________________
અન્નત્થ સૂત્ર-વિવેચન
૧૯૩
કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સ્વરૂપ એવા “મારી કાયાનો હું ત્યાગ કરું છું' એ વાક્યને સમજવા માટે તેના ત્રણે શબ્દોને છુટા પાડીએ તો કાયાનો અર્થ દેહ, શરીર, કલેવર ઇત્યાદિ સ્પષ્ટ છે.
“મારી' શબ્દ હું પરથી બને છે. હું શબ્દનું છઠી વિભક્તિથી જે રૂપ થયું તે મારી. અહીં હું શબ્દ વ્યવહારમાં ભલે શરીર અર્થમાં વપરાતો હોય, પણ હું એટલે આત્મા’ અર્થ જ થાય. આત્મા એ નિજસ્વરૂપ છે, જ્યારે કાયા એ પર સ્વરૂપ છે. કાયા તો ભવોભવ બદલાતી રહે છે. પણ તેમાં રહેલો હું અર્થાત્ આત્મા એક જ રહે છે, જ્યારે આ કાયા સર્વથા છુટી જશે ત્યારે પણ આત્મા તો સિદ્ધ સ્વરૂપે રહેવાનો જ છે. તેથી જ “મારી’ શબ્દથી “આત્માની' એવો અર્થ પણ કરાયેલ જોવા મળે છે.
આત્માની હાજરી એ જીવન છે અને ગેરહાજરી એ મૃત્યુ છે. તેથી કાયોત્સર્ગની ક્રિયા દરમિયાન આત્મા શરીરમાંથી ગેરહાજર થતો નથી. પણ મમત્વભાવ કે માલિકીપણાની ભાવનાને છોડે છે - ત્યાગ કરે છે. તથા શરીરના લાલનપાલનમાં ઉદાસીન બને છે. આસક્તિને બદલે અનાસક્તિ ભાવને ધારણ કરે છે. તેને જ વોસિરાવવું કે ત્યાગ કહે છે.
તેથી હાયં વોસિરામિ નો અર્થ હું - આત્મા મારી પરસ્વરૂપ કાયાનું માલિકીપણું છોડી દઉં છું. તેના લાલનપાલનમાં ઉદાસીન વૃત્તિ ધારણ કરું છું, અનાસક્ત બનું છું. તેથી જ્યાં સુધી મારી કાયોત્સર્ગમાં રહેવાની પ્રતિજ્ઞા ચાલુ છે, ત્યાં સુધી આ પરસ્વરૂપ કાયાને કોઈપણ ઉપસર્ગ કે પરીષહ થાય, તો પણ કાયાને મારી માનીને તેનો સામનો કે પ્રતિકાર કરીશ નહીં.
. વિશેષ કથન :- જો કે સૂત્રના વિવેચનમાં જ એટલો વિસ્તાર કરાયેલ છે કે આ સૂત્ર સંબંધે કંઈપણ વિશેષ કથન કરવાપણું રહ્યું નથી તેમ કહી શકાય. તો પણ કંઈક નોંધપાત્ર બાબતો જોઈ લઈએ.
- સામાન્ય રીતે જ્યારે “ઇરિયાવહી” - ઈર્યાપથ પ્રતિક્રમણના સંદર્ભમાં વિચારીએ ત્યારે અન્નત્થ સૂત્રનો ઉલ્લેખ તસ્સ ઉત્તરી સૂત્રની સાથે જ થાય છે. વિશ્યક નામના આગમમાં તો કાયોત્સર્ગ નામના પાંચમાં અધ્યયનમાં સન્નત્થ સૂત્ર ને તરસત્તરી સૂત્રની સાથે જ જોડી દેવાયેલ છે. યોગશામાં પણ બને સૂત્રનો સંબંધ સ્થાપીને તરસે ઉત્તર પછી તુરંત જ સ્ત્રી સૂત્ર મૂકેલ છે. ચૈત્યવંદનભાષ્ય આદિમાં પણ તેમ છે.
– પ્રતિક્રમણ સૂત્રની વિધિ જોઈશું તો તેમાં આ સૂત્ર વંદણવત્તિયા. ઇત્યાદિ પાઠ પછી પણ જોવા મળે છે, વેયાવચ્ચગરાણ. સૂત્રપાઠ સાથે પણ જોડાયેલ જોવા મળે છે. સુઅદેવયા, પિત્તદેવયા, ભવણદેવયા આદિ સાથે પણ જોડાયેલ જોવા મળે છે. વળી દેવસિઅ પ્રાયશ્ચિત્ત, દુકુખકૂખઓ કમ્મકૂખઓ, કુસુમિણ કુસુમિણ ઉઠ્ઠાવણી, ઇત્યાદિ પછી પણ અન્નત્થ સૂત્ર સીધું જ જોવા મળે છે. દેવવંદન-ચૈત્યવંદનની ક્રિયામાં તો સર્વત્ર ત્રત્ય સૂત્રનો પાઠ તસ ઉત્તરી. સૂત્રપાઠ સિવાય જ જોવા મળે છે.
આ બંને કારણોમાં એક વાત સામાન્ય છે કે કાયોત્સર્ગની ક્રિયા પૂર્વે બન્નત્થ સૂત્ર અવશ્ય બોલાય છે. ફર્ક હોય તો એટલો જ કે અન્નત્થસૂત્ર આલોચના, પ્રાયશ્ચિત્તની (1|13