________________
૧૬૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ – વિરાધનાના ભેદ કેટલા ? અભિયા, વત્તિયા આદિ-૧૦ – વિરાધના રાગથી પણ થાય, કેષથી પણ થાય તે ભેદ-૨ - કાળ કેટલા ? ભૂત, વર્તમાન, ભાવિ એ-૩ - યોગ કેટલા ? મન, વચન, કાયાનો યોગ-૩ - કરણ કેટલા ? કરવું, કરાવવું અનુમોદવું-૩ – સાક્ષી કેટલી ? અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા-૬ – જીવ-પ૬૩ ૪ વિરાધના-૧૦ = પ૬૩૦ x રાગદ્વેષ-૨ = ૧૧૨૬૦ – * યોગ-૩ = ૩૩૭૮૦ ૪ કાળ-૩ = ૧,૦૧,૩૪૦ ૪ કરણ-૩ = ૩,૦૪,૦૨૦ ૪ સાક્ષી-૬ = ૧૮,૨૪,૧૨૦.
૦ ઇર્યાપથિકી ક્રિયા – શરીર દ્વારા ગમન-આગમન કે કાયાની ચેષ્ટાથી આ ક્રિયા થાય છે. ક્રિયાને કારણે કર્મબંધ થાય છે. આ ક્રિયા પહેલાથી તેરમા ગુણઠાણા સુધી હોય છે. તેથી કર્મનો બંધ છદ્મસ્થ અને વીતરાગ બંનેને કરાવે છે. કેવલીને પણ વેદનીય કર્મનો બંધ કરાવે છે. | સૂત્ર-નોંધ :
– આ સૂત્રમાં પદ-૨૬ છે. સંપદા-૭ છે, ગુરુ વર્ણ-૧૪ છે, લઘુવર્ણ-૧૩૬ છે અને સર્વવર્ણ-૧૫૦ છે.
– સંપદા એટલે અટક સ્થાન. ચૈત્યવંદન ભાષ્ય તથા પ્રવચનસારોદ્ધાર આદિમાં જણાવ્યા પ્રમાણે સૂત્રમાં સાત અંકો દ્વારા આ સંપદાને નિર્દેશ કરેલો છે. જો કે કોઈ ઇચ્છામિ પડિક્કમિઉ અને ઇરિયાવડિયાએ વિરાણાએની સંપદા એક ગણે છે, કોઈ જુદી ગણે છે. એ જ રીતે પાણક્કમસેથી સંકમાણેની સંપદા એક ગણે છે. કોઈ પાણÉમણે થી હરિયકમાણે અને ઓસાઉનિંગથી સંકમાણે એમ બે સંપદા ગણે છે.
– આ સૂત્ર આવશ્યક સૂત્રના પ્રતિક્રમણ અધ્યયનમાં ૧૨મું સૂત્ર છે. – આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. – આ સૂત્ર પ્રતિક્રમણ સ્વરૂપે “પગામસિક્કા "સૂત્ર પૂર્વ સાધુ બોલે છે. – આ સૂત્ર પ્રતિક્રમણ ક્રિયારૂપે બોલાય તો પછી તસ્સઉત્તરી બોલાય છે.
- સૂત્રના ઉચ્ચારણમાં ઇચ્છાકારેણ શબ્દમાં અડધા “ચ', જોડાક્ષરમાં અડધો 'ક' જોડાક્ષરનો વગેરેમાં ઉચ્ચારણ ભૂલ જોવા મળે છે. તે દૂર કરવી. ‘એનિંદિયા'નું એકિંદિયા અને “અભિધ્યાનું અભિયા ન બોલાય તે જોવું.
—
————
—