SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ અન્નત્થ સૂત્ર-વિવેચન તેથી જ તેનો અહીં પ્રથમ નિર્દેશ કરેલો છે. જ્યારે ગૌતમ સ્વામીએ ભગવંતને પૂછયું કે, હે ભગવન્! શરીરની સ્થિરતા કરવાથી જીવને શો લાભ થાય ? ભગવંતે ઉત્તર આપ્યો કે, “જીવને સંવર પ્રાપ્ત થાય' અર્થાત્ શરીર સ્થિર થતાં કર્મોને આવવાના દ્વાર “તેટલે અંશે” બંધ થાય. કાયોત્સર્ગમાં કઈ રીતે ઉભા રહેવું ? અને કાયોત્સર્ગ દરમિયાન તેના ૧૯ દોષો કઈ રીતે ટાળવા ? – તે સંબંધી વિવેચન સૂત્ર-૬ “તસ્સ ઉત્તરીમાં ‘વિશેષ કથન' વિભાગમાં કરાયેલ છે. ૦ લઘુ દષ્ટાંત :- અર્જુનમાળી રોજેરોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ કુલ સાતની હત્યા કરતો હતો. આવી હત્યા તેણે લાગલગાટ છ-માસ સુધી કરેલી તેમ છતાં જ્યારે સંયમ અંગીકાર કરી અર્જુનમાલી અણગાર તે જ રાજગૃહી નગરી પાસે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા ત્યારે ત્યાંના પ્રજાજનોએ તેમને ઉપસર્ગો કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. આવા ભયંકર ઉપસર્ગો થતા હતા ત્યારે પણ અર્જુનમાલી નથી પગ હલાવતા કે નથી શરીર ધ્રુજાવતા, નથી નજર ફેરવતા કે નથી મસ્તક ધુણાવતા, અચલ અને અડોલ બની કાઉસ્સગ્ન ધ્યાને સ્થિર ઉભા છે. કેટલું સુંદર પરિણામ આવ્યું આ કાઉસ્સગ્ગનું? અર્જુનમાલી અણગારના સર્વે છાઘસ્થિક (ધાતી) કર્મો નાશ પામ્યા અને તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું “આ છે ‘ટા' પદનો આદર્શ.' -૦- મોણેણં :- કાયોત્સર્ગ સ્વરૂપનું બીજું ચરણ છે મૌન મૌન વિશે આપણી સમજ અધુરી છે. એક માણસ મુંગો છે, જન્મથી જ બોલતો નથી. તો શું તમે તેને મૌનનો સાધક ગણશો? ઊંઘમાં આપણે બોલતા નથી તો શું મૌનની સાધના કહેવાય? વાળુ નિરોધ તૈક્ષર મૌનમ્ - મૌન એટલે વાણી વ્યાપારનો સર્વથા નિરોધ. “વાગુતિ.” કાયોત્સર્ગ દરમિયાન કોઈપણ પ્રકારનો વાણીનો વ્યવહાર કરવાનો નથી. વાણીના પ્રયોગ સાથે મનને ગાઢ સંબંધ છે. મનની સ્થિરતા વિના ધ્યાન થઈ શકતું નથી. માટે કાયાની સ્થિરતા પછી મોળાં દ્વારા વાણીની સ્થિરતા એટલે કે મૌન અત્યંત આવશ્યક છે. મૌનમાં પ્રગટપણે તો વાણીનું પ્રકાશન બંધ કરવાનું જ છે, સાથે સાથે વિચારોનું વિસર્જન પણ કરવાનું છે. (અપ્રશસ્ત બાબતમાં) મન નિર્વિચાર બને ત્યારે મૌન પરિપૂર્ણ થશે. કાયોત્સર્ગ દરમિયાન વાણીનો વ્યવહાર કોઈપણ પ્રકારે કરવાનો નથી. તેથી કાયાની માફક વાણીને પણ સ્થિર કરવી. -૦- ઝાણેણં - કાયોત્સર્ગ સ્વરૂપનું ત્રીજું ચરણ છે ધ્યાન મનના સ્થિરિકરણ માટે મનને શુભ વિચારોથી ભાવિત કરવું. અનુપ્રેક્ષા-ભાવનાનું ચિંતન કરવું આત્માના અધ્યવસાયોની સ્થિરતા આવે તે જ ધ્યાન કહેવાય ધ્યાન શબ્દથી શુભ ચિંતવના કરવી – એવો અર્થ વૃત્તિકારે પણ કર્યો. (ધ્યાન શબ્દનો અર્થ સ્વરૂપ, ચાર મુખ્ય ભેદ તથા તેના અન્ય પેટા ભેદો ઇત્યાદિ અનેક વિગતો આવશ્ય% સૂત્ર-૨૧ ની વૃત્તિમાં અપાયેલ ધ્યાનશતક નામે
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy