________________
૧૯૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સાથે જોડાયેલ કાયોત્સર્ગ રૂપે પણ હોય અને આરાધનાદિ ક્રિયાના ભાગ સ્વરૂપે પણ હોય. જે નિમિત્તે કાયોત્સર્ગ હોય તે નિમિત્ત પહેલાં જણાવી દેવાય છે અને પછી અન્નત્થ સૂત્ર બોલી કાયોત્સર્ગ કરાય છે.
આ સૂત્રને સંક્ષેપમાં પુનઃ યાદ કરીએ તો – આવું કંઈક વિચારી શકાય – –આલોચના કે આરાધનાદિ હેતુ માટે કાયોત્સર્ગ કરવો છે. – કાયોત્સર્ગ માટે પોતાની કાયા કે બહિરાત્માનો ત્યાગ કરવો.
- આવો ત્યાગ સ્થાન, મૌન, ધ્યાન દ્વારા થાય અર્થાત્ કાયા, વચન અને મનથી સ્થિર થઈને જ થાય.
– કાયોત્સર્ગનું નિયત પ્રમાણ પૂર્ણ થાય ત્યારે “નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ પૂર્ણ કરાય.
– તેમ છતાં જુદા જુદા બાર કારણો જેવા કે શ્વાસોચ્છવાસ, ખાંસી, છીંક આદિ કારણે કે ચાર વિશિષ્ટ કારણે કાયાને અસ્થિર થવાનું બને તો કાયોત્સર્ગનો ભંગ કે ખંડન ન થાય.
. સૂત્ર-નોંધ :– આ સૂત્રનું આધાર સ્થાન અવશ્ય નામક આગમનું સૂત્ર-૩૯ છે. – આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
– આ સૂત્રમાં પદ-૨૮, સંપદા-૫, ગુરુ વર્ણ-૧૩, લઘુવર્ણ-૧૨૭ અને સર્વ વર્ણ-૧૪૦ છે. સંપદા માટે સૂત્રમાં આપેલ ક્રમાંકને અનુસરવું
- ઉચ્ચારણમાં અન્નત્થને બદલે અનW/ અનાથ, જંભાઈએણને બદલે જભાએણ', ઉડુએણંને બદલે ઉડૂએણે ઇત્યાદિ જોડાક્ષરો છૂટી જતાં જોવા મળે છે અને “સંચાલેહિંમાં અનુસ્વાર છૂટી જાય છે. આવી ભૂલો ન થાય તે ખાસ જોવું.
–x
—X
——