SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ આટલા પ્રશ્નો પૂછે ત્યારે ગુરુ ફક્ત એક જ વાક્ય કહે, “દેવ-ગુરુ પસાય'. દૈવ-ગુરુ કૃપાથી બધું બરાબર છે. ત્યારે શ્રાવક પોતાની નિર્મળ ભાવનાથી કહે ♦ ભાત-પાણીનો લાભ દેજોજી – મત્ત મૂળ શબ્દ છે. મત્ત એટલે ભોજન. આપ મારે ત્યાં આહાર-પાણી વહોરી ધર્મનો લાભ આપવા કૃપા કરશોજી. - ૧૫૦ ત્યારે ગુરુએ આમંત્રણનો સ્વીકાર કે ઇન્કાર કશું જ ન કરે. માત્ર એટલું જ કહે કે, ‘વર્તમાન યોગ'' જ્યારે જેવો યોગ હશે તેમ કરીશું. શ્રાવક પણ આ વાતને સમજપૂર્વક સ્વીકારે કે સાઘુમહારાજનો આ કલ્પ-આચાર છે કે તેઓ કદી એ રીતે નિમંત્રણનો સ્વીકાર ન કરે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર વ્યવહાર કરે. જેમ જીરણશેઠે ભગવંતને માસક્ષમણના પારણા માટે અનેક વખત વિનંતી કરી, બધી તૈયારી પણ કરી છતાં ભગવંત મહાવીરે પારણું તો પૂરણ શેઠને ત્યાં જ કરેલું. ત્યારે શ્રાવક એમ ન વિચારે કે મને કેમ લાભ ન આપ્યો ? - - શ્રાવક પછી શું કરે ? વિધિ અને વ્યવહારમાં તો શ્રાવક પછી “અબ્યુટ્ઠિઓ’. ખામી વંદન પુરુ કરે છે, પણ ખરેખર ઉપરોક્ત પ્રશ્નો પૂછ્યા પછી તેનો ઉપાય કરવાની કે અનુસરવાની પણ તૈયારી હોવી જોઈએ. સુખશાતા નથી, શરીર પીડારહિત નથી, સંયમયાત્રામાં કંઈ અડચણ છે કે કેમ ? આ વાત જાણ્યા પછી ગુરુ મહારાજની આ તકલીફ હું કેમ દૂર કરું ? તે પણ શ્રાવકનું કર્તવ્ય છે. માત્ર પ્રશ્નો પૂછીને ચાલતા થવાનું નથી. જેમ ભગવંત મહાવીરના કાનમાં ખીલા ઠોકાયેલા હતા. એવા શલ્યની વૈદ્યને ખબર પડી, તો શ્રાવકે ભગવંતના શલ્યને નિવારવા કેટલો પુરુષાર્થ કરેલો ? ભગવંત શલ્યમુક્ત થઈ ગયા. ૦ લઘુદૃષ્ટાંત :- પુંડરીક અને કંડરીક બંને ભાઈઓ હતા. સ્થવીર ભગવંતોની ધર્મદેશના સાંભળી વૈરાગ્ય પામી કંડરીકે દીક્ષા લીધી. સામાયિકાદિ અગિયાર અંગના જ્ઞાતા થયા. પછી ઘણાં જ ઉપવાસ, છટ્ઠ આદિ તપશ્ચર્યા કરી, વિચરણ કરવા લાગ્યા. કોઈ દિવસે કંડરીકમુનિ અંતપ્રાંત આહારથી રોગાક્રાન્ત થઈ દાહજ્વર વડે પીડાવા લાગ્યા. કોઈ દિવસે સ્થવીર ભગવંતો સાથે વિહાર કરતા પુંડરીકિણી નગરી પધાર્યા, જ્યાં તેમના ભાઈ પુંડરીક રાજા હતા. પુંડરીક રાજા ધર્મશ્રવણ કરવા આવ્યા. શ્રવણ કરીને જ્યાં કંડરીક અણગાર હતા ત્યાં પધાર્યા. કંડરીક મુનિને વંદન કર્યું. તેમનું શરીર સર્વ પ્રકારે બાધાયુક્ત અને રોગીષ્ટ જોયું. જોઈને સ્થવીર ભગવંતે પાસે આવીને પુંડરીક રાજાએ કહ્યું, હે ભગવન્ ! હું કંડરીક અણગારની યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, પાનથી પ્રાસુક અને એષણીય ચિકિત્સા કરાવવા ઇચ્છુ છું. તેથી હે ભદંત ! આપ મારી યાનશાળામાં પધારો. સ્થવીર ભગવંતોએ પુંડરીક રાજાની આ વાતને સ્વીકારી. તેઓ કંડરીક મુનિને લઈને યાનશાળામાં પધાર્યા. ત્યાં પ્રાસુક તથા એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક લઈને વિચરવા લાગ્યા. ત્યારે પુંડરીક રાજાએ કંડરીકમુનિને માટે ચિકિત્સકોને બોલાવ્યા. તેમને કંડરીક અણગારની પ્રાસુક એષણીય ઔષધ, ભેષજ, ભોજન-પાન વડે ચિકિત્સા કરો. પછી યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, આહાર, પાન આદિથી ચિકિત્સા વડે કંડરીકની વ્યાધિ
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy