________________
૧૮૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ ભમલીએ - ચક્કર આવવાથી પિત્તમૈચ્છાએ - પિત્ત વડે મૂછ આવવાથી સુહુમેહિં - સૂક્ષ્મ રીતે, કિંચિત્ અંગસંચાલેહિં - અંગ સંચાલનથી ખેલસંચાલેહિં - કફના સંચરણથી દિઠિસંચાલેહિં - દૃષ્ટિ ફરકી જવાથી એવભાઈએડુિં - આ-વગેરે છોડીને આગારેહિં - આગાર, અપવાદોને અભખ્ખો - અગ્નિ, અખંડિત અવિરાહિઓ - વિરાધના રહિત હજ્જ મે કાઉસ્સગ્ગો - મારો કાયોત્સર્ગ હોજો કે થાઓ જાવ અરિહંતાણં ભગવંતાણં - જ્યાં સુધી અરિહંત ભગવંતોને નમુક્કારેણ ન પારેમિ - નમસ્કાર કરીને પારું નહીં, પૂર્ણ ન કરું તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં - ત્યાં સુધી સ્થાન, મૌન, ધ્યાન વડે અપ્પાણ વોસિરામિ - મારા આત્માને વોસિરાવું છું, કાયાને ત્યજુ છું.
- વિવેચન :- આ સૂત્રનો પ્રારંભ અન્નત્ય શબ્દથી થતો હોવાથી તે વ્યવહારમાં “અન્નત્થ સૂત્ર” નામે પ્રસિદ્ધ છે. પ્રતિક્રમણ, સામાયિક, ચૈત્યવંદનાદિ કોઈપણ વિધિનો કાઉસ્સગ્ગ અન્નત્થ સૂત્ર બોલ્યા સિવાય થતો ન હોવાથી અન્નત્થને કાયોત્સર્ગ સૂત્ર પણ કહે છે. તેમજ કાયોત્સર્ગ ભંગ ક્યારે ન થાય તે અંગેના આગારો (૧૨ + ૪)નું વર્ણન મુખ્યતાએ કરેલ હોવાથી આ સૂત્રને “આગાર સૂત્ર” કે “કાયોત્સર્ગ-આગાર” સૂત્ર પણ કહે છે.
આ સૂત્રમાં મુખ્ય ચાર વિભાગો છે – (૧) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા કે સંકલ્પ-જે સૌથી છેલ્લે કહ્યું- વાય...પાનં વોલિમ હું મારી કાયાનો ત્યાગ કરું છું કે વોસિરાવું છું - પણ કઈ રીતે ? " (૨) કાયોત્સર્ગ સ્વરૂપ – ટામાં મોni જ્ઞાનું સ્થાન, મૌન, ધ્યાન વડે સ્થીર થઈને – આવી સ્થિરતા કેટલો સમય સુધીની ?–
(૩) કાયોત્સર્ગ સમય – નાવ રિહંતાઈ માવંતા નમુક્કારેvi ન રેનિ તાવિ. જ્યાં સુધી નમો અરિહંતાણં બોલી (અરિહંત ભગવંતને નમસ્કાર કરીને) ન પારું ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં રહેવું.
કાયોત્સર્ગ અર્થાત્ કાયાના વ્યાપારનો ત્યાગ શું સર્વથા થઈ જાય ? ના. ન રોકી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓની અપવાદ રૂપે છૂટ રાખીને
(૪) કાયોત્સર્ગ આગાર – આ અપવાદ રૂપ છુટોમાં બાર આગાર કહ્યાઝર્સીસUU, નિસર્ષ થી 8 મે છોડ અને રિ શબ્દથી બીજા ચાર આગારો પણ સમજી લેવા.
હવે પદાનુસાર વિવેચન જોઈએ
૦ અન્નત્થ – અન્યત્ર, સિવાય કે હવે આપેલા અપવાદ પૂર્વક. અહીં સૂત્રમાં જણાવેલ બાર પ્રવૃત્તિઓ સિવાય, નીચેના આગારો છોડીને.
– અન્યત્ર એ નૈપાતિક પદ છે. જ્યારે કોઈ વસ્તુનો અપવાદ કરવો હોય કે મુખ્ય વસ્તુથી જુદી પાડવી હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે.
કાયોત્સર્ગ દરમિયાન કાયાનો કેટલોક વ્યાપાર ચાલું રહેવાનો જ – જેમકે