SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ ત્યારપછી શ્રાવક કે શિષ્ય “ઇચ્છે” એમ કહી મૂળ સૂત્ર બોલે, પછી ઇરિયાપથ પ્રતિક્રમવામાં આવે છે. અલબત સૂત્રમાં ક્યાંય “ડર” શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. પણ ગુરુ ભગવંત આદેશ આપતા “ડિશ્નમેટું બોલે છે. માટે અહીં સૂત્રના વિવેચનમાં આ શબ્દનો ઉલ્લેખ કરેલ છે. (નોધ:- આવશ્યક સૂત્રમાં પ્રતિક્રમણ નામક ચોથા અધ્યયનમાં આ સોળમું સૂત્ર છે. પણ ત્યાં આ પ્રકારે આજ્ઞા માંગતા શબ્દોનો ઉલ્લેખ નથી. ત્યાં સીધું જ “ઇચ્છામિ પડિકમિઉથી જ સૂત્ર શરૂ થાય છે. તેથી વશ્યસૂત્ર ની નિર્યુક્તિ, ચૂર્ણિ કે વૃત્તિમાં આ આજ્ઞાયાચનાની કોઈ વ્યાખ્યા મળતી નથી. યોગશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ નથી. પરંતુ પ્રતિક્રમણ સૂત્રમાં તેનો ઉલ્લેખ હોવાથી ઉક્ત વિવેચન નોંધેલ છે) • લઘુદષ્ટાંત :- ઇરિયાવહી સૂત્ર યાદ કરતા જ અતિમુક્ત મુનિનો પ્રસંગ નજરે તરવરે છે. એક ઇરિયાવડી પ્રતિક્રમણ પણ જીવને મોક્ષ આપવા કઈ રીતે સમર્થ બને તે વાતનું આ દૃષ્ટાંત છે. પોલાસપુર નામે નગર હતું ત્યાં વિજય રાજા અને શ્રીદેવી રાણી હતા. તેમને અતિમુક્ત નામે પુત્ર હતો. છ વર્ષની ઉમરે આ રાજકુમારે ગૌતમસ્વામીને ગૌચરી માટે નીકળેલા જોયા. અતિમુક્તકુમાર તેમની સાથે ચાલ્યા ભિક્ષા, (ગૌચરી) અપાવવા સાથે નીકળ્યા. ભગવંતની વાણીથી તે બાળક વૈરાગ્ય પામ્યો. માતાપિતા પાસે દીક્ષા લેવા માટે અનુમતિ માંગી. નાના બાળકને તેના માતાપિતા સાથે સુંદર સંવાદ થયો. માતાપિતાને તેણે ચારિત્રની મહત્તા સમજાવી. પછી દીક્ષા લીધી. કોઈ વખતે થંડીલ જતા અતિમુક્તમુનિએ રસ્તામાં વરસાદના પાણીથી ભરેલ ખાડા જોયા. નાના બાળકો ત્યાં ખાખરાના પાનના નાવડા બનાવી તરાવી રહ્યા હતા. અતિમુક્તમુનિએ પણ પોતાનું પાત્ર પાણીમાં તરવા મૂક્યું. સાથે રહેલા સ્થવરમુનિએ તે બાલમુનિને આમ ન કરવા સમજાવ્યું. મહાવીરસ્વામીને ફરીયાદ કરી કે આ બાળક જીવરક્ષા વિશે કશું જાણતા નથી ત્યારે ભગવંતે કહ્યું કે, આ બાળમુનિ તમારી પહેલા કેવળજ્ઞાન પામવાના છે. માટે તેમને સારી રીતે સાચવજો.ત્યારપછી અતિમુક્તમુનિ ભણતાં ભણતાં અગીયાર અંગના જ્ઞાતા થયા. પૂર્વે પાત્રને કાચા પાણીમાં તરાવેલ તે ક્રિયાનું સ્મરણ થયું તે વખતે ઇરિયાપથ પ્રતિક્રમતા “દગ-મટ્ટી આદિ શબ્દો બોલતા સચિત્ત પાણી આદિની થયેલ વિરાધના વિષયક ચિંતન કરતા તેના મનમાં ઘણી જ ગ્લાની થઈ. તે વિરાધનાનું ભાવથી પ્રતિક્રમણ કર્યું તે વખતે વિશુદ્ધ અધ્યવસાયો અને શુક્લ ધ્યાનના બળે અતિમુક્તમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માત્ર ઇરિયાવહીતેના કેવળજ્ઞાન માટે નિમિત્ત બની ગઈ. (જો કે દરિયાપથ પ્રતિક્રમણમાં ઇરિયાવહી સૂત્ર સાથે તસ્સ ઉત્તરી, અન્નત્થ૦ અને લોગસ્સ સૂત્ર પણ સમગ્ર પ્રતિક્રમણ ક્રિયાનો ભાગ જ છે. પણ તે ત્રણે સૂત્રોની વિચારણા હવે પછીના સૂત્ર-૬, ૭, ૮ના વિવેચનમાં કરવાની છે.) • મૂળ સૂત્ર વિવેચના :ઇરિયાવહી સૂત્રની હવે વિવેચના કરવાની છે. તેમાં મુખ્ય વિભાગો આ પ્રમાણે
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy