________________
૧૬૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સૂત્ર-૨૬ પ્રતિક્રમણ સ્થાપના સૂત્રમાં પણ અંતે આ વાક્યપ્રયોગ થયો છે. સૂત્ર-ર૭ ઇચ્છામિ ઠામિ. સૂત્રમાં પણ અંતે આ વાક્યપ્રયોગ છે. સૂત્ર-૩૦ દૈવસિક આલોચનામાં, સૂત્ર-૩૧ સાત લાખ અને સૂત્ર-૩૨ અઢાર પાપ સ્થાનક સૂત્રમાં, સૂત્ર-૩૩ સવ્વસ્સવિ. સૂત્રમાં, સૂત્ર-૩૪ “ઇચ્છામિ પડિક્કમિઉં' સૂત્રમાં, સૂત્ર-૩૬ અભૂઠિઓ. સૂત્રમાં ઇત્યાદિ સ્થાને "મિચ્છામિક્કડં” વાક્ય પ્રયોગ થયેલો છે.
૦ આવશ્યક નિર્યુક્તિ ૧૫૦૫, ૧૫૦૬માં ભદ્રબાહુસ્વામી મિચ્છા મિ દુક્કડં'ના પ્રત્યેક વર્ણને આશ્રિને તેનો અર્થ જણાવે છે–
– નિ – એટલે માર્દવપણું, કાયાથી અને ભાવથી નમ્ર બનીને – ૭ – એટલે અસંયમાદિ દોષોનું છાદન કરવું, ફરી ન કરવાની ઇચ્છા – નિ – એટલે મર્યાદ, ચારિત્રના ભાવોમાં સ્થિર હોવું તે. – ડું – એટલે દુગંછા - પાપવાળા પોતાના આત્માની નિંદા કરવી. - – એટલે પોતે કરેલા પાપની કબુલાત કરવી તે. – ૩ – એટલે ડયન-પાપને ઉપશમ વડે બાળી નાખું છું.
મિચ્છામિ દુક્ટર્ડ સમગ્ર વાક્યનો અર્થ આ પ્રમાણે કરી શકાય કે- હું વિનમ્ર-મૃદુ થઈને, અસંયમાદિ દોષોનું છાદન કરતો, ચારિત્રની મર્યાદામાં રહેલો, દુષ્કૃત્ કર્તા એવા મારા આત્માને નિંદુ છું - તે પાપ મેં કર્યું છે, એવો એકરાર કરું છું અને તે દુષ્ટ્રપાપને ઉપશમ વડે બાળી નાખું છું. (કષાયના ઉપશમન વડે તેનું ઉમૂલન કરું છું.)
મનમાં આવા પ્રકારનો ભાવ લાવીને ઇર્યાપથ પ્રતિક્રમણ કે પ્રતિક્રમણ સ્થાપના કે અતિચાર આલોચના કે પ્રતિક્રમણ આવશ્યક આદિ કરવાના છે. આ મિચ્છામિદુક્કડું એ પ્રતિક્રમણના બીજરૂપ મંત્ર છે. પુનઃ પુનઃ મનનીય છે. કોઈપણ જીવના અપરાધને ખમાવવાનો ભાવ છે. જ્યાં સુધી હૃદયમાં અસત્ કાર્યો અંગે દિલગીરી કે પશ્ચાત્તાપ થાય નહીં, ત્યાં સુધી તેમાંથી છુટવું કે નિવૃત્ત થવું એ શક્ય નથી. આ દિલગીરી કે અપરાધભાવને માટેનો મંત્ર મિચ્છામઢવું છે.
• લઘુદષ્ટાંત :- ચેટક રાજાની પુત્રી અને શતાનીક રાજાની રાણી એવી મૃગાવતીએ શતાનીકના અકાળ મૃત્યુ બાદ ચંદનબાળા આર્યા પાસે દીક્ષા અંગીકાર કરી. કોઈ વખતે ભગવંત મહાવીરની દેશના સાંભળવા ગયેલા આર્યા મૃગાવતીને સમવસરણમાં સૂર્ય, ચંદ્ર પોતાના મૂળ વિમાને ભગવંતના દર્શનાર્થે આવેલા હતા. તેથી સંધ્યાકાળનો ખ્યાલ ન રહ્યો. ઉપાશ્રયે પાછા ફરતા મૃગાવતી આર્યાને મોડું થઈ ગયું ચંદનબાળા આર્યાએ તેણીને ઠપકો આપતા કહ્યું કે, “તમારા જેવા કુલીન અને શીલવાનું સાધ્વીને આ રીતે મોડું આવવું તે યોગ્ય નથી." અપરાધભાવ અનુભવતા એવા આર્યા મૃગાવતી પોતાની ભૂલને માટે વારંવાર “મિચ્છામિ દુક્કડં” આપે છે તે વખતે “મિચ્છામિ દુક્કડં”ના વિશુદ્ધ ભાવને વરેલા આર્યા મૃગાવતીને કર્મોના આવરણ ખસી ગયા. ત્યાંજ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
આ રીતે વિશદ્ધ મિચ્છામિદક્કર્ડનો ભાવ તેણીને કેવળજ્ઞાન આપી ગયો. i વિશેષ કથન :- ઇરિયાવહી સૂત્રના પ્રત્યેક પદોનું વિસ્તૃત વિવેચન