________________
૧૬૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
પણ તસ્સ-ઉત્તરીનો સંબંધ માત્ર ઇરિયાવહી. સાથે જોડાયેલ નથી, તેવુ પ્રતિક્રમણની વિધિ જોતા પણ જણાય છે કેમકે તેમાં ઇચ્છામિ ઠામિ' સૂત્ર-૨૮ પછી પણ “તસ્સ ઉત્તરી” સૂત્ર બોલવાના બે પ્રસંગો વિધિમાં આવે છે. તેમજ આવશ્યક વૃત્તિમાં અને ષડાવશ્યક બાલાવબોધમાં પણ આ સૂત્રની વ્યાખ્યા જોતાં ત્યાં ઇરિયાવહી.” સૂત્રનો સંબંધ સ્પષ્ટતયા જોડેલો જોવા મળતો નથી.
• તસ્સ – તેના અથવા તેનું આ અનુસંધાન પદ છે. કેમકે– આ સૂત્ર મુખ્ય ચાર ભાગોમાં વિભાજીત થયેલ છે– – (૧) તસ્સ - એ અનુસંધાન પદ છે. જેનો સંબંધ પૂર્વસૂત્ર સાથે છે.
- (૨) કરણ (કે હેતુ) – સૂત્રનો બીજો ભાગ ચાર પદોનો છે. જેને ચૈત્યવંદન ભાષ્યમાં ગાથા-૫૪માં ૨૩ તÍ૦ શબ્દોથી ચાર હેતુ કહ્યા છે અને સૂત્રના શબ્દોમાં આ શબ્દ વપરાયો છે તે ઉત્તરી, પાયચ્છિ, વિસોડી અને વિસલ્લી છે.
– (૩) પ્રયોજન - સૂત્રનો ત્રીજો ભાગ પ્રયોજન દર્શાવે છે – પાવાણું કમ્માણં નિશ્થાયણઠાએ - પાપ કર્મનું નિર્ધાતન કરવા.
– (૪) પ્રવૃત્તિ - ચોથા ભાગમાં “ઠામિ કાઉસ્સગ્ગ” રૂપ પ્રવૃત્તિ નિર્દેશ છે.
-૦- તસ - આ શબ્દ બે રીતે વિચારવો જરૂરી છે. (૧) પ્રચલિત - ઇરિયાવહીના અનુસંધાને, (૨) આવશ્યક સૂત્ર-વૃત્તિ આધારે.
ઇરિયાવડિમાં આલોચના અને પ્રતિક્રમણરૂપ બે પ્રાયશ્ચિત્ત કર્યા. તરસ - તેનું ઉત્તર અર્થાત્ ઉર્ધ્વ-ઉપર-ઉપરાંત કરણ એટલે કાઉસ્સગ્ન કરવો તે પાપક્ષપણનો હેતુ છે. અતિચાર ટાળવાનો હેતુ છે. અર્થાત્ જેનું ઇરિયાવહિ સૂત્રથી આલોચન અને પ્રતિક્રમણ કર્યું તેની ફરી શુદ્ધિ કરવાના કારણભૂત કાઉસ્સગ્ગ, તેમાં સ્થિર થવાનું છે. એટલે તરૂ શબ્દનો પ્રચલિત અર્થ છે – “તે ઐર્યાપથિકી વિરાધનાના.”
આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં જણાવે છે કે – તી રૂતિ અનન્તરે પ્રસ્તુતી થામર્થયોરાસતર્થ૦ ઇત્યાદિ. તેનું અર્થાત્ અનંતર રજૂ કરાયેલ શ્રમણ્ય યોગમાં કંઈક પ્રમાદથી જે ખંડણા કે વિરાધના થઈ હોય તેના ઉત્તરીકરણના હેતુભૂતતાથી કાયોત્સર્ગમાં સ્થિર થાઉ છું તેમ સંબંધ જોડવો. આ વાતમાં બે અનુસંધાનો તો સ્પષ્ટ જોવા મળે છે. (૧) ઇર્યાપથ પ્રતિક્રમણનું – જેમાં ઇરિયાવહિ સૂત્ર બાદ આ સૂત્ર બોલાય છે તે અને (૨) પ્રતિક્રમણ કરતી વેળાએ વંદન આવશ્યક પૂર્વે તથા આયરિય ઉવઝાએ સૂત્ર બાદ. આ બંને વખતે કરેમિભંતે સૂત્ર બોલ્યા પછી ઇચ્છામિ ઠામિ, સૂત્ર પછી તસ્સ ઉત્તરી સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરાય છે ત્યાં.
ઇરિયાવહિ પછી બોલાતા તસ્સ ઉત્તરીમાં ઇર્યાપથ આલોચના અને પ્રતિક્રમણની પુનઃ શુદ્ધિ માટે કાઉસ્સગ્નના હેતુ છે. જ્યારે ઇચ્છામિ ઠામિ પછીના કાઉસ્સગ્નમાં દિવસ કે રાત્રિ આદિ સંબંધી અતિચારની આલોચના પછી તેની પુનઃ શુદ્ધિનો હેતુ છે. અર્થાત્ ઇરિયાવડિમાં ઈર્યાપથ સંબંધે ગમનાગમન થકી થયેલી વિરાધનાની શુદ્ધિની મુખ્યતા છે. જ્યારે ઇચ્છામિ ઠામિપછી નાણ, દર્શન, ચારિત્રાદિ અતિચારની શુદ્ધિની મુખ્યતા છે. (આવો જ ભાવાર્થ પડાવશ્યક બાલાવબોધમાં પણ જોવા મળે છે.)