SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્સઉત્તરી સૂત્ર-વિશેષ કથન ૧૭૯ એ જ રીતે ચૈત્યવંદન ભાષ્ય ગાથા-૫૮માં અમેશબ્દ પણ વાપરેલ છે. ત્યાં આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું કથન છે. જ્યાં આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું વિધાન હોય ત્યાં આઠ સંપદાયુક્ત એક નવકારનો કાયોત્સર્ગ થાય છે. જેમકે લઘુ અને મધ્યમ ચૈત્યવંદનમાં હાલ જે કાયોત્સર્ગ છે તે એક નવકારનો થાય છે. એ જ રીતે ગટ્ટ સેસેલું શબ્દની વ્યાખ્યા બૃહત્ ચૈત્યવંદન – દેવવંદનના કાયોત્સર્ગ સંદર્ભમાં કરાયેલ છે. ત્યાં થોયના જોડામાં જે એક નવકારનો કાયોત્સર્ગ થાય છે. તે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણનો કાયોત્સર્ગ છે. -૦- પ્રતિક્રમણ ક્રિયામાં કાયોત્સર્ગનું પ્રમાણ : પ્રતિક્રમણના સંદર્ભમાં ૫૦, ૨૫, ૨૫, ૧૦૦, ૧૦૮, ૩૦૦, ૫૦૦, ૧૦૦૮ અને ૮ શ્વાસોચ્છવાસ પ્રમાણના અલગ-અલગ કાયોત્સર્ગની વાત આવે છે. જેમકે – (૧) દેવસિક પ્રતિક્રમણમાં ચારિત્ર શુદ્ધિ અર્થે ૫૦ શ્વાસોચ્છવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરવાનો છે, ત્યાં બે લોગસ્સનો કાયોત્સર્ગ ચંદેસુ નિમ્મલયરા પર્યન્ત કરીએ છીએ (૨) જ્યાં ૨૫-૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું વિધાન છે તેવા ઇરિયાવહીમાં, તેમજ જ્ઞાનાચાર અને દર્શનાચાર શુદ્ધિ માટે એક-એક લોગસ્સનો કાયોત્સર્ગ કરીએ છીએ (૩) જ્યાં ૧૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું વિધાન છે ત્યાં દેવસિય પ્રાયશ્ચિત્ત નિમિત્તે તથા કુસુમિણ દસ્યુણિ નિમિત્તે આપણે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરીએ છીએ. (૪) જ્યાં ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગનું વિધાન છે, ત્યાં જો કુ:સ્વપ્ન દુઃસ્વપ્ન આવેલ હોય તો સાગરવરગંભીરા પર્યન્ત ચાર લોગસ્સનો કાયોત્સર્ગ આપણે કરીએ છીએ. અહીં સાગરવરગંભીરા સુધી લોગસ્સ ગણવાનું કારણ એ છે કે જો ચંદેસુ નિમૅલયરા સુધી ગણીએ તો એક લોગસ્સના ૨૫-શ્વાસોચ્છવાસ ગણતા કુલ ૧૦૦ શ્વાસોચ્છવાસ થશે. જો ૧૦૮નું પ્રમાણ જાળવવું હોય તો ૨૭-શ્વાસોચ્છવાસ પ્રમાણ કરવું પડે. તે માટે લોગસ્સના ર૭ પદ લેવા પડે. આ ૨૭ પદ સાગરવરગંભીરાએ પુરા થાય છે, તેથી અહીં સાગરવરગંભીરા પર્યન્ત ગણી ચાર લોગસ્સ કાયોત્સર્ગ કરીએ તો ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ થઈ શકે (૫) ૩૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ – પાક્ષિક પ્રતિક્રમણમાં પકિનના પ્રાયશ્ચિત્ત રૂપે આટલો કાયોત્સર્ગ કરવાનો આવે તે માટે ૨૫ શ્વાસોચ્છવાસનો એક એવા (ચંદેસ નિમ્મલયારા) પર્યન્તના ૧૨ લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે. (૬) ૫૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ – ચઉમાસી પ્રતિક્રમણમાં ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તરૂપે આટલો કાયોત્સર્ગ કરવાનો આવે તે માટે ૨૫ શ્વાસોચ્છવાસનો એક એવા (ચંદેસુ નિખલયરા) પર્યન્તના ૨૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરાય. (૭) ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ – સંવત્સરી પ્રતિક્રમણમાં સાંવત્સરિક પ્રાયશ્ચિત્ત રૂપે ૧૦૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો આવે. તેથી આપણે ૨૫ શ્વાસોચ્છવાસ પ્રમાણનો એક એવા ૪૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરી અને ઉપર
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy