________________
અન્નત્થ સૂત્ર-વિવેચન
ઉત્પન્ન થાય છે.
આવશ્યક નિયુક્તિ-૧૫૧૨માં જણાવે છે કે ચક્કર કે મૂર્છા આવે તો કાયોત્સર્ગમાં અપવાદ એટલા માટે બતાવ્યો કે કદાચ આ બે કારણે અચાનક પડી જાય તો આત્મવિરાધના થાય, તેના કરતા બેસી જવું યોગ્ય ગણાય.
૧૦. સુહુર્મહિં અંગ-સંચાલેહિં :- સૂક્ષ્મ રીતે અંગનું સંચાલન થવાથી, અંગ સ્ફૂરણ થાય, શરીરમાં રોમરાજી આદિ સૂક્ષ્મ રીતે ચલિત થાય કે રોમ-રોમ ઉભા થઈ જાય ઇત્યાદિને સૂક્ષ્મ અંગ સંચલન કહેવાય છે.
=
- આંખના પોપચાં, ગાલ, હાથ-પગના સ્નાયુઓનું ફરકવું, રોમરાજીનું વિકસ્વર થવું ઇત્યાદિ ક્રિયાઓ આપણી ઇચ્છા કે પ્રયત્નને આધીન ન હોવાથી શરીરમાં ગમે ત્યારે આવું સ્ફૂરણ થઈ શકે છે.
--
૧૧. સુહુમેહિં ખેલ-સંચાલહિં :- સૂક્ષ્મ રીતે કફ કે શ્લેષ્મનો સંચાર થવો. આ ક્રિયા શરીરમાં ચાલતી હોય છે. વાયુ, કફને જુદા જુદા સ્થાને લઈ જાય છે. કોઈ વખત તેનો વેગ વધારે હોય તો આપણને ખ્યાલ આવે છે કે અંદર કફનું હલનચલન થઈ રહ્યું છે. આ સૂક્ષ્મ કાયવ્યાપાર છે. જે આપણા નિયમનમાં હોતો નથી. આવશ્યક નિયુક્તિ-૧૫૧૩માં જણાવે છે કે વીર્યના યોગથી કારણ હોય ત્યારે શરીરમાં સૂક્ષ્મ-બાદર સંચાર અવશ્ય થાય જ છે. અહીં “વીર્ય’ વીર્યાન્તરાયના ક્ષયોપશમજન્ય આત્મપરિણામને કહેલ છે અને ‘યોગ'' મન, વચન, કાયાની પ્રવૃત્તિને કહેલ છે. આ વીર્ય-યોગને કારણે શરીરની બહારના ભાગે જે રોમાંચ કે કંપન થાય છે તેને સૂક્ષ્મ અંગ સંચલન અને શરીરની અંતર્ગત્ જે શ્લેષ્મ અને વાયુનું વિચરણ થાય છે તેને સૂક્ષ્મ ખેલ સંચલન કહ્યું છે.
૧૨. સુહુમેહિં દિષ્ઠિ-સંચાલૈહિં :- સૂક્ષ્મ રીતે દૃષ્ટિ ફરકી જવાથી. – સૂક્ષ્મ રીતે આંખની પાંપણ વગેરે ફરકવી, આંખના પોપચા ઉઘાડબંધ થાય, આંખનું મટકું મરાય જાય તેને સૂક્ષ્મ દૃષ્ટિ સંચલન કહે છે.
કાયોત્સર્ગ કરતી વેળા સૃષ્ટિને કોઈપણ ચેતન કે અચેતન વસ્તુ પર સ્થિર કરવામાં આવે છે. પણ તે વખતે દૃષ્ટિ ચલિત થવાનો પુરો સંભવ છે. કેમકે મનની માફક દૃષ્ટિ પણ સ્થિર કરવી દુષ્કર છે.
આવશ્યક નિયુક્તિ-૧૫૧૪ અને ૧૫૧૫માં જણાવે છે કે – અવલોકનમાં ચંચળ સ્વભાવવાળા ચક્ષુને સ્થિર કરવાં તે મનને સ્થિર કરવાની જેમ દુષ્કર છે અર્થાત્ સ્થિર કરવાનું શક્ય નથી. સ્વભાવથી કે કુદરતી રીતે તે સ્વયં ચલિત રહે છે જો કે મહાસત્ત્વશાળી જીવો આ સૂક્ષ્મદૃષ્ટિસંચલનની બાબતમાં અપવાદરૂપ છે. કેમકે તેઓ એક રાત્રિ પર્યન્ત અનિમેષ નયને રહી શકે છે. પણ સામાન્ય આત્માઓ માટે તે સહેલું નથી.
-
૧૮૭
-૦- આ બાર આગારો વડે મારો કાયોત્સર્ગ ભંગ ન થાઓ. તેમ કહ્યું પણ આ બાર આગાર પછી સૂત્રમાં “વમાěિ ગારેહિં'' શબ્દો મૂક્યા છે. આ બાર આગાર આદિ આગારો વડે (મારો કાયોત્સર્ગ ભંગ ન થાઓ.)