________________
૧૯૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સમગ્ર વાક્યમાં બે વાત સ્પષ્ટ થાય છે. (૧) કાયોત્સર્ગ સમય, (૨) કાયોત્સર્ગ કઈ રીતે પારવો તે.
સમય મર્યાદા વિશે પૂર્વે કહેવાઈ ગયું. પારવા માટે પહેલા “નમો અરિહંતાણં” પદનું ઉચ્ચારણ કરવું. પછી કાઉસ્સગ્ગ પારવો જોઈએ.
- એક સ્પષ્ટીકરણ :- શક્તિ હોય ત્યાં સુધી ગુરુ ભગવંત સાથે જ પ્રતિક્રમણાદિ ક્રિયા કરવી જોઈએ. તેથી જો ગુરુ ભગવંત કાયોત્સર્ગમાં સ્થિત હોય અને શિષ્યને નિયત કાઉસ્સગ્ન પુરો થઈ ગયો હોય તો જ્યાં સુધી ગુરુ કાયોત્સર્ગ ન પારે ત્યાં સુધી સૂત્રાર્થની ચિંતવના કરે ગુર કાયોત્સર્ગ પારે પછી જ શિષ્ય “નમો અરિહંતાણ” બોલી કાઉસ્સગ્ન પારે.
રિહંત, માવંત, નમુઠ્ઠર આ શબ્દોની વ્યાખ્યા સૂત્ર-૧ “નવકાર મંત્ર” તથા સૂત્ર-૫ "ઇરિયાવહીમાં થયેલી છે.
૦ હવે કાયોત્સર્ગના સ્વરૂપ અને પ્રતિજ્ઞાને દર્શાવે છે :
જ્યાં સુધી કાયોત્સર્ગમાં હોય અર્થાત્ નીવ... “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ન પારેલ ન હોય તાવ.. ત્યાં સુધી કાઉસ્સગ્ગ કઈ રીતે કરે ? “ઠાણેણં - મોણેણં - ઝાણેણં".
૦ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં – ત્યાં સુધી શરીરને – સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે. ૩ખા સિનિ.
તાવ - ત્યાં સુધી. જ્યાં સુધી - કાયોત્સર્ગ ન પારું ત્યાં સુધી. ઉપપ્પાઇi &યં - મારી કાયાને
ટાળvi - ઉભા રહેવું વગેરે. કાયાને હલાવ્યા ચલાવ્યા વિના કાઉસ્સગ્ગ મુદ્રાએ સ્થિરપણે રહીને–
મોળvi - મૌન કરવા પૂર્વક, વાણી વ્યાપાર સર્વથા બંધ કરીને. સાઇi - ધ્યાન વડે, મનમાં શુભ ચિંતવના કરવા પૂર્વક. વલિન - વોસિરાવું છું, ત્યાગ કરું છું, ત્યજી દઉ છું.
-૦- સમગ્ર વાક્યને કંઈક આ રીતે ગોઠવી શકાય કે જ્યાં સુધી હું કાયોત્સર્ગ ન પારું ત્યાં સુધી–
- સ્થિર ઉભા રહીને, મૌન ધારણ કરીને, શુભ ધ્યાનમાં રહીને. – મારી કાયાનો હું ત્યાગ કરું છું. -૦- ઠાણેણં :- શરીરને સ્થિર કરે. કાયગુપ્તિનું પાલન કરવાનું છે.
શાંતપણે સ્થિર ઉભાં રહેતા કે બેસતા શારીરિક ચંચળતા પર ઘણના ઘા પડે છે. મન અને વાણીને ચંચળ બનાવવા માટે શરીરમાંથી મળતો વિજળીનો પુરવઠો બંધ પડે છે. વિજળી પુરવઠો ખોરવાતા મનરૂપી મશીન બંધ પડે છે. તેથી કાયોત્સર્ગ કરતી વખતે મુખ્યતાએ સ્થિરતાથી ઉભો રહે. ઉભા રહેવાની વિધિ સાચવવાનું અશક્ય હોય - સામર્થ્ય ન હોય તે બેસીને કાયોત્સર્ગ કરે. પણ કાયાનું સહેજ પણ હલન-ચલન (ઇચ્છાપૂર્વક) ન કરે. ધ્યાનાવસ્થા સિદ્ધ કરવા માટે પ્રથમ કાયાને સ્થિર કરવાની છે.