SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઇરિયાવહી સૂત્ર-વિવેચન ૧૬૩ ચારેના પણ બીજા પેટા ભેદો છે. જેમકે જ્યોતિષ્કમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાનો સમાવેશ થાય છે. મનુષ્યોમાં કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્તીપજ આદિ ભેદો બતાવેલા છે. (પંચેન્દ્રિયજીવો વિશે વિશેષ માહિતી જીવાજીવાભિગમ, પત્રવણા, ઇત્યાદિ સૂત્રોથી જાણવી ઘણાં જ વિસ્તારથી ત્યાં આ ચારેની માહિતી છે.) ૦ સૂત્રમાં હવે આ પાંચે પ્રકારના જીવોને કઈ રીતે દુઃખ પહોંચાડાયુ હોય કે પીડ્યા હોય તેના દશ પ્રકારો જણાવે છે ૦ અભિયા – સામે આવેલાને પગથી ઠોકરે મરાયા હોય. ૦ વત્તિયા એકઠા કર્યા કે ઉપર ધૂળ નાંખી ઢાંકી દીધા હોય. ૦ લેસિયા – જમીન સાથે ઘસાયા, પીસાયા કે જમીનમાં ભેળવાયા હોય. ૦ સંઘાઈઆ પરસ્પર શરીરો દ્વારા અફળાવાયા કે સંકડાવાયા હોય. થોડો સ્પર્શ કરાયો હોય. પરિતાપ અથવા દુ:ખ ઉપજાવાયું હોય. ૦ કિલામિયા ૦ ઉવિયા ખેદ પમાડાયો હોય, મૃતઃપ્રાય કરી દીધા હોય. અત્યંત ત્રાસ પમાડાયા હોય, બિવડાવાયા હોય. ૦ ઠાણાઓ ઠાણું સંકામિયા – એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવાયા હોય, પોતાના સ્થાનેથી વિખૂટા કર્યા અને બીજે સ્થાને મૂકાયા હોય. • જીવિયાઓ વવરોવિયા – જીવનથી છુટા કરાયા કે મારી નંખાયા હોય. અભિયા આદિ દશ પ્રકારે જે કોઈ વિરાધના થઈ હોય અર્થાત્ આ દશમાંથી કોઈ પણ પ્રકારે જીવોને દુઃખી કરાયા કે પીડા અપાઈ હોય અને તેના કારણે જીવ પાપથી લેપાયો હોય અથવા તો આમાંથી કોઈ પ્રકારે જે અતિચાર લાગ્યો હોય તેનું શું કરવું ? તે સૂત્રમાં જણાવે છે ૦ સંઘટ્ટિઆ ૦ પરિયાવિયા - (આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે અહીં સુધીનું નિવેદન તે ક્રિયાકાળ કહેવાય છે હવે પછીની વિધિને નિષ્ઠાકાળ કહ્યો છે.) ♦ તસ્સ મિચ્છા મિ દુક્કડં – તે સર્વેનું “મિચ્છા મિ દુક્કડમ્' અહીં ‘‘તસ્સ'' શબ્દનો સંબંધ ઉપરોક્ત અતિચારો કે વિરાધના સાથે જોડાયેલ છે. ઇર્યાપથ પ્રતિક્રમણ કરનાર “મિચ્છા મિ દુક્કડં'' આપે છે. પણ શેનું ? અભિયા આદિ દશ વિરાધના થઈ તેનું. ‘‘મિચ્છા મિ દુક્કડં” શબ્દનો સામાન્ય શબ્દાર્થ છે મારું દુષ્કૃત મિથ્યા થાઓ અર્થાત્ મારું તે પાપાચરણ નિષ્ફળ કે નિરર્થક થાઓ. (યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ વાક્યનો ભાવાર્થ જણાવતા કહ્યું કે–) કરેલી ભૂલ માટે દિલગીર થવાનો અને હવે પછી તેવી ભૂલો નહીં કરું તેમ જણાવવાનો છે. વ્યવહારમાં પણ ‘“મિચ્છા મિ વુલ્લડ'' બોલવાથી આપણે “મારી ભૂલ થઈ, મને માફ કરો'' એવો ભાવ પ્રગટ કરીએ છીએ. ‘“મિચ્છામિવૃદ્ધનું’” આ વાક્યનો પ્રયોગ માત્ર ઇરિયાવહી સૂત્રમાં જ થયો છે તેમ નથી. આ વાક્યનો પ્રયોગ સૂત્ર-૧૦માં સામાયિક પારતી વખતે પણ થાય છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy