________________
૧૮૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ ૦ લઘુ દૃષ્ટાંત :- સુવ્રત નામે એક શેઠ હતા. મૌન એકાદશી પર્વની આરાધના કરવા માટે સહકુટુંબ પૌષધ લઈને રહેલા છે. તે રાત્રિએ નગરમાં ચોમેર ભયંકર આગ લાગી. અગ્નિની જ્વાળાઓ એક પછી એક ઘરને સળગાવતી આગળ વધી રહી છે. અગ્રિ પોતાના વકરાળ પંજાને ફેલાવતો સુવતશેઠના ઘર સુધી તો પહોંચી ગયો, તો પણ સુવ્રત શેઠ અને તેનું સમગ્ર કુટુંબ ધર્મ ધ્યાનમાં સ્થિર રહ્યું. ત્યારે શેઠની હવેલીની આસપાસ બધું જ બળી ગયું, ભસ્મીભૂત થઈ ગયું પણ સમુદ્ર મધ્યે રહેલા દ્વીપની માફક સુવ્રત શેઠના મકાનને કંઈ જ ન થયું.
પણ અહીં પ્રશ્ન એ છે કે કાયોત્સર્ગમાં સ્થિત વ્યક્તિને અગ્રિ ફેલાતો આવીને સ્પર્શે તો કરવાનું શું ? આ વાતનો ઉત્તર જ “વિમરૂ' “ઇત્યાદિ” શબ્દથી ઉલ્લેખ પામેલ સૂત્રમાં છે.
આવશ્યક નિર્યુક્તિ-૧૫૧માં, યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં તેમજ ચૈત્યવંદન ભાષ્ય ગાથા-પપમાં આ બાબત સ્પષ્ટતા કરી જ છે. જે હવે પછી રજૂ કરેલ છે–
• એવભાઈએહિં આગારેહિં :- ઇત્યાદિ આગાર. ઇત્યાદિ એટલા ક્યા ?
ઇત્યાદિ શબ્દથી ચાર પ્રકારના આગારો ગ્રહણ કરવાનું સૂચવેલ છે. (૧) અગ્રિ ફેલાતો આવીને સ્પર્શે - જ્યારે વીજળી અથવા અગ્રિની જ્યોત આવીને સ્પર્શ કરે અને જો ઓઢવા માટે વસ્ત્રને લઈને ગ્રહણ કરે તો તેને કાયોત્સર્ગનો ભંગ થયો ગણાતો નથી.
આવશ્યક નિર્યુક્તિ-૧૫૧ની વૃત્તિ તથા યોગશાસ્ત્ર વૃત્તિમાં જણાવેલ છે–
કદાચિત્ કોઈ એવો પ્રશ્ન કરે કે, જો “નમો અરિહંતાણં” કહી કાયોત્સર્ગ પારી અને પછી કામળી (વસ્ત્ર) ગ્રહણ કરે તો પછી કાઉસ્સગ્નનો ભંગ કઈ રીતે થાય ? પાર્યા પછી તો કાઉસ્સગ્ગ ભંગ થતો નથી.
સમાધાન - અહીં કાઉસ્સગ્નનું પ્રમાણ માત્ર “નમો અરિહંતાણ” કહે ત્યાં સુધીનું જ નથી, કે જેથી તે બોલવાથી કાઉસ્સગ્ન પૂર્ણ ગણાય. જો ચેષ્ટા કાઉસ્સગ્ગ હોય તો શ્વાસોચ્છવાસ પ્રમાણે જેટલા લોગસ્સ વગેરે કાઉસ્સગ્નમાં ચિંતવવાના (ગણવાના) હોય તે પૂર્ણ કર્યા પછી “નમો અરિહંતાણ” કહે ત્યારે કાઉસ્સગ્ન અખંડ પૂર્ણ થયો કહેવાય. માટે કાઉસ્સગ્ગ પૂર્ણ થયા છતાં “નમો અરિહંતાણં' ન કહે અથવા ‘નમો અરિહંતાણં' કહે પણ ગણવાનું અપૂર્ણ રહે તો પણ કાઉસ્સગ્નનો ભંગ થયો ગણાય. તેથી અહીં અગ્નિ સ્પર્શ કે વિજળીના સંઘટ્ટામાં વસ્ત્ર લે તેને આગાર (અપવાદ) કહ્યો છે.
(૨) પંચેન્દ્રિયની આડ :- સ્થાપનાચાર્ય અને કાઉસ્સગ્ન કરનારની વચ્ચેથી બિલાડી, ઉંદર વગેરે પંચેન્દ્રિયો આડા ઉતરતા હોય ત્યારે તે “છિંદનનું એટલે કે આગનું નિવારણ કરવા કાઉસ્સગ્નમાં ખસીને અન્ય સ્થાને જાય તો કાઉસ્સગ્નનો ભંગ થતો નથી.
(૩) બોધિક-લોભાદિ :- બોધિક એટલે ચોર તથા લોભાદિમાં આદિ શબ્દથી રાજા વગેરે અને ક્ષોભ એટલે સંભ્રમ. ચોર કે રાજા આદિના સંભ્રમ, ભય, ઉપદ્રવ