________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
કરવાનું હોય છે.)
૦ આ પ્રાયશ્ચિત્ત પણ વિશુદ્ધિ દ્વાર થકી થાય છે, તેથી ઉત્તરી અને પ્રાયશ્ચિત્ત પછી ત્રીજું કરણ મૂક્યુ વિસોદિવર.
૧૭૨
• વિસોહિ(કરણ) :- અહીં વિÌહિ શબ્દમાં હ્રસ્વ અને દીર્ઘ બંને ‘દિ’ જોવા મળે છે. પણ તેના સંસ્કૃત રૂપાંતરમાં તો વિશોધિ શબ્દ જ છે. વિશોધિ કરણ વડે, વિશોધિ કરવા વડે, વિશુદ્ધિ કરવા વડે.
વિશિષ્ટ રીતે શોધન કરનારી ક્રિયા તે ‘વિશોધિ’. તે રૂપ જે કરણ તે વિશોધિકરણ. જે દોષ વિનાશક કે આત્માને નિર્મળ બનાવનાર ક્રિયા છે. યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં સામાન્યથી લખ્યું કે, અતિચારો દૂર કરવા વડે થયેલી આત્માની નિર્મળતાને વિશોધિ કહે છે.
-
આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં કહ્યું કે, વિ-શોધન એટલે વિશુદ્ધિ, અપરાધથી મલિન બનેલા આત્માની પ્રક્ષાલનની-શુદ્ધિકરણની ક્રિયા. આ ક્રિયાને વિશુદ્ધિના હેતુ માટે જ કરવી તે વિસોહિકરણ.
આવશ્યક નિર્યુક્તિ-૧૫૦૯માં જણાવ્યા મુજબ શુદ્ધિ બે પ્રકારે છે— (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. (૧) વસ્ત્ર આદિની જે શુદ્ધિ તે દ્રવ્યશુદ્ધિ કહેવાય, (૨) પ્રાયશ્ચિત્તાદિથી થતી આત્માની શુદ્ધિ તે ભાવશુદ્ધિ કહેવાય.
આ જ વાતનો સાક્ષીપાઠ આપતા શ્લોકમાં પણ કહ્યું કે—
-
—-
ક્ષાર વગેરે દ્રવ્યના સંયોગથી વસ્ત્ર વિગેરેની જે વિશુદ્ધિ થાય છે, તેને દ્રવ્ય વિશુદ્ધિ કહે છે. જીવની નિંદા-ગર્દાદિ વડે જે વિશુદ્ધિ થાય છે, તેને ભાવ વિશુદ્ધિ કહે છે.
GA
-
- વિમોદિ શબ્દ પ્રતિક્રમણના પર્યાયરૂપે પણ જોવા મળે છે. આવશ્યક નિર્યુક્તિ૧૨૩૩ની આવશ્યક ચૂર્ણિમાં અપાયેલી વ્યાખ્યામાં લખ્યું છે કે
– પ્રતિક્રમણ, પ્રતિચરણ, પ્રતિહરણ, વારણ, નિવૃત્તિ, નિંદા, ગર્હા અને વિશોધિ આ સર્વે પ્રતિક્રમણના જ પર્યાયો છે. સોનાનું શોધન જેમ તેજાબ અને તાપ વડે થાય છે, તેમ આત્માનું શોધન પ્રતિક્રમણ દ્વારા થાય છે. તેથી પ્રતિક્રમણને વિશોધિ કહેવામાં આવે છે. ટુંકમાં વિશોધિકરણ એ આત્માને પાપરહિત કરવાની એક જાતની ક્રિયા છે. વિશુદ્ધિ એટલે આત્માની નિર્મળતા, આત્માના અધ્યવસાયોની નિર્મળતા અને તે દ્વારા ચિત્તની શુદ્ધિ. ગમે તેટલી તીર્થયાત્રા કે પવિત્ર નદીના સ્નાન કરવા છતાં, જો મનોશુદ્ધિ ન થાય · મનમાં રહેલાં હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ દોષો દૂર ન થાય તો શુદ્ધિ થઈ ગણાતી નથી. જેમ તાપ તપવા માત્રથી શુદ્ધિ થતી હોય તો પૃથ્વી, પાણી, વૃક્ષો બધાં મોક્ષે જવા જોઈએ તેથી દેહદમન સાથે ચિત્ત શોધન જરૂરી છે.
-
તેથી કાયોત્સર્ગ આદિ દ્વારા પુનઃ પુનઃ ચિત્તનું શોધન કરવું જોઈએ. તે શોધન પ્રક્રિયાને વિસહિરણ કહેવામાં આવે છે.
૦ આ વિશુદ્ધિ ક્યારે થાય ? શલ્યરહિત થઈને કરવામાં આવે તો. તે માટે