________________
ઇરિયાવહી સૂત્ર-વિવેચન
૧૬૧
વિશેષથી વિચારતા સંગ્રામ ક્રિયાપદ સ્થાન, સ્થિતિ કે સ્વરૂપના પરિવર્તનને દર્શાવે છે. જેથી કોઈ જીવ પરથી પસાર થતા કે ઓળંગતા તેના સ્થાન, સ્થિતિ કે સ્વરૂપમાં પરિવર્તન આવે તેને સંક્રમણ કહે છે.
આ રીતે અહીં પ્રાણી શબ્દથી ત્રસ જીવો અને બીજ, હરિત, ઓસ આદિ શબ્દોથી વિવિધ સ્થાવર જીવોને જણાવ્યા. પણ આવા કેટલા ભેદોની નામથી કરવી? તેથી સૂત્રમાં આગળ કહી દીધું ને બે નવા વિહિયા.
ને જે નવા વિરદિયા – જે કોઈ જીવ ને મેં દુઃખ પમાડ્યું હોય. આ વાક્યનો અર્થ શબ્દોનો ક્રમ ફેરવીને થાય છે. નૈ નવા અને મે વિદિગ્યા. જે જીવા - જે સર્વે કોઈ પ્રાણીઓ “જીવ” શબ્દનો સામાન્ય અર્થ “જે જીવે છે તે જીવ અર્થાત્ શરીરથી ભિન્ન ચૈતન્યગુણવાળો આત્મા થાય છે. તે જીવનશક્તિ ધારણ કરે છે માટે તેને જીવ કહેવાય છે. જીવનવાળો, જીવતો કે જીવશે તે જીવ જેનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે તે જીવ. ઉપચારથી જીવંત શરીરને પણ જીવ કહ્યો છે. કેમકે જીવનક્રિયા તેના વડે થાય.
અહીં ને નવા શબ્દમાં જીવનો અર્થ જીવિત શરીર લઈ શકાય.
વિરહિમા - મારાથી વિરાધાયા હોય, મારાથી દુઃખને પામ્યા હોય. વિરાધના શબ્દનો વિસ્તૃત અર્થ આ સૂત્રમાં પહેલાં અપાઈ ગયો છે.
આ જીવો કયા કયા ? તેના ઇન્દ્રિયને આશ્રિને ભેદ કહે છે – તેનો સામાન્ય પરીચય અહીં આપેલ છે. વિશેષ પન્નવણા જીવાજીવાભિગમ આદિ સૂત્રોથી જાણવું
• એબિંદિયા :- એકેન્દ્રિયો - એક ઇન્દ્રિયવાળા જીવો. જેમને એક માત્ર સ્પર્શન ઇન્દ્રિય છે તેવા જીવો. તેમાં પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચનો સમાવેશ થાય છે. આ જીવો સ્વયં હલનચલન કરી શકતા ન હોવાથી તેને સ્થાવર જીવો પણ કહેવાય છે.
– પૃથ્વીકાય જીવોના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત પૃથ્વીકાય તથા શ્લષ્ણ અને ખરબાદર પૃથ્વીકાય એવા ભેદો છે. આ પૃથ્વીકાય જીવોમાં વિવિધ પ્રકારની માટી, પૃથ્વી, શર્કરા, વાલુકા, ઉપલ, શિલા, મીઠું, ખાર, તાંબુ શીશુ સોનું, ચાંદી આદિ ધાતુઓ હડતાલ, હિંગુલ, મનશીલ આદિ, રત્ન, મણી આદિ જાણવા તેની સાત લાખ યોનિઓ કહી છે.
– અપૂકાય જીવમાં મુખ્યત્વે પાણીનો ઉલ્લેખ હોય છે. તેમાં પણ સૂક્ષ્મ અને બાદર એવા ભેદો છે. અષ્કાયના જીવોમાં ઝાકળ, હિમ, મહિક, ઓલક, હરત, શુદ્ધ જળ, વિવિધ પ્રકારના જળ જેવા કે સારોદક, ખટ્ટોદક, અમ્યોદક આદિનો સમાવેશ થાય છે. તેની સાત લાખ યોનિઓ કહી છે.
– તેઉકાય કે જેને તેજસુકાય કે અગ્નિકાય પણ કહે છે. તેના પણ સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદો છે. આ જીવોમાં અંગાર, વાલા, મુર્ખર, અર્ચિ, અલાત, શુદ્ધ અગ્નિ, વિદ્યુતું, મણિનિઃસૃત આદિ ભેદો કહ્યા છે. તેની સાત લાખ યોનિઓ કહી છે.
- વાઉકાય કે વાયુકાય-જીવોના પણ સૂક્ષ્મ અને બાદર બે ભેદો છે. જેમાં શુદ્ધ વાયુ, પવન, વંટોળ, વિવિધ દિશાનો વાયુ, ઘનવાત, તનુવાત ઇત્યાદિ અનેક ભેદો