________________
૧૯૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧
પ્રસિદ્ધ ૧૦૫ શ્લોકોમાં અતિ વિસ્તારથી આપેલી છે જે વિસ્તૃત ચર્ચા અત્રે કરેલ નથી. સામાન્ય અર્થનું કથન માત્ર કર્યું છે.)
અહીં જ્ઞાશબ્દથી – ‘મનને ધ્યાન વડે સ્થિર કરીને' એવો અર્થ કર્યો છે. સામાન્યથી ધ્યાનનો અર્થ ‘વસ્તુનું ચિંતન કરવું છે. વિશેષ અર્થમાં ‘ચિત્તની એકાગ્રતા થવી તે ધ્યાન કહેવાય છે. તેથી હું કાયોત્સર્ગ દરમિયાન મારા ચિત્તને જ્યાં ત્યાં ભટકવા દઈશ નહીં. જે-તે વિચારો કરીશ નહીં પણ તેને એકાગ્ર બનાવી ધ્યાનમાં જોડીશ. એ પ્રમાણે અહીં સમજવું.
યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “જેમ આંખો વગરનાને દર્પણ નકામું છે, તેમ મનની શુદ્ધિ વગરના તપસ્વીને ધ્યાન નકામું છે. તે માટે સિદ્ધિની ઇચ્છાવાળાએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. તે સિવાય તપ, અધ્યયન, વ્રત, પ્રાયશ્ચિત્ત જેવા બીજા દેહદમન કરનારા અન્ય ઉપાયોથી શું થશે ?
ધ્યાન વિશે તો શાસ્ત્રકાર અને ગ્રંથકાર મહર્ષિઓએ ઘણું-ઘણું કહ્યું છે પણ પ્રસ્તુત સૂત્ર પૂરતું જ વિચારીએ તો “પ્રશસ્ત અધ્યવસાય પૂર્વકના શુભ ચિંતનમાં મનને જોડી રાખવું. તે રીતે કાયોત્સર્ગ કરવો” એટલું સમજવું પણ પર્યાપ્ત છે.
-૦- સંક્ષેપમાં કહીએ તો :- કાયોત્સર્ગ પૂર્ણ ન થાય ત્યાં સુધી મનથી શુભ ધ્યાન, વચનથી મૌન અને કાયાથી સ્થિરતા રાખવી, તે સિવાયની સર્વે કુપ્રવૃત્તિઓનો ત્યાગ કરવો.
સ્થાન, મૌન, ધ્યાન ત્રણેના સંયુક્ત આયાસથી જ અપ્પાણે વોસિરામિ કરી કાઉસ્સગ્ગની સાધના કરવાની છે.
• અપ્પાણે વોસિરામિ :- ‘અપ્રાણ' શબ્દનો અર્થ “મારી' એવો થાય છે. આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં પણ કહ્યું છે કે, ૩પ્પા શબ્દનો પ્રાકૃતશૈલીથી “આત્મીય એવો અર્થ જાણવો. પપ્પા શબ્દનો સંબંધ છાર્ય સાથે હોવાથી પાપ વોસિરામિ એ પ્રમાણે વાક્ય રચનાથી-કાયાના મમત્વનો સંપૂર્ણપણે ત્યાગ કરું છું અથવા આ દેહ મારો નથી તેવી ભાવનાપૂર્વક વર્તવું.
કqui શબ્દનો અર્થ શાસ્ત્રકારોએ “મારી” એવો જ કર્યો છે. તો પણ વ્યવહારમાં તે “આત્મા' અર્થમાં પ્રસિદ્ધ થયેલ છે. પંચ પ્રતિક્રમણ સૂત્રોના અર્થના પુસ્તકોમાં “મારા આત્માને વોસિરાવું છું' તેમ જણાવે છે. આ અર્થને ક્ષણભર માટે સ્વીકારી લઈએ તો ત્યાં બહિરાત્માનું વિસર્જન એવો અર્થ સમજવો. (આત્માના બાહ્યભાવોનો હું ત્યાગ કરું છું.)
જો કે અવશ્યક સૂત્ર-૩૬ ની વૃત્તિની એક વાત પણ નોંધવી ઘણી જ જરૂરી છે – “મળે ન પટન્થનમાનીપ' યોગશાસ્ત્ર ત્રીજા પ્રકાશમાં તેનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, કેટલાંક પાર પાઠ બોલતા નથી.
૦ વસિમ - હું ત્યાગ કરું છું, સર્વથા ત્યજી દઉં છું.
મારી કાયાનું સર્જન કરું છું એવો નિર્ણય કરવો તેને વ્યુત્સર્જન' કહે છે. તેને છર્દન, વિવેક, ત્યજન, ઉન્મોચના આદિ અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે.