SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ ઇચ્છાનિવેદન રૂપ છે. જ્યારે પછી ગમનાગમન શબ્દ મૂક્યો તે વિરાધના કઈ રીતે થાય તે જણાવવા માટેનો આરંભિક શબ્દ છે. તેથી અહીં પ્રશ્ન થાય કે આ ગમનાગમનમાં વિરાધના કયા કારણોથી થાય છે ? કે જેથી મામલે આરંભિક શબ્દ મૂકી, ત્યાં અટકીને આગળ બોલે છે. (અર્થાત્ સમUTI TV શબ્દ પાસે સંપદા કેમ છે ?) ગમનાગમનથી થતા અતિચાર કઈ રીતે થાય તે જણાવવા માટેપાણક્કમણે ઇત્યાદિ : • પાણકમણે – પ્રાણીઓ પર આક્રમણ થયું હોય કે પ્રાણીઓ પગ વડે ચંપાયા હોય. અહીં બે શબ્દો છે, પ્રાણી અને આક્રમણ. પ્રાણના દશ ભેદ કહ્યા છે. આ દશ કે તેમાંના કોઈ પ્રાણ જેમનામાં વિદ્યમાન હોય તેને પ્રાણી કહેવાય છે. આ દશ પ્રાણ કયા કયા ? પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાય એ ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ, જઘન્ય વિકાસવાળા પ્રાણીને ચાર પ્રાણ હોય છે. જેમકે એકેન્દ્રિયજીવ. તેને સ્પર્શનેન્દ્રિય, કાયબળ અને આયુષ્ય તથા શ્વાસોચ્છવાસ હોય. જ્યારે ઉત્કૃષ્ટ વિકસિત પંચેન્દ્રિય પ્રાણીને દશે બળ હોય. અહીં સૂત્રમાં આ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ રીતે થયો છે. તેથી આવશ્યક વૃત્તિકાર અને યોગશાસ્ત્ર રચયિતા આદિ જણાવે છે કે – બેઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યન્તના સર્વે ત્રસ જીવોને પ્રાણી કહેવાય છે. આ પ્રાણી પર થયેલ આક્રમણ. અર્થાત્ પગ વડે તેમને પીડા પહોંચવી કે પગ વડે ચંપાવા તે. (સંબંધી જે વિરાધના થાય તે.) • બીયક્રમe :- બીજ પર આક્રમણ થવું, બીયાં ચંપાવા તે. અહીં બીજ શબ્દનો સામાન્ય અર્થ બીયાં થાય છે. પણ યોગશાસ્ત્ર પ્રકાશ-૩ માં બીજનો અર્થ સર્વ સ્થાવર એકેન્દ્રિયો કરેલ છે. • હરિયક્કમe :- લીલી વનસ્પતિને ચાંપતા. સર્વ પ્રકારની વનસ્પતિ તે હરિતકાય તેમાંનો કોઈ જીવ પગ વડે ચાંપતા કે દબાતા થયેલ વિરાધના. • ઓસા, ઉસિંગ, પણગ, દગમટ્ટી, મકડાસંતાણા, સંકમણે – ૦ મોસા - ઓસ, ઝાકળ, પ્રભાતે પડેલા સૂક્ષ્મ જલકણ વિશેષ. ૦ ઉત્તિ - ભૂમિમાં ગોળ છિદ્ર પાડનાર ગર્દભ આકારના જીવો, ગધેયા અથવા કીડીઓનાં દર એવો બીજો અર્થ પણ જાણવો. ૦ પI - લીલફૂગ, ફૂગી, સેવાળ, પંચરંગી અંકુરિત અને અનંકુરિત સાધારણ વનસ્પતિ ૦ મિટ્ટી - કીચડ, ઢીલો કાદવ અથવા તે એટલે સચિત્ત પાણી અને નટ્ટી એટલે પૃથ્વીકાય કે (સચિત્ત) માટી ૦ મધas-સંતા - કરોળિયાના-જાળા. ૦ સંમો - સંક્રમણ કર્યું હોય, ઉપર ચાલતા દબાયા હોય એ રીતે ઓસ, ઉસિંગ, પણ, દગ, મહી, મક્કડા સંતાણાની વિરાધના થઈ હોય સંક્રમણનો સામાન્ય અર્થ તો આવશ્યક વૃત્તિમાં આક્રમણ જ કર્યો છે. પણ
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy