SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નત્થ સૂત્ર-વિવેચન ૧૮૫ શ્વાસ લેવો કે મૂકવો, વાછૂટ થવી વગેરે. કાયવ્યાપાર બે પ્રકારના હોય છે. - (૧) ઇચ્છાને આધીન (૨) નૈસર્ગિક રીતે થતો. જે કાયવ્યાપાર ઇચ્છાપૂર્વક થતા હોય તેને તો કાયોત્સર્ગમાં કરવાના નથી. પણ જે કાયવ્યાપાર કુદરતી રીતે થતા હોય તેને રોકવા મુશ્કેલ હોય છે. આવા કુદરતી કાય વ્યાપાર અર્થાત્ શરીરની પ્રવૃત્તિ માટે આ બન્નત્થ શબ્દથી એવી સ્પષ્ટતા કરાઈ છે કે, આવા કાય વ્યાપાર થઈ જાય તો તેને કાયોત્સર્ગમાં બાધક સમજવા નહીં. તે આ પ્રમાણે છે– ૧. ઊસસિએણે :- ઊંચો શ્વાસ લેવાથી, જોરથી શ્વાસ લેવાથી તેને માટે આવશ્યક સૂત્ર-3ની વૃત્તિમાં પણ કહ્યું છે કે – ઉર્ધ્વ કે પ્રબળ શ્વાસ લેવો તે “ઊસસિએણ” કહેવાય. – ઊસસિએણે એટલે ઉચ્છવાસ મુખ કે નાસિકા વડે અંદર લેવાતો શ્વાસ. જેને ગ્રહણ કરીને ફેફસામાં ધકેલવામાં આવે છે. ટૂંકમાં શ્વાસ લેવો તે ૨. નીતસિએણે :- શ્વાસ નીચો મૂકવાથી, શ્વાસ બહાર કાઢવો કે છોડવો તે નિઃશ્વાસ કહેવાય જે શ્વાસ નાસિકા કે મુખ વડે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે તે નિઃશ્વાસ કહેવાય છે. આ ઉચ્છવાસ અને નિઃશ્વાસ બંને ક્રિયાઓ શ્વાસોચ્છવાસ નામથી ઓળખાય છે. શ્વાસોચ્છવાસને સર્વથા રોકવો અશક્ય છે. તેને રોકવાથી પ્રાણવિઘાતનો પ્રસંગ આવે છે. અભિગ્રહ કરનાર પણ શ્વાસોચ્છવાસને સર્વથા રોકી શકતો નથી. આવશ્યક નિર્યુક્તિ-૧૫૧૦માં જણાવે છે કે, અભિભવ કાયોત્સર્ગ કરનાર પણ શ્વાસ રોકી ન શકે તો પછી ચેષ્ટા કાયોત્સર્ગ કરનારને તો શ્વાસોચ્છવાસ રોકવાની વાત જ ક્યાંથી હોય ? ચેષ્ટા કાયોત્સર્ગ કરનાર શ્વાસનો નિરોધ ન કરે. કેમકે તેમ કરવાથી તત્કાળ મરણ થવાનો સંભવ છે. તેથી તે જયણાપૂર્વક સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ કરે. દશ પ્રકારના જે પ્રાણ છે. જેનું વર્ણન સૂત્ર-૫ “ઇરિયાવહીમાં પાણક્કમણેમાં આવી ગયેલ છે. તેમાં શ્વાસોચ્છવાસને એક પ્રાણ ગણેલ છે. તેનો વિયોગ કરવો તેને સૂયગડાંગની વૃત્તિમાં હિંસા કહી છે. આ શ્વાસોચ્છવાસ ક્રિયા એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધાં જીવોમાં હોય છે. તેનો સર્વથા નિરોધ થઈ શકતો નથી. ૩. ખાસિએણે :- ખાંસી આવવાથી, ઉધરસ આવવાથી. ઉધરસ આવવાની ક્રિયા આપણી ઇચ્છા કે પ્રયત્નો પર નિર્ભર નથી. ઉપલક રીતે ખાંસી ખાવી હોય તો આપણે ખાઈ શકીએ છીએ, પણ તે અંદરથી ઉત્પન્ન થતી હોય તો તેને રોકી શકવી અશક્ય છે. ૪. છીએણે :- છીંક આવવાથી, છીંકના અવાજને રોકી શકાય છે. નાકને મસળીને તેનો વાયુ બહાર કાઢી શકાય છે. પણ સર્વથા તે વાયુને નાસિકા વાટે વહેતો અટકાવી શકાતો નથી. પ. ભાઈએણે :- બગાસું ખાવાથી આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં કહ્યું છે કે– મોટું પહોળું કરતાં જે પ્રબળ પવન નીકળવો તેને “બગાસુ ખાવું” કહે છે. આવશ્યક નિર્યુક્તિ-૧૫૧૧ અને તેની વૃત્તિમાં આ ત્રણે આગારની વિવેચના
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy