાજથી કંઈક વધારે ભાગમાં અધોલોક આવેલો છે અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં ઉર્ધ્વલોક આવેલો છે. વચ્ચેનો ૧૮૦૦ યોજનનો ભાગ જે છે તે સાતમાં રાજલોકને અંતે અને આઠમાંના આરંભે છે તેને તિછ કે તિર્ય– લોક કહે છે. તેથી ચૌદ રાજલોકને ત્રિલોક પણ કહે છે.
આ ચૌદ રાજલોકમાં સૌથી નીચે માઘવતી પ્રતરમાં સાતમી નરક છે તેની ઉપર મઘા નામક પ્રતરમાં છઠી નરક છે, તેની ઉપર રિઝા નામક પ્રતરમાં પાંચમી નરક છે, તેની ઉપર અંજના નામક પ્રતરમાં ચોથી નરક છે. તેની ઉપર શૈલા નામક પ્રતરમાં ત્રીજી નરક છે. તેની ઉપર વંશા નામક પ્રતરમાં બીજી નરક છે તેની ઉપર ધર્મા નામના પ્રતરમાં પહેલી નરક છે. આ ધર્મા પ્રતરના જ ઉપરના ભાગમાં વ્યંતર અને ભવનપતિ દેવોના સ્થાનો આવેલા છે. એ રીતે સાત રાજલોક પૂરા થાય છે.
આ રીતે સાત રાજ પુરા થાય ત્યાં ઉપર તીછલોક આવેલો છે. આ મનુષ્યલોક પણ આ તીર્થાલોકની મધ્યમાં જ આવેલો છે. તેની ઉપર ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષ ચક્ર આવેલ છે. એ જ ઉર્ધ્વલોકમાં ક્રમશઃ ઉપર-ઉપર દેવલોકોના સ્થાનો છે, તે રીતે બાર દેવલોકો છે. બાર દેવલોક પુરા થયા પછી ઉપર તે પુરુષના ગળાના ભાગે નવ રૈવેયક આવેલા છે. આ નવે રૈવેયકોની ઉપર પાંચ અનુત્તર વિમાનો આવેલા છે અને ચૌદ રાજલોકમાં સૌથી ઉપર સિદ્ધશિલા છે.
આ રીતે સ્ત્રીસ શબ્દના 'લોક' શબ્દનો અર્થ ષડ્રવ્યાત્મક, પંચ અસ્તિકાયાત્મક અને ચૌદ રાજલોકનો પ્રદર્શક છે.
સંક્ષેપ લોક શબ્દનો અર્થ કરીએ તો - લોક એટલે :
- નવચતૈSiાં તો - જે દેખાય તે લોક (પણ આપણી દૃષ્ટિ તો મર્યાદિત જુએ છે. તેથી વૃત્તિકારે લોકનો અર્થ સ્પષ્ટ કરતા કહ્યું કે
- પ્રમાણ વડે જે દેખાય, જે સિદ્ધ થાય તેને લોક કહેવાય છે.